ETV Bharat / state

રાજ્યના મહેસુલ પ્રધાન કૌશિક પટેલે પોતાના પરિવાર સાથે મતદાન કર્યું - મહેસુલ પ્રધાન કૌશિક પટેલ

મહાનગરપાલિકાની ચૂંટણીમાં મતદારોનો ઉત્સાહ જોવા મળ્યો છે. સવારના સાત વાગ્યાથી મતદારો વિવિધ વિસ્તારોમાં વહેલી સવારે મતદાન કરવા આવી રહ્યા છે. મતદારો પોતોના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યાં છે. ત્યારે રાજ્યના મહેસુલ પ્રધાન કૌશિક પટેલે પોતાના પરિવાર સાથે આવીને મતદાન કર્યું હતું.

કૌશિક પટેલે કર્યું મતદાન
કૌશિક પટેલે કર્યું મતદાન
author img

By

Published : Feb 21, 2021, 11:07 AM IST

  • થલતેજ ખાતે આવેલી યુટોપિયા સ્કૂલ ખાતે મતદાન શરૂ
  • રાજ્યના મહેસુલ પ્રધાન કૌશિક પટેલે પોતાના પરિવાર સાથે આવીને મતદાન કર્યું
  • મતાધિકારના ઉપયોગ કરી લોકશાહીના આ મહાપર્વને મનાવવાની અપીલ કરી

અમદાવાદ : આજે રવિવારે સવારે થલતેજ ખાતે આવેલી યુટોપિયા સ્કૂલ ખાતે મતદાન શરૂ કરવામાં આવ્યું હતું. રાજ્યના મહેસુલ પ્રધાન કૌશિક પટેલે પોતાના પરિવાર સાથે આવીને મતદાન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, દરેક લોકોએ પોતાનો મત આપવો જોઈએ અને મતાધિકારના ઉપયોગ સાથે કોર્પોરેશનમાં યોગ્ય ઉમેદવારને જીતાડીને લોકશાહીના આ મહાપર્વને મનાવવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, રવિવારે આજે પૂરો દિવસ તેઓ તેમના નારણપુરા ખાતેના કાર્યાલયથી કાર્યકર્તાઓ સાથે મળીને લોકોને મત આપવા માટે પ્રોત્સાહિત અને અપીલ કરશે.


1 હજાર 188 અતિ સંવેદનશીલ મતદાન મથક
અમદાવાદના 144 વોર્ડમાં 11 હજાર 121 મતદાન મથક છે. જે પૈકી 2 હજાર 255 મતદાન મથક સંવેદનશીલ અને 1 હજાર 188 અતિ સંવેદનશીલ મતદાન મથક છે. કોરોનાને ધ્યાને રાખીને PPE કીટ, હેન્ડ સેનિટાઇઝર, હેન્ડ ગ્લોવ્ઝ, ફેસ માસ્ક તેમજ થર્મલ ગન સહિતની જરૂરી સામગ્રી પણ કર્મચારીઓને આપવામાં આવી છે.

કૌશિક પટેલે કર્યું મતદાન

  • થલતેજ ખાતે આવેલી યુટોપિયા સ્કૂલ ખાતે મતદાન શરૂ
  • રાજ્યના મહેસુલ પ્રધાન કૌશિક પટેલે પોતાના પરિવાર સાથે આવીને મતદાન કર્યું
  • મતાધિકારના ઉપયોગ કરી લોકશાહીના આ મહાપર્વને મનાવવાની અપીલ કરી

અમદાવાદ : આજે રવિવારે સવારે થલતેજ ખાતે આવેલી યુટોપિયા સ્કૂલ ખાતે મતદાન શરૂ કરવામાં આવ્યું હતું. રાજ્યના મહેસુલ પ્રધાન કૌશિક પટેલે પોતાના પરિવાર સાથે આવીને મતદાન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, દરેક લોકોએ પોતાનો મત આપવો જોઈએ અને મતાધિકારના ઉપયોગ સાથે કોર્પોરેશનમાં યોગ્ય ઉમેદવારને જીતાડીને લોકશાહીના આ મહાપર્વને મનાવવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, રવિવારે આજે પૂરો દિવસ તેઓ તેમના નારણપુરા ખાતેના કાર્યાલયથી કાર્યકર્તાઓ સાથે મળીને લોકોને મત આપવા માટે પ્રોત્સાહિત અને અપીલ કરશે.


1 હજાર 188 અતિ સંવેદનશીલ મતદાન મથક
અમદાવાદના 144 વોર્ડમાં 11 હજાર 121 મતદાન મથક છે. જે પૈકી 2 હજાર 255 મતદાન મથક સંવેદનશીલ અને 1 હજાર 188 અતિ સંવેદનશીલ મતદાન મથક છે. કોરોનાને ધ્યાને રાખીને PPE કીટ, હેન્ડ સેનિટાઇઝર, હેન્ડ ગ્લોવ્ઝ, ફેસ માસ્ક તેમજ થર્મલ ગન સહિતની જરૂરી સામગ્રી પણ કર્મચારીઓને આપવામાં આવી છે.

કૌશિક પટેલે કર્યું મતદાન
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.