ETV Bharat / state

PM મોદીના ભાઈ પ્રહલાદ મોદીની ગુજરાત સરકારને ચીમકી, ગુજરાત ફેર પ્રાઈસ શોપ્સ મામલે લડતની હાકલ

ગુજરાત ફેર પ્રાઈસ શોપ્સ એન્ડ કેરોસીન લાયસન્સ હોલ્ડર એસોસિએશનએ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. એસોશિએશનના પ્રમુખ પ્રહલાદ મોદીએ કહ્યું હતું કે, રેશન દુકાનદારોને વગર પગારે ટીડીએસ કાપી લીધો છે, જેથી લડત આપવા હાકલ કરી છે.

author img

By

Published : Mar 6, 2021, 9:16 AM IST

PM મોદીના ભાઈ પ્રહલાદ મોદીની ગુજરાત સરકારને ચીમકી
PM મોદીના ભાઈ પ્રહલાદ મોદીની ગુજરાત સરકારને ચીમકી
  • રેશનિંગ દુકાનદારોના પડતર પ્રશ્નો ઉકેલવા માંગ
  • પુરવઠા વિભાગના અધિકારીઓ સાંભળતા નથી: મોદી
  • આંદોલન થશે તો CM અને ડેપ્યુટી CM જવાબદાર

અમદાવાદ: ગુજરાત ફેર પ્રાઈસ શોપ્સ એન્ડ કેરોસીન લાયસન્સ હોલ્ડર એસોસિએશનના પ્રમુખ પ્રહલાદ મોદીએ રેશનિંગ દુકાનકારોના પડતર પ્રશ્નોને લઈને રાજ્ય સરકાર વિરુદ્ધ આંદોલન કરવાની ચીમકી આપી છે. પુરવઠા વિભાગે રેશનિંગ દુકાનદારોની પડતર માંગણીઓને ઉકેલી નથી. જેથી આગામી સમયમાં લડત આપવા હાકલ કરી છે.

1 રૂપિયના કમિશન પર TDS કાપ્યો

રાજ્ય સરકારે તુવેરદાળ રૂપિયા 39ના ભાવે ખરીદી કરે અને 61 રુપિયાના ભાવે રેશનકાર્ડ ધારકોને વિતરણ કરવાની દુકાનદારોને સુચના આપે છે અને નહિવત એક કિલોએ એક રુપિયો જ કમિશન આપી અન્યાય કરે તે એસોસિએસન સાંખી નહીં લે. રેશનિંગના દુકાનદારોને અપાતાં કમિશન ઉપર TDS કાપી લેવાતા એસોસિએશને સરકાર સામે આંદોલનના એંધાણ આપ્યા છે. જ્યારે ગોદામમાં વિનામુલ્યે ચણાનો જથ્થો તો ઉપલબ્ધ છે, પરંતુ ગાંધીનગરથી સેમ્પલ પાસ ન થતાં આગામી 8 માર્ચે રાજ્યભરમાં વિતરણ સમયસર શરુ થઈ નહિ શકે તેવી ભીતિ છે.

PM મોદીના ભાઈ પ્રહલાદ મોદીની ગુજરાત સરકારને ચીમકી

વાંચો: કલેકટર દ્વારા વાજબી ભાવની દુકાનને પાઠવેલી શો-કોઝ નોટિસ પરત ખેંચવાનો હાઈકોર્ટે આદેશ કર્યો

રેશનિંગના દુકાનદારોને અન્યાય કયા સુધી?

ગુજરાત ફેર પ્રાઈસ એસોસિએશનના પ્રમુખ પ્રહલાદ મોદીએ કહ્યું હતું કે, કોવિડ 19ની કપરી પરિસ્થિતિમાં રેશનિંગના દુકાનકારોએ ખૂબ સરસ કામ કર્યું હતું. CM અને ડેપ્યુટી CM તરફથી અભિનંદન મળ્યા પણ, બજેટમાં એક રૂપિયો પણ અમને ફાળવ્યો નથી. કમિશનમાં કોઈ વધારો કર્યો નથી. ઉલ્ટાનું કમિશન પર ટીડીએસ કાપી લીધો છે. સરકાર રેશનિંગ દુકાનદારો સામે અન્યાય ક્યા સુધી કરશે. કોરોનામાં રેશનિંગ દુકાનદારોનું નિધન થયા હતા, તો તેમને પણ સહાય નથી આપી. પ્રહલાદ મોદીએ વધુમાં કહ્યું હતું કે, જો રાજ્ય સરકાર આ બાબતે ધ્યાન નહી આપે તો અમે ઉગ્ર આંદોલન કરીશું. તેના માટે CM રૂપાણી અને ડેપ્યુટી સીએમ નીતિન પટેલ જવાબદાર રહેશે.

  • રેશનિંગ દુકાનદારોના પડતર પ્રશ્નો ઉકેલવા માંગ
  • પુરવઠા વિભાગના અધિકારીઓ સાંભળતા નથી: મોદી
  • આંદોલન થશે તો CM અને ડેપ્યુટી CM જવાબદાર

અમદાવાદ: ગુજરાત ફેર પ્રાઈસ શોપ્સ એન્ડ કેરોસીન લાયસન્સ હોલ્ડર એસોસિએશનના પ્રમુખ પ્રહલાદ મોદીએ રેશનિંગ દુકાનકારોના પડતર પ્રશ્નોને લઈને રાજ્ય સરકાર વિરુદ્ધ આંદોલન કરવાની ચીમકી આપી છે. પુરવઠા વિભાગે રેશનિંગ દુકાનદારોની પડતર માંગણીઓને ઉકેલી નથી. જેથી આગામી સમયમાં લડત આપવા હાકલ કરી છે.

1 રૂપિયના કમિશન પર TDS કાપ્યો

રાજ્ય સરકારે તુવેરદાળ રૂપિયા 39ના ભાવે ખરીદી કરે અને 61 રુપિયાના ભાવે રેશનકાર્ડ ધારકોને વિતરણ કરવાની દુકાનદારોને સુચના આપે છે અને નહિવત એક કિલોએ એક રુપિયો જ કમિશન આપી અન્યાય કરે તે એસોસિએસન સાંખી નહીં લે. રેશનિંગના દુકાનદારોને અપાતાં કમિશન ઉપર TDS કાપી લેવાતા એસોસિએશને સરકાર સામે આંદોલનના એંધાણ આપ્યા છે. જ્યારે ગોદામમાં વિનામુલ્યે ચણાનો જથ્થો તો ઉપલબ્ધ છે, પરંતુ ગાંધીનગરથી સેમ્પલ પાસ ન થતાં આગામી 8 માર્ચે રાજ્યભરમાં વિતરણ સમયસર શરુ થઈ નહિ શકે તેવી ભીતિ છે.

PM મોદીના ભાઈ પ્રહલાદ મોદીની ગુજરાત સરકારને ચીમકી

વાંચો: કલેકટર દ્વારા વાજબી ભાવની દુકાનને પાઠવેલી શો-કોઝ નોટિસ પરત ખેંચવાનો હાઈકોર્ટે આદેશ કર્યો

રેશનિંગના દુકાનદારોને અન્યાય કયા સુધી?

ગુજરાત ફેર પ્રાઈસ એસોસિએશનના પ્રમુખ પ્રહલાદ મોદીએ કહ્યું હતું કે, કોવિડ 19ની કપરી પરિસ્થિતિમાં રેશનિંગના દુકાનકારોએ ખૂબ સરસ કામ કર્યું હતું. CM અને ડેપ્યુટી CM તરફથી અભિનંદન મળ્યા પણ, બજેટમાં એક રૂપિયો પણ અમને ફાળવ્યો નથી. કમિશનમાં કોઈ વધારો કર્યો નથી. ઉલ્ટાનું કમિશન પર ટીડીએસ કાપી લીધો છે. સરકાર રેશનિંગ દુકાનદારો સામે અન્યાય ક્યા સુધી કરશે. કોરોનામાં રેશનિંગ દુકાનદારોનું નિધન થયા હતા, તો તેમને પણ સહાય નથી આપી. પ્રહલાદ મોદીએ વધુમાં કહ્યું હતું કે, જો રાજ્ય સરકાર આ બાબતે ધ્યાન નહી આપે તો અમે ઉગ્ર આંદોલન કરીશું. તેના માટે CM રૂપાણી અને ડેપ્યુટી સીએમ નીતિન પટેલ જવાબદાર રહેશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.