ETV Bharat / state

અમદાવાદ વેપારી સાથે લૂંટ મામલે પોલીસે 2 શકમંદના સ્કેચ જાહેર કર્યા - અમદાવાદ અંજલી બ્રિજ પર લૂંટ

અમદાવાદ: મુંબઈથી એક વેપારી 21 નવેમ્બરના રોજ ધંધાર્થે અમદાવાદ આવ્યો હતો અને ત્યાં તેને લૂંટી લેવાયો હતો. પહેલા નારોલ શાસ્ત્રી બ્રિજ ચેકપોસ્ટ પર પોલીસે વેપારી પાસેથી 25 હજાર રૂપિયાનો તોડ કર્યો હતો. બાદમાં અંજલી બ્રિજ પર ચેકિંગના બહાને 65 લાખનું સોનુ લૂંટી શખ્સો ફરાર થઈ ગયા હતા. આ મામલે પોલીસને અનેક શંકા છે, ત્યારે આરોપીને ઝડપવા માટે પોલીસે સ્કેચ જાહેર કર્યા હતા.

etv bharat
author img

By

Published : Nov 24, 2019, 12:46 AM IST

મુંબઈમાં રહેતા નવીનભાઈ સિંધવી સોનું લઈને અમદાવાદ આવતા હતા ત્યારે નારોલ શાસ્ત્રી બ્રિજ ચેકપોસ્ટ પર તેમની બસ રોકી પોલીસે તપાસ કરી હતી અને તપાસ કરતા મોટા પ્રમાણમાં સોનું મળી આવ્યું હતું. આ બાબતે વેપારીએ પુરાવા પણ આપ્યા હતા. નવીનભાઈના જણાવ્યા મુજબ ચેકપોસ્ટ પર હાજર એક કોન્સ્ટેબલ અને ચાર કે પાંચ હોમગાર્ડ જવાનોએ તેમની પાસે 4 લાખ રૂપિયા માગ્યા હતાં. બાદમાં બે લાખની માગણી કરી 25 હજાર રૂપિયા લઈને વેપારીને જવા દીધા હતા અને અંજલી બ્રિજ પર ચેકિંગના બહાને બે લોકોએ વેપારી પાસે રહેલું 65 લાખનું સોનું લૂંટી લીધું હતું.

ફરિયાદીએ અલગ-અલગ થિયરી કહેતા પોલીસ પણ મૂંઝવણમાં મુકાઈ હતી. તો બીજી તરફ જે પોલીસકર્મીઓ પર આક્ષેપ થઈ રહ્યા છે. તેની તપાસ એસીપી કરી રહ્યી છે. બીજી તરફ પોલીસે લૂંટની દિશામાં તપાસ કરીને બે શકમંદોના સ્કેચ જાહેર કર્યા હતા. સ્કેચ બાબતે પોલીસે આશંકા વ્યક્ત કરી હતી કે, ઇરાની ગેંગે આ ગુનો આચર્યો હોઈ શકે છે. સ્કેચના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

મુંબઈમાં રહેતા નવીનભાઈ સિંધવી સોનું લઈને અમદાવાદ આવતા હતા ત્યારે નારોલ શાસ્ત્રી બ્રિજ ચેકપોસ્ટ પર તેમની બસ રોકી પોલીસે તપાસ કરી હતી અને તપાસ કરતા મોટા પ્રમાણમાં સોનું મળી આવ્યું હતું. આ બાબતે વેપારીએ પુરાવા પણ આપ્યા હતા. નવીનભાઈના જણાવ્યા મુજબ ચેકપોસ્ટ પર હાજર એક કોન્સ્ટેબલ અને ચાર કે પાંચ હોમગાર્ડ જવાનોએ તેમની પાસે 4 લાખ રૂપિયા માગ્યા હતાં. બાદમાં બે લાખની માગણી કરી 25 હજાર રૂપિયા લઈને વેપારીને જવા દીધા હતા અને અંજલી બ્રિજ પર ચેકિંગના બહાને બે લોકોએ વેપારી પાસે રહેલું 65 લાખનું સોનું લૂંટી લીધું હતું.

ફરિયાદીએ અલગ-અલગ થિયરી કહેતા પોલીસ પણ મૂંઝવણમાં મુકાઈ હતી. તો બીજી તરફ જે પોલીસકર્મીઓ પર આક્ષેપ થઈ રહ્યા છે. તેની તપાસ એસીપી કરી રહ્યી છે. બીજી તરફ પોલીસે લૂંટની દિશામાં તપાસ કરીને બે શકમંદોના સ્કેચ જાહેર કર્યા હતા. સ્કેચ બાબતે પોલીસે આશંકા વ્યક્ત કરી હતી કે, ઇરાની ગેંગે આ ગુનો આચર્યો હોઈ શકે છે. સ્કેચના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Intro:અમદાવાદ:21 નવેમ્બરે એક વેપારી કે મુંબઈથી ધંધાર્થે અમદાવાદ આવ્યા હતા તેને લૂંટી લેવાયા હતા. પહેલા નારોલ શાસ્ત્રી બ્રિજ ચેકપોસ્ટ પર પોલીસે વેપારી પાસેથી 25 હજાર રૂપિયાનો તોડ કર્યો હતો. બાદમાં અંજલી બ્રિજ પર ચેકિંગના બહાને 65 લાખનું સોનુ લૂંટી શખ્સો ફરાર થઈ ગયા હતા. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. આ મામલે પોલીસને અનેક શંકા છે ત્યારે આરોપીને ઝડપવા માટે પોલીસે સ્કેચ જાહેર કર્યા છે.Body:વિગતે વાત કરીએ તો મુંબઈમાં રહેતા નવીનભાઈ સિંધવી સોનું લઈને અમદાવાદ આવતા હતા. નારોલ શાસ્ત્રી બ્રિજ ચેકપોસ્ટ પર તેમની બસ રોકી પોલીસે તપાસ કરી હતી. પોલીસે તપાસ કરતા મોટા પ્રમાણમાં સોનું મળી આવ્યું હતું. આ બાબતે વેપારીએ પુરાવા પણ આપ્યા હતા. નવીનભાઈના જણાવ્યા મુજબ ચેકપોસ્ટ પર હાજર એક કોન્સ્ટેબલ અને ચાર કે પાંચ હોમગાર્ડ જવાનોએ તેમની પાસે 4 લાખ રૂપિયા માંગ્યા હતાં. બાદમાં બે લાખની માંગણી કરી 25 હજાર રૂપિયા લઈને વેપારીને જવા દીધા હતા. બાદમાં અંજલી બ્રિજ પર ચેકિંગના બહાને બે લોકોએ વેપારી પાસે રહેલું 65 લાખનું સોનું લૂંટી લીધું હતું.


ફરિયાદીએ અલગ અલગ થિયરી કહેતા પોલીસ પણ મૂંઝવણમાં મુકાઈ છે તો બીજી તરફ જે પોલીસકર્મીઓ પર આક્ષેપ થઈ રહ્યા છે તેની તપાસ એસીપી કરી રહ્યા છે. બીજી તરફ પોલીસે લૂંટની દિશામાં તપાસ કરીને બે શકમંદોના સ્કેચ જાહેર કર્યા છે. સ્કેચ બાબતે પોલીસે આશંકા વ્યક્ત કરી છે કે ઇરાની ગેંગે આ ગુનો આચર્યો હોઈ શકે છે. સ્કેચના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.