અમદાવાદઃ શહેરના મેયર જણાવ્યું હતું કે, અમદાવાદમાં કોરોના વાઈરસના પોઝિટિવ કેસને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ચાંપતી નજર રાખી રહ્યું છે. તેમજ આવનારા સમયમાં જીવન જરૂરિયાતની તમામ ચીજવસ્તુઓ બજારમાં મળશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 22 માર્ચના રોજ જે જનતા કરફ્યુની વાત કરી છે. તેને આપણે સૌ શહેરીજનો વધાવીએ અને ઘરમાં જ રહીને કોરોના વાયરસને અટકાવવામાં મદદરૂપ થઈએ.
કોરોના વાઈરસ સંદર્ભે અમદાવાદ શહેરના નાગરિકોને મેયરનું સંબોધન
અમદાવાદ શહેરના પ્રથમ વ્યક્તિ તરીકે મેયર બિજલ પટેલે કોરોના વાઈરસ સંદર્ભે શહેરના લોકોને સંબોધન કર્યું હતું. જેમાં તેમણે લોકોને અફવાઓથી દૂર રહેવા અને બિનજરૂરી ઘરની બહાર નીકળવાનું ટાળવા કહ્યું હતું.
કોરોના વાયરસ સંદર્ભે અમદાવાદ શહેરના નાગરિકોને મેયરનું સંબોધન
અમદાવાદઃ શહેરના મેયર જણાવ્યું હતું કે, અમદાવાદમાં કોરોના વાઈરસના પોઝિટિવ કેસને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ચાંપતી નજર રાખી રહ્યું છે. તેમજ આવનારા સમયમાં જીવન જરૂરિયાતની તમામ ચીજવસ્તુઓ બજારમાં મળશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 22 માર્ચના રોજ જે જનતા કરફ્યુની વાત કરી છે. તેને આપણે સૌ શહેરીજનો વધાવીએ અને ઘરમાં જ રહીને કોરોના વાયરસને અટકાવવામાં મદદરૂપ થઈએ.