ETV Bharat / state

અમદાવાદના રાયપુર ચકલા પાસે ફૂલોથી જગતના નાથ ભગવાન જગન્નાથનું સ્વાગત કરાયું

author img

By

Published : Jul 12, 2021, 10:42 AM IST

અમદાવાદમાં ભગવાન જગન્નાથ (Lord Jagannath)ની રથયાત્રા પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કોટ વિસ્તારમાંથી ભગવાન શ્રી જગન્નાથ (Lord Jagannath)ની રથયાત્રા શાંતિમય રીતે પસાર થઈ રહી છે. લોકોએ કરફ્યૂનું પાલન કરીને ભગવાન શ્રી જગન્નાથ (Lord Jagannath) તેમજ ભાઈ બલરામ અને બહેન સુભદ્રાનું સ્વાગત હર્ષોલ્લાસથી કર્યું.

ભગવાન જગન્નાથનું સ્વાગત કરાયું
ભગવાન જગન્નાથનું સ્વાગત કરાયું
  • રાયપુર ચકલા વિસ્તારમાં ફૂલોથી ભગવાનનું સ્વાગત કરાયું
  • લોકોએ કરફ્યુનું પાલન કરતા ભગવાનના આશીર્વાદ મેળવ્યા
  • લોકોએ પોલીસને સાથ-સહકાર આપી નાગરિક ધર્મ નિભાવ્યો

અમદાવાદ : પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કોટ વિસ્તારમાંથી ભગવાન શ્રી જગન્નાથ (Lord Jagannath)ની રથયાત્રા શાંતિમય રીતે પસાર થઈ રહી છે. લોકો ઘરેથી જ ભગવાનના દર્શન કરી આશીર્વાદ મેળવી રહ્યા છે. અમદાવાદના કોટ વિસ્તાર એવા રાયપુર ચકલા ખાતે ભગવાન શ્રી જગન્નાથ (Lord Jagannath) તેમજ ભાઈ બલરામ અને બહેન સુભદ્રાનું સ્વાગત લોકોએ હર્ષોલ્લાસથી કર્યું.

આ પણ વાંચો : Jagannath Rathyatra પહેલા ખલાસીઓના કરાયા RT-PCR ટેસ્ટ, 1 વાગ્યા સુધી રથયાત્રા નીજ મંદિર પરત લાવવાના નિર્ણયથી ખલાસીઓ નારાજ

લોકોએ પોલીસને સાથ-સહકાર આપી નાગરિક હોવાનો ધર્મ નિભાવ્યો

લોકોએ પોલીસ સાથે ઘર્ષણ ન કરી કરફ્યુનું ચુસ્તપણે પાલન કર્યું. જે ઘર ભયજનક હતા ત્યાં પણ લોકો ચડવાનો પ્રયાસ ન કરે તે માટે પોલીસ અને મનપા દ્વારા પૂર્ણ રીતે પ્રયાસો કરવામાં આવ્યા હતા. લોકોએ પણ પોલીસને સાથ-સહકાર આપી પોતાનો નાગરિક હોવાનો ધર્મ નિભાવ્યો હતો.

આ પણ વાંચો : 144મી રથયાત્રા પ્રસ્થાન : મુખ્યપ્રધાન રૂપાણીએ કરી પહિન્દ વિધિ, જાણો આ વિધિ શું છે અને કોના હસ્તે કરાય છે ?

લોકોએ ઘરેથી ટીવી ઉપર રથયાત્રાના દર્શન કર્યા

ETV BHARAT સાથે વાતચીત દરમિયાન પૂર્વ ધારાસભ્ય ભૂષણભાઈ ભટ્ટે જણાવ્યું હતું કે, ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ભગવાન નગરચર્યાએ નીકળ્યા એ જ આનંદની વાત છે. લોકોએ પોતાના ઘરેથી ટીવી ઉપર આવતા જીવંત પ્રસારણના માધ્યમથી રથયાત્રાના દર્શન કર્યા. બીજી તરફ ફૂલોથી ભગવાનનું સ્વાગત પણ કરવામાં આવ્યું.
આ પણ વાંચો -

  • રાયપુર ચકલા વિસ્તારમાં ફૂલોથી ભગવાનનું સ્વાગત કરાયું
  • લોકોએ કરફ્યુનું પાલન કરતા ભગવાનના આશીર્વાદ મેળવ્યા
  • લોકોએ પોલીસને સાથ-સહકાર આપી નાગરિક ધર્મ નિભાવ્યો

અમદાવાદ : પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કોટ વિસ્તારમાંથી ભગવાન શ્રી જગન્નાથ (Lord Jagannath)ની રથયાત્રા શાંતિમય રીતે પસાર થઈ રહી છે. લોકો ઘરેથી જ ભગવાનના દર્શન કરી આશીર્વાદ મેળવી રહ્યા છે. અમદાવાદના કોટ વિસ્તાર એવા રાયપુર ચકલા ખાતે ભગવાન શ્રી જગન્નાથ (Lord Jagannath) તેમજ ભાઈ બલરામ અને બહેન સુભદ્રાનું સ્વાગત લોકોએ હર્ષોલ્લાસથી કર્યું.

આ પણ વાંચો : Jagannath Rathyatra પહેલા ખલાસીઓના કરાયા RT-PCR ટેસ્ટ, 1 વાગ્યા સુધી રથયાત્રા નીજ મંદિર પરત લાવવાના નિર્ણયથી ખલાસીઓ નારાજ

લોકોએ પોલીસને સાથ-સહકાર આપી નાગરિક હોવાનો ધર્મ નિભાવ્યો

લોકોએ પોલીસ સાથે ઘર્ષણ ન કરી કરફ્યુનું ચુસ્તપણે પાલન કર્યું. જે ઘર ભયજનક હતા ત્યાં પણ લોકો ચડવાનો પ્રયાસ ન કરે તે માટે પોલીસ અને મનપા દ્વારા પૂર્ણ રીતે પ્રયાસો કરવામાં આવ્યા હતા. લોકોએ પણ પોલીસને સાથ-સહકાર આપી પોતાનો નાગરિક હોવાનો ધર્મ નિભાવ્યો હતો.

આ પણ વાંચો : 144મી રથયાત્રા પ્રસ્થાન : મુખ્યપ્રધાન રૂપાણીએ કરી પહિન્દ વિધિ, જાણો આ વિધિ શું છે અને કોના હસ્તે કરાય છે ?

લોકોએ ઘરેથી ટીવી ઉપર રથયાત્રાના દર્શન કર્યા

ETV BHARAT સાથે વાતચીત દરમિયાન પૂર્વ ધારાસભ્ય ભૂષણભાઈ ભટ્ટે જણાવ્યું હતું કે, ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ભગવાન નગરચર્યાએ નીકળ્યા એ જ આનંદની વાત છે. લોકોએ પોતાના ઘરેથી ટીવી ઉપર આવતા જીવંત પ્રસારણના માધ્યમથી રથયાત્રાના દર્શન કર્યા. બીજી તરફ ફૂલોથી ભગવાનનું સ્વાગત પણ કરવામાં આવ્યું.
આ પણ વાંચો -

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.