ETV Bharat / state

ETV Bharat Special: રાજ્યસભા ચૂંટણીમાં શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકી કોનું પલડું ભારે?

author img

By

Published : Jun 8, 2020, 6:01 PM IST

રાજ્યસભાની ચૂંટણીમાં ચાર બેઠકો માટે પાંચ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. ભાજપે 3 ઉમેદવાર અને કોંગ્રેસે 2 ઉમેદવાર ઉભા રાખ્યા છે. કોંગ્રેસના 8 ધારાસભ્યોના રાજીનામા પછી હવે રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપના 3 ધારાસભ્યોની જીત નિશ્રિત થઈ છે, પણ કોંગ્રેસના 2 ઉમેદવારોમાંથી કોની જીત થશે, તે હવે મુશ્કેલ બન્યું છે. શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકી કોનું પલડુ ભારે રહેશે, તેના પર જોઈએ ETV BHARATનો વિશેષ અહેવાલ

રાજ્યસભા ચૂંટણીમાં શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકી કોનું પલડું ભારે
રાજ્યસભા ચૂંટણીમાં શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકી કોનું પલડું ભારે

અમદાવાદ : રાજ્યસભાની ચૂંટણીની નવી તારીખ 19 જૂન જેવી જાહેર થઈ કે તુરંત ગાંધીનગરમાં ફરીથી રાજકારણ ગરમાયું. અગાઉ જ્યારે ચૂંટણીની તારીખ 26 માર્ચ હતી, ત્યારે તે પહેલા કોંગ્રેસના પાંચ ધારાસભ્યોએ રાજીનામા આપ્યા હતા અને નવી તારીખ જાહેર થઈ ત્યારબાદ બીજા ત્રણ ધારાસભ્યોએ રાજીનામા આપ્યા. આમ, કોંગ્રેસના 8 ધારાસભ્યો ખડી પડતા રાજ્યસભાની ચૂંટણીનું ચિત્ર બદલાઈ ગયું છે. ભાજપના ત્રણેય ઉમેદવારોની જીત નિશ્રિત થઈ ચુકી છે, પણ સવાલ એ છે કે કોંગ્રેસના બે સીનીયર નેતાઓમાંથી કોંગ્રેસના ધારાસભ્યો કયા નેતાને પસંદ કરે છે, તે 19 જૂનના પરિણામના દિવસે ખબર પડશે. પણ એક વાત નક્કી છે કે શક્તિસિંહ ગોહિલ પ્રથમ ક્રમે ફોર્મ ભરનાર હતા, જેથી તેઓ બેલેટ પેપરમાં પ્રથમ નામ ધરાવતા હશે અને મત મેળવવામાં પ્રથમ હશે. પણ આ તો ચૂંટણી છે કંઈ કહેવાય નહી. કોંગ્રેસના ધારાસભ્યોને મોવડીમંડળમાંથી વ્હીપ અપાય તેવું પણ બને અને ન અપાય તો ધારાસભ્યો નક્કી કરશે કે રાજ્યસભામાં કોણ વધુ સારુ પર્ફોમન્સ આપી શકે છે? અથવા તો કોની લોકપ્રિયતા વધારે છે? રાજ્યસભામાં કોંગ્રેસના બે ઉમેદવારોમાંથી કોણ જીતશે, તે અંગે પ્રદેશ કોંગ્રેસના સભ્યોએ પ્રતિક્રિયા આપવાનો ઈન્કાર કર્યો હતો. જો કે આ અગાઉ પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમીત ચાવડાએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે કોંગ્રેસ બન્ને બેઠકો જીતશે, અમે તેના પરની રણનિતી તૈયાર કરી છે.

શક્તિસિંહ ગોહિલ


શક્તિસિંહ હરીશચંદ્રસિંહજી ગોહિલ તેઓ જૂના કોંગ્રેસી નેતા છે. હાલ તેઓ બિહારના પક્ષ પ્રભારી છે અને તાજેતરમાં તેમને દિલ્હીનો ચાર્જ સોંપાયો છે. તેઓ ઑલ ઈન્ડિયા કોંગ્રેસના નેશનલ પ્રવકતા છે. શક્તિસિંહ 1991થી 1995 દરમિયાન સતત બે રાજ્ય સરકારમાં નાણાં, આરોગ્ય, શિક્ષણ અન નર્મદાપ્રધાન બની ચુક્યા છે. 2007થી 2012 સુધી તેઓ ગુજરાત વિધાનસભામાં વિરોધી પક્ષના નેતા હતા. શક્તિસિંહ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની બિલકુલ નજીકના અને વિશ્વાસુ નેતા છે, જેથી કેન્દ્રીય લેવલે શક્તિસિંહ ગોહિલ રાજ્યસભામાં જાય તેવું ઈચ્છી રહ્યા છે. તેની સાથે ભરતસિંહ પણ રાહુલ ગાંધીની વિશ્વાસુ નેતા તરીકેની છાપ ધરાવે છે.

શક્તિસિંહ ગોહિલ
શક્તિસિંહ ગોહિલ
ભરતસિંહ સોલંકી

ભરતસિંહ માધવસિંહ સોલંકીએ ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન માધવસિંહ સોલંકીના સુપુત્ર છે. જેથી ભરતસિંહ ખૂબ જૂના કોંગ્રેસી નેતા છે. તેઓ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ પણ રહી ચુક્યા છે. ભરતસિંહ 2014 સુધી વડાપ્રધાન મનમોહન સિંહની સરકારમાં ડ્રિન્કીંગ વોટર અને સ્વચ્છતાના રાજ્યકક્ષાના(સ્વતંત્ર હવાલો)ના રાજ્યપ્રધાન હતા, તેની અગાઉ તેઓ પાવર રાજ્યકક્ષાના પ્રધાન હતા. તેની અગાઉ 2004થી 2006 દરમિયાન તેઓ ઑલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીમાં સેક્રેટરી તરીકે ફરજ બજાવી ચુક્યા છે. 2004 અને 2009માં બે વખત ચૂંટણી જીત્યા હતા, 2014માં ભાજપના દિલીપભાઈ પટેલ સામે તેઓ આણંદ બેઠક પર હારી ગયા હતા.

ભરતસિંહ સોલંકી
ભરતસિંહ સોલંકી
ભાજપે કોંગ્રેસના 8 ધારાસભ્યોના રાજીનામા તો પડાવી લીધા છે, તેમ છતાં હજુ ક્રોસ વોટિંગનો ડર છે, જેથી ભાજપે ત્રણ બેઠક જીતવા માટે ભારતીય ટ્રાયબલ પાર્ટી(બીટીપી)ના 2 ધારાસભ્યો અને એનસીપીના 1 ધારાસભ્યના વોટ મેળવવા પડે. અત્યારે કોંગ્રેસે તમામ ધારાસભ્યોને અલગ-અલગ રીસોર્ટમાં રાખ્યા છે અને એકપણ ધારાસભ્ય આઘોપાછો ન થાય તેવી કાળજી લેવાઈ રહી છે. રીસોર્ટમાં બેઠકોનો દોર ચાલુ છે અને સાથે બીટીપી અને એનસીપી સાથે પણ ચર્ચા ચાલુ કરી છે. હવે કોણ કોની તરફ ઝુકે છે તેના પર રાજ્યસભાની ચૂંટણીના પરિણામનો આધાર છે. કોરોનાના કહેર વચ્ચે ગાંધીનગરમાં રાજકારણ ગરમાયું છે. રાજ્યસભાની ચૂંટણી પહેલા ધારાસભ્યોની ખરીદી ટોક ઓફ ધ ટાઉન છે. ભાજપ હજુ કોંગ્રેસના ધારાસભ્યોને પાડવાની કોશિષમાં છે અને કોંગ્રેસ હવે ડેમેજ થવા દેવા તેમ નથી. એક તરફ કોંગ્રેસ બેઠી થઈ રહી છે, ત્યારે કોંગ્રેસના કેટલાક અસંતોષી ધારાસભ્યો ભાજપમાં જોડાઈ રહ્યા છે. કોંગ્રેસ છોડીને ગયેલા ધારાસભ્યો કોંગ્રેસ પ્રત્યે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. પણ એટલી હદે ખરાબ સ્થિતિ પણ નથી. જો કે સત્તા આગળ શાણપણ નકામુ અને સત્તા હોય ત્યાં મધમાખીઓ ખેંચાઈ આવે તે ન્યાયે હાલ ભાજપ તેની દરેક ચાલમાં સફળ થઈ રહ્યું છે.


- ભરત પંચાલ, બ્યૂરો ચીફ, અમદાવાદનો વિશેષ અહેવાલ

અમદાવાદ : રાજ્યસભાની ચૂંટણીની નવી તારીખ 19 જૂન જેવી જાહેર થઈ કે તુરંત ગાંધીનગરમાં ફરીથી રાજકારણ ગરમાયું. અગાઉ જ્યારે ચૂંટણીની તારીખ 26 માર્ચ હતી, ત્યારે તે પહેલા કોંગ્રેસના પાંચ ધારાસભ્યોએ રાજીનામા આપ્યા હતા અને નવી તારીખ જાહેર થઈ ત્યારબાદ બીજા ત્રણ ધારાસભ્યોએ રાજીનામા આપ્યા. આમ, કોંગ્રેસના 8 ધારાસભ્યો ખડી પડતા રાજ્યસભાની ચૂંટણીનું ચિત્ર બદલાઈ ગયું છે. ભાજપના ત્રણેય ઉમેદવારોની જીત નિશ્રિત થઈ ચુકી છે, પણ સવાલ એ છે કે કોંગ્રેસના બે સીનીયર નેતાઓમાંથી કોંગ્રેસના ધારાસભ્યો કયા નેતાને પસંદ કરે છે, તે 19 જૂનના પરિણામના દિવસે ખબર પડશે. પણ એક વાત નક્કી છે કે શક્તિસિંહ ગોહિલ પ્રથમ ક્રમે ફોર્મ ભરનાર હતા, જેથી તેઓ બેલેટ પેપરમાં પ્રથમ નામ ધરાવતા હશે અને મત મેળવવામાં પ્રથમ હશે. પણ આ તો ચૂંટણી છે કંઈ કહેવાય નહી. કોંગ્રેસના ધારાસભ્યોને મોવડીમંડળમાંથી વ્હીપ અપાય તેવું પણ બને અને ન અપાય તો ધારાસભ્યો નક્કી કરશે કે રાજ્યસભામાં કોણ વધુ સારુ પર્ફોમન્સ આપી શકે છે? અથવા તો કોની લોકપ્રિયતા વધારે છે? રાજ્યસભામાં કોંગ્રેસના બે ઉમેદવારોમાંથી કોણ જીતશે, તે અંગે પ્રદેશ કોંગ્રેસના સભ્યોએ પ્રતિક્રિયા આપવાનો ઈન્કાર કર્યો હતો. જો કે આ અગાઉ પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમીત ચાવડાએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે કોંગ્રેસ બન્ને બેઠકો જીતશે, અમે તેના પરની રણનિતી તૈયાર કરી છે.

શક્તિસિંહ ગોહિલ


શક્તિસિંહ હરીશચંદ્રસિંહજી ગોહિલ તેઓ જૂના કોંગ્રેસી નેતા છે. હાલ તેઓ બિહારના પક્ષ પ્રભારી છે અને તાજેતરમાં તેમને દિલ્હીનો ચાર્જ સોંપાયો છે. તેઓ ઑલ ઈન્ડિયા કોંગ્રેસના નેશનલ પ્રવકતા છે. શક્તિસિંહ 1991થી 1995 દરમિયાન સતત બે રાજ્ય સરકારમાં નાણાં, આરોગ્ય, શિક્ષણ અન નર્મદાપ્રધાન બની ચુક્યા છે. 2007થી 2012 સુધી તેઓ ગુજરાત વિધાનસભામાં વિરોધી પક્ષના નેતા હતા. શક્તિસિંહ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની બિલકુલ નજીકના અને વિશ્વાસુ નેતા છે, જેથી કેન્દ્રીય લેવલે શક્તિસિંહ ગોહિલ રાજ્યસભામાં જાય તેવું ઈચ્છી રહ્યા છે. તેની સાથે ભરતસિંહ પણ રાહુલ ગાંધીની વિશ્વાસુ નેતા તરીકેની છાપ ધરાવે છે.

શક્તિસિંહ ગોહિલ
શક્તિસિંહ ગોહિલ
ભરતસિંહ સોલંકી

ભરતસિંહ માધવસિંહ સોલંકીએ ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન માધવસિંહ સોલંકીના સુપુત્ર છે. જેથી ભરતસિંહ ખૂબ જૂના કોંગ્રેસી નેતા છે. તેઓ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ પણ રહી ચુક્યા છે. ભરતસિંહ 2014 સુધી વડાપ્રધાન મનમોહન સિંહની સરકારમાં ડ્રિન્કીંગ વોટર અને સ્વચ્છતાના રાજ્યકક્ષાના(સ્વતંત્ર હવાલો)ના રાજ્યપ્રધાન હતા, તેની અગાઉ તેઓ પાવર રાજ્યકક્ષાના પ્રધાન હતા. તેની અગાઉ 2004થી 2006 દરમિયાન તેઓ ઑલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીમાં સેક્રેટરી તરીકે ફરજ બજાવી ચુક્યા છે. 2004 અને 2009માં બે વખત ચૂંટણી જીત્યા હતા, 2014માં ભાજપના દિલીપભાઈ પટેલ સામે તેઓ આણંદ બેઠક પર હારી ગયા હતા.

ભરતસિંહ સોલંકી
ભરતસિંહ સોલંકી
ભાજપે કોંગ્રેસના 8 ધારાસભ્યોના રાજીનામા તો પડાવી લીધા છે, તેમ છતાં હજુ ક્રોસ વોટિંગનો ડર છે, જેથી ભાજપે ત્રણ બેઠક જીતવા માટે ભારતીય ટ્રાયબલ પાર્ટી(બીટીપી)ના 2 ધારાસભ્યો અને એનસીપીના 1 ધારાસભ્યના વોટ મેળવવા પડે. અત્યારે કોંગ્રેસે તમામ ધારાસભ્યોને અલગ-અલગ રીસોર્ટમાં રાખ્યા છે અને એકપણ ધારાસભ્ય આઘોપાછો ન થાય તેવી કાળજી લેવાઈ રહી છે. રીસોર્ટમાં બેઠકોનો દોર ચાલુ છે અને સાથે બીટીપી અને એનસીપી સાથે પણ ચર્ચા ચાલુ કરી છે. હવે કોણ કોની તરફ ઝુકે છે તેના પર રાજ્યસભાની ચૂંટણીના પરિણામનો આધાર છે. કોરોનાના કહેર વચ્ચે ગાંધીનગરમાં રાજકારણ ગરમાયું છે. રાજ્યસભાની ચૂંટણી પહેલા ધારાસભ્યોની ખરીદી ટોક ઓફ ધ ટાઉન છે. ભાજપ હજુ કોંગ્રેસના ધારાસભ્યોને પાડવાની કોશિષમાં છે અને કોંગ્રેસ હવે ડેમેજ થવા દેવા તેમ નથી. એક તરફ કોંગ્રેસ બેઠી થઈ રહી છે, ત્યારે કોંગ્રેસના કેટલાક અસંતોષી ધારાસભ્યો ભાજપમાં જોડાઈ રહ્યા છે. કોંગ્રેસ છોડીને ગયેલા ધારાસભ્યો કોંગ્રેસ પ્રત્યે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. પણ એટલી હદે ખરાબ સ્થિતિ પણ નથી. જો કે સત્તા આગળ શાણપણ નકામુ અને સત્તા હોય ત્યાં મધમાખીઓ ખેંચાઈ આવે તે ન્યાયે હાલ ભાજપ તેની દરેક ચાલમાં સફળ થઈ રહ્યું છે.


- ભરત પંચાલ, બ્યૂરો ચીફ, અમદાવાદનો વિશેષ અહેવાલ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.