હકીકતમાં ગંદા પાણી તળાવમાં ભરાતા તળાવમાં રહતા ગટર અને એસિડ પાણીને કારણે સરખેજની સુંદર અને ઐતિહાસિક ધરોહરને નુકસાન પહોંચ્યું છે. અહીંના ગંદું પાણી ઈમારતની ઇંટો તોડી રહ્યું છે. આની સાથે આ ગંદા પાણીના કારણે સ્થાનિક લોકો મુશ્કેલીમાં મુકાયા છે.
સરખેજ રોઝાને લઇને સ્થાનિક ઉપરાંત વિપક્ષ પણ ખૂબ જ પરેશાન છે અને લોકોની માગ છે કે, સરકાર તળાવમાં નર્મદા નદીની પાણીની લાઇનને જોડે અને સ્વચ્છ પાણીથી લોકોને લાભ મળે.
સરખેજ રોઝાની મુલાકાત લેવા માટે દુનિયાભરના લોકો આવે છે, પરંતુ જ્યારે તેઓ આ તળાવ જુએ છે, ત્યારે તેઓ દિલગીર થાય છે અને આથી સરકારની છબી પર સવાલ ઉઠે છે, ત્યારે જોવાનું એ રહ્યું કે, સરકાર આ મુદ્દે કેવા પગલા લે છે.