ETV Bharat / state

ઈશરત જહાં કેસ: તરૂણ બારોટ સહિત 4 આરોપીઓએ CBI કોર્ટમાં ડિસ્ચાર્જ અરજી દાખલ કરી

author img

By

Published : Aug 30, 2019, 9:41 PM IST

અમદાવાદ: વર્ષ 2004 ઈશરત જહાં એન્કાઉન્ટર કેસમાં પૂર્વ IPS ડી.જી. વણઝારા, એન.કે અમીન સહિત 3 આરોપીઓને કોર્ટ દ્વારા દોષ મુક્ત જાહેર કરવામાં આવ્યા હતા. તે બાદ આ કેસના 4 આરોપીઓ દ્વારા શુક્રવારે અમદાવાદ CBI કોર્ટમાં દોષ મુક્ત માટે અરજી દાખલ કરી છે.

ઈશરત જહાં કેસ:તરૂણ બારોટ સહિત 4 આરોપીઓએ CBI કોર્ટમાં ડિસ્ચાર્જ અરજી દાખલ કરી

ઈશરત જહાં એન્કાઉન્ટર કેસમાં સામેલ જયસિંહ પરમાર, ગીરીશ કુમાર સિંગલ, અનાજુ ચૌધરી અને તરુણ બારોટ દ્વારા દોષ-મુક્ત જાહેર કરવા CBI કોર્ટમાં અરજી દાખલ કરી છે. આ મામલે વધુ સુનાવણી 21મી સપ્ટેમ્બરના રોજ હાથ ધરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, આ કેસમાં સંડોવાયેલા ડી.જી વણઝારા સહિત 3 આરોપીઓ વિરૂદ્ધ CRPCની કલમ 197 મુજબ કેસ ચલાવવાની પરવાનગી ન આપતા આરોપીઓ દ્વારા ડિસ્ચાર્જ અરજી દાખલ કરવામાં આવી હતી.

અગાઉ કોર્ટમાં ઈશરતની માતા શમીમા કૌસર તરફે વકીલ વૃંદા ગ્રોવરે રજુઆત કરતા જણાવ્યું હતું કે, CRPCની કલમ 197 અને આરોપી દ્વારા કરાયેલી કેસ ડ્રોપની અરજી સાથે કોઈ સંબંધ નથી. બંને આરોપીઓને કેસ ડ્રોપ મુદ્દે પોતાની નિર્દોષતા પુરવાર કરવાની જરૂર છે.

નિર્દોષતા પુરવાર થાય તો જ કેસ ડ્રોપ એટલે કે બંને આરોપીઓને કેસમાંથી મુક્ત કરવામાં આવી શકે. આ મામલે બધા જ પુરાવવા કોર્ટ સમક્ષ રજુ કરાયા પણ સપ્લીમેન્ટરી ચાર્જશીટ દાખલ કરાઈ નથી. ઈશરત અને તેના સાગરીતોની ધરપકડ થઈ શકતી હતી, પરંતુ તેમનું અપહરણ કરી એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું. વર્ષ 2004માં અમદાવાદના નરોડા વિસ્તાર પાસે મુંબઈની ઈશરત જહાં, જાવેદ શેખ, અમજદ અલી રાણા અને જીશાન જોહરની નકલી એન્કાઉન્ટરમાં હત્યા કરાઈ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.

ઈશરત જહાં એન્કાઉન્ટર કેસમાં સામેલ જયસિંહ પરમાર, ગીરીશ કુમાર સિંગલ, અનાજુ ચૌધરી અને તરુણ બારોટ દ્વારા દોષ-મુક્ત જાહેર કરવા CBI કોર્ટમાં અરજી દાખલ કરી છે. આ મામલે વધુ સુનાવણી 21મી સપ્ટેમ્બરના રોજ હાથ ધરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, આ કેસમાં સંડોવાયેલા ડી.જી વણઝારા સહિત 3 આરોપીઓ વિરૂદ્ધ CRPCની કલમ 197 મુજબ કેસ ચલાવવાની પરવાનગી ન આપતા આરોપીઓ દ્વારા ડિસ્ચાર્જ અરજી દાખલ કરવામાં આવી હતી.

અગાઉ કોર્ટમાં ઈશરતની માતા શમીમા કૌસર તરફે વકીલ વૃંદા ગ્રોવરે રજુઆત કરતા જણાવ્યું હતું કે, CRPCની કલમ 197 અને આરોપી દ્વારા કરાયેલી કેસ ડ્રોપની અરજી સાથે કોઈ સંબંધ નથી. બંને આરોપીઓને કેસ ડ્રોપ મુદ્દે પોતાની નિર્દોષતા પુરવાર કરવાની જરૂર છે.

નિર્દોષતા પુરવાર થાય તો જ કેસ ડ્રોપ એટલે કે બંને આરોપીઓને કેસમાંથી મુક્ત કરવામાં આવી શકે. આ મામલે બધા જ પુરાવવા કોર્ટ સમક્ષ રજુ કરાયા પણ સપ્લીમેન્ટરી ચાર્જશીટ દાખલ કરાઈ નથી. ઈશરત અને તેના સાગરીતોની ધરપકડ થઈ શકતી હતી, પરંતુ તેમનું અપહરણ કરી એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું. વર્ષ 2004માં અમદાવાદના નરોડા વિસ્તાર પાસે મુંબઈની ઈશરત જહાં, જાવેદ શેખ, અમજદ અલી રાણા અને જીશાન જોહરની નકલી એન્કાઉન્ટરમાં હત્યા કરાઈ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.

Intro:વર્ષ 2004 ઈશરત જહાં એન્કાઉન્ટર કેસમાં પૂર્વ આઈપીએસ ડી.જી. વણઝારા, એન.કે અમીન સહિત 3 આરોપીઓને કોર્ટ દ્વારા દોષ મુક્ત જાહેર કરાયા બાદ આ કેસના 4 આરોપીઓ દ્વારા શુક્રવારે અમદાવાદ સીબીઆઈ કોર્ટમાં દોષ મુક્ત માટે અરજી દાખલ કરી છે....Body:ઈશરત જહાં એન્કાઉન્ટર કેસમાં સામેલ જયસિંહ પરમાર, ગીરીશ કુમાર સિંગલ, અનાજુ ચૌધરી અને તરુણ બારોટ દ્વારા દોષ-મુક્ત જાહેર કરવા સીબીઆઈ કોર્ટમાં અરજી દાખલ કરી છે..આ મામલે વધુ સુનાવણી 21મી સપ્ટેમ્બરના રોજ હાથ ધરવામાં આવશે.ઉલ્લેખનીય છે કે આ કેસમાં સંડોવાયેલા ડીજી વણઝારા સહિત 3 આરોપીઓ વિરૂધ સીઆરપીસીની કલમ 197 મુજબ કેસ ચલાવવાની પરવાનગી ન આપતા આરોપીઓ દ્વારા ડિસ્ચાર્જ અરજી દાખલ કરવામાં આવી હતી...

અગાઉ કોર્ટમાં ઈશરતની માતા શમીમા કૌસર તરફે વકીલ વૃંદા ગ્રોવરે રજુઆત કરતા જણાવ્યું હતું કે સીઆરપીસીની કલમ 197 અને આરોપી દ્વારા કરાયેલી કેસ ડ્રોપની અરજી સાતે કોઈ સંબંધ નથી. બંને આરોપીઓને કેસ ડ્રોપ મુદે પોતાની નિર્દોષતા પુરવાર કરવાની જરૂર છે. નિર્દોષતા પુરવાર થાય તો જ કેસ ડ્રોપ એટલે કે બંને આરોપીઓને કેસમાંથી મુક્ત કરવામાં આવી શકે. આ મામલે બધા જ પુરાવવા કોર્ટ સમક્ષ રજુ કરાયા પણ સપ્લીમેન્ટરી ચાર્જશીટ દાખલ કરાઈ નથી. ઈશરત અને તેના સાગરીતોની ધરપકડ થઈ શકતી હતી પરતું તેમનું અપહરણ કરી એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું.Conclusion:વર્ષ 2004માં અમદાવાદના નરોડા વિસ્તાર પાસે મુંબઈની ઈશરત જહાં , જાવેદ શેખ , અમજદ અલી રાણા અને જીશાન જોહરની નકલી એન્કાઉન્ટરમાં હત્યા કરાઈ હોવાનું આક્ષેપ કરવામાં આવ્યો હતો.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.