ETV Bharat / state

અમદાવાદ જિલ્લામાં કોરોનાના વધુ 140 પોઝિટિવ કેસ નોંધાયા

author img

By

Published : May 19, 2020, 10:26 PM IST

અમદાવાદ શહેરમાં કોરોનાનો વ્યાપ વધી રહ્યો છે, ત્યારે ગ્રામ્ય વિસ્તાર અને જિલ્લામાં તેની અસર જોવા મળી રહી છે. અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં મંગળવારે સાંજ સુધીમાં નવા 3 કેસ પોઝિટિવ નોંધાતા કુલ આંકડો 140 પર પહોંચ્યો છે.

Ahmedabad
coronavirus

અમદાવાદઃ અમદાવાદ જિલ્લામાં ધોળકા તાલુકામાં શનિવારે નવા ત્રણ કોરોના પોઝિટિવ કેસ સામે આવતા આંકડો વધીને 59 પર પહોંચ્યો છે. જ્યારે દસ્ક્રોઇ તાલુકામાં કોરોનાના 55 પોઝિટિવ કેસ નોંધાયા છે. ધોળકા તાલુકાની વાત કરવામાં આવે તો કેડીલા ફાર્માસ્યુટિકલમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ પોઝિટિવ આવ્યા બાદ બદરખા ગામમાં કેસ નોંધાતા આટલા કેસ વધ્યા છે.

જોકે મૂળ ધોળકા શહેરમાં કોરોના આટલી હદે ફેલાયું નથી. વર્તમાન પરિસ્થિતિ પ્રમાણે અમદાવાદ જિલ્લાના સાણંદમાં 12, બાવળા- 5 ધંધુકા 4, વિરમગામ 04, અને માંડલ તાલુકામાં 01 કેસ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા નથી. જિલ્લામાં કોરોનાથી વધુ 7 દર્દીઓના મોત થયાં છે.

અમદાવાદના ગ્રામીણ અને જિલ્લામાં 8 ચેક પોસ્ટ ઉભી કરાઈ છે, જેમાં 1.69 લાખ લોકોનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું છે. જે પૈકી શંકાસ્પદ લાગતા 27 લોકોને નજીકના કોરોના હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતાં. છેલ્લા 24 કલાકમાં 25 હજાર જેટલા ઘરોનું સર્વિલાન્સ કરવામાં આવ્યું છે. ગત સોમવારે દસ્ક્રોઈ તાલુકામાં નવા 8 કેસ પોઝિટિવ આવતા કુલ આંકડો 54 પર પહોંચ્યો હતો. અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં સેનેટાઇઝેશન કરવા માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સેનેટાઇઝેશન ટેન્કનો ઉપયોગ કરવામાં આવી રહ્યું છે.

મોટાભાગના કેસ અમદાવાદ ગ્રામ્ય બોપલ, ઇન્દિરાનગર, ધોળકા સહિતના વિસ્તારોમાં નોંધાયા છે. ધોળકામાં 59 અને સાણંદમાં 12 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. નોંધનીય છે કે આ વિસ્તારોમાં કોરોનાને ફેલાવતા અટકાવવા માટે તંત્ર દ્વારા માસ સેનિટાઈઝેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં આશરે 87 હજાર જેટલા ઘરોને સેનિટાઈઝ કરવામાં આવ્યાં હતાં.

અમદાવાદઃ અમદાવાદ જિલ્લામાં ધોળકા તાલુકામાં શનિવારે નવા ત્રણ કોરોના પોઝિટિવ કેસ સામે આવતા આંકડો વધીને 59 પર પહોંચ્યો છે. જ્યારે દસ્ક્રોઇ તાલુકામાં કોરોનાના 55 પોઝિટિવ કેસ નોંધાયા છે. ધોળકા તાલુકાની વાત કરવામાં આવે તો કેડીલા ફાર્માસ્યુટિકલમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ પોઝિટિવ આવ્યા બાદ બદરખા ગામમાં કેસ નોંધાતા આટલા કેસ વધ્યા છે.

જોકે મૂળ ધોળકા શહેરમાં કોરોના આટલી હદે ફેલાયું નથી. વર્તમાન પરિસ્થિતિ પ્રમાણે અમદાવાદ જિલ્લાના સાણંદમાં 12, બાવળા- 5 ધંધુકા 4, વિરમગામ 04, અને માંડલ તાલુકામાં 01 કેસ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા નથી. જિલ્લામાં કોરોનાથી વધુ 7 દર્દીઓના મોત થયાં છે.

અમદાવાદના ગ્રામીણ અને જિલ્લામાં 8 ચેક પોસ્ટ ઉભી કરાઈ છે, જેમાં 1.69 લાખ લોકોનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું છે. જે પૈકી શંકાસ્પદ લાગતા 27 લોકોને નજીકના કોરોના હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતાં. છેલ્લા 24 કલાકમાં 25 હજાર જેટલા ઘરોનું સર્વિલાન્સ કરવામાં આવ્યું છે. ગત સોમવારે દસ્ક્રોઈ તાલુકામાં નવા 8 કેસ પોઝિટિવ આવતા કુલ આંકડો 54 પર પહોંચ્યો હતો. અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં સેનેટાઇઝેશન કરવા માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સેનેટાઇઝેશન ટેન્કનો ઉપયોગ કરવામાં આવી રહ્યું છે.

મોટાભાગના કેસ અમદાવાદ ગ્રામ્ય બોપલ, ઇન્દિરાનગર, ધોળકા સહિતના વિસ્તારોમાં નોંધાયા છે. ધોળકામાં 59 અને સાણંદમાં 12 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. નોંધનીય છે કે આ વિસ્તારોમાં કોરોનાને ફેલાવતા અટકાવવા માટે તંત્ર દ્વારા માસ સેનિટાઈઝેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં આશરે 87 હજાર જેટલા ઘરોને સેનિટાઈઝ કરવામાં આવ્યાં હતાં.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.