અમદાવાદઃ 27 માર્ચ એટલે વિશ્વ રંગભૂમિ દિવસ, રંગભૂમિની શરૂઆત વિશ્વમાં ઘણા વર્ષો પહેલા થઈ હતી. સૌપ્રથમ ગ્રીસના એથેન્સ શહેરથી આની શરૂઆત થઇ હતી તેમ માનવામાં આવે છે. ભારતમાં પણ પ્રખ્યાત ભરતમુનિએ નાટ્યશાસ્ત્રની રચના કરી હતી.
જેમાં રંગભૂમિના વિવિધ આયામોની ચર્ચા કરવામાં આવી છે. ભારત તથા ગુજરાતમાં પ્રાચીન સમયથી ભવાઈ, નાટકો વગેરેએ સંસ્કૃતિનું રક્ષણ કર્યું છે. તો રાજાઓએ પણ આ કલાને સંરક્ષણ અને પ્રોત્સાહન આપ્યું હતું. ભારતના ફિલ્મ ક્ષેત્રના ઘણા કલાકારો સૌપ્રથમ રંગભૂમિમાંથી શિખીને જ ફિલ્મક્ષેત્રે પદાર્પણ કર્યું હતું.