ETV Bharat / state

શારીરિક ધારા-ધોરણ અંગે હાઇકોર્ટે લોકરક્ષક ભરતી બોર્ડ પાસેથી માંગ્યો ખુલાસો

અમદાવાદ: ચાલુ વર્ષે ગુજરાત લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા 9,713 જેટલા પોલીસ કોન્સ્ટેબલની ભરતી માટે શારીરિક અને લેખિત પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં અગાઉ (PST) ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ પાસ કરનાર અરજદારને ચાલુ વર્ષની ભરતીમાં નાપાસ કરાતા હાઇકોર્ટમાં રીટ દાખલ કરવામાં આવી હતી. જેમાં બુધવારે જસ્ટિસ બીરેન વૈષ્ણવે લોકરક્ષક ભરતી બોર્ડ, ડીજીપી અને રાજ્ય સરકારને નોટિસ પાઠવી ખુલાસો માંગ્યો છે. આ મામલે વધુ સુનાવણી આગામી 6 જૂને હાથ ધરવામાં આવશે.

author img

By

Published : May 16, 2019, 12:44 AM IST

હાઇકોર્ટે લોકરક્ષક ભરતી બોર્ડ પાસેથી માંગ્યો ખુલાસો

જસ્ટિસ બિરેન વૈષ્ણવે મહત્વનું અવલોકન કરતા આદેશ કર્યો હતો કે, અગાઉ લોકરક્ષક બોર્ડની PST પાસ કરી ચૂકેલા અને બાદમાં ફેલ થયેલા ઉમેદવારની પસંદગી કરીને નિમણુક કરવામાં આવી છે કે કેમ એ અંગેની વિગતો પણ દર્શાવવાનો હુકમ કર્યો હતો.

અરજદાર પ્રવિણસિંહ ગોહિલે દાવો કર્યો છે કે, પોલીસ લોક રક્ષક દળ માટેની લેખિત અને શારીરિક પરીક્ષા પાસ કર્યા બાદ (PST) ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટમાં તેમને ફેલ જાહેર કરી દેવાયો હતો. અરજદારનો દાવો છે કે હાઈટ અને છાતીનું માપ યોગ્ય હોવા છતાં તેમને ગેરલાયક ઠેરવવામાં આવ્યો છે. અગાઉની ભરતીમાં ફીઝીકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ પાસ કર્યા છે, ત્યારે આ વર્ષે બોર્ડ તેમને ફેલ કઈ રીતે જાહેર કરી શકે.

વધુમાં અરજદારે જણાવ્યું કે, ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટમાં ખોટી રીતે ફેલ થયા બાબતે જ્યારે ગ્રાઉન્ડ પર હાજર અપીલ બોર્ડને રજૂઆત કરવામાં આવી ત્યારે કોઈ પગલાં લેવામાં આવ્યા નહીં. તેમજ આગલા દિવસે લોકરક્ષક ભરતી દળને આ મુદ્દે જાણ કરાઈ તો તેમણે પણ ધ્યાન આપ્યું નહીં. જેથી ગુજરાત હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરવી પડી.

અત્રે ઉલ્લેખનીય છે કે, અરજદારે પોલીસ કોન્સ્ટેબલની નોકરી મેળવવા માટે લેખિત પરીક્ષા આપી હતી અને તેમાં ઉત્તીર્ણ થયા બાદ શારીરિક કસોટી કપડવંજ-નડિયાદ હાઈવે પર આવેલા એસઆરપી ગ્રાઉન્ડમાં આપી હતી.

જસ્ટિસ બિરેન વૈષ્ણવે મહત્વનું અવલોકન કરતા આદેશ કર્યો હતો કે, અગાઉ લોકરક્ષક બોર્ડની PST પાસ કરી ચૂકેલા અને બાદમાં ફેલ થયેલા ઉમેદવારની પસંદગી કરીને નિમણુક કરવામાં આવી છે કે કેમ એ અંગેની વિગતો પણ દર્શાવવાનો હુકમ કર્યો હતો.

અરજદાર પ્રવિણસિંહ ગોહિલે દાવો કર્યો છે કે, પોલીસ લોક રક્ષક દળ માટેની લેખિત અને શારીરિક પરીક્ષા પાસ કર્યા બાદ (PST) ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટમાં તેમને ફેલ જાહેર કરી દેવાયો હતો. અરજદારનો દાવો છે કે હાઈટ અને છાતીનું માપ યોગ્ય હોવા છતાં તેમને ગેરલાયક ઠેરવવામાં આવ્યો છે. અગાઉની ભરતીમાં ફીઝીકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ પાસ કર્યા છે, ત્યારે આ વર્ષે બોર્ડ તેમને ફેલ કઈ રીતે જાહેર કરી શકે.

વધુમાં અરજદારે જણાવ્યું કે, ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટમાં ખોટી રીતે ફેલ થયા બાબતે જ્યારે ગ્રાઉન્ડ પર હાજર અપીલ બોર્ડને રજૂઆત કરવામાં આવી ત્યારે કોઈ પગલાં લેવામાં આવ્યા નહીં. તેમજ આગલા દિવસે લોકરક્ષક ભરતી દળને આ મુદ્દે જાણ કરાઈ તો તેમણે પણ ધ્યાન આપ્યું નહીં. જેથી ગુજરાત હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરવી પડી.

અત્રે ઉલ્લેખનીય છે કે, અરજદારે પોલીસ કોન્સ્ટેબલની નોકરી મેળવવા માટે લેખિત પરીક્ષા આપી હતી અને તેમાં ઉત્તીર્ણ થયા બાદ શારીરિક કસોટી કપડવંજ-નડિયાદ હાઈવે પર આવેલા એસઆરપી ગ્રાઉન્ડમાં આપી હતી.

Intro:ચાલુ વર્ષે ગુજરાત લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા 9713 જેટલા પોલીસ કોન્સ્ટેબલની ભરતી માટે શારીરિક અને લેખિત પરીક્ષા લેવામાં આવી હતી જેમાં અગાઉ (PST) ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ પાસ કરનાર અરજદારને ચાલુ વર્ષની ભરતીમાં નાપાસ કરાતા હાઇકોર્ટમાં રીટ દાખલ કરતા બુધવારે જસ્ટિસ બીરેન વૈષ્ણવે લોકરક્ષક ભરતી બોર્ડ, ડીજીપી અને રાજ્ય સરકારને નોટિસ પાઠવી ખુલાસો માંગ્યો છે.. આ મામલે વધુ સુનાવણી આગામી 6 જૂનના રોજ હાથ ધરવામાં આવશે....


Body:જસ્ટિસ બિરેન વૈષ્ણવે મહત્વનું અવલોકન કરતા આદેશ કર્યો હતો કે અગાઉ લોકરક્ષક બોર્ડની PST પાસ કરી ચૂકેલા અને બાદમાં ફેલ થયેલા ઉમેદવારની પસંદગી કરી નિમણુંક કરવામાં આવી છે કે કેમ એ અંગેની વિગતો પણ દર્શવવાનો હુકમ કર્યો હતો...

અરજદાર પ્રવિણસિંહ ગોહિલનો છે કે પોલીસ લોક રક્ષક દળ માટેની લેખિત અને શારીરિક પરીક્ષા પાસ કર્યા બાદ (PST) ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટમાં તેમને ફેલ જાહેર કરી દેવાયો હતો.. અરજદારનો દાવો છે કે હાઈટ અને છાતીનું માપ યોગ્ય હોવા છતાં તેમને ગેરલાયક ઠેરવવામાં આવ્યો છે... અગાઉની ભરતીમાં ફીઝીકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ પાસ કર્યા છે ત્યારે આ વર્ષે બોર્ડ તેમને ફેલ કઈ રીતે જાહેર કરી શકે..


Conclusion:અરજદારે જણાવ્યું કે ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટમાં ખોટી રીતે ફેલ થયા બાબતે જ્યારે ગ્રાઉન્ડ પર હાજર અપીલ બોર્ડને રજૂઆત કરાઈ ત્યારે કોઈ પગલાં લેવામાં આવ્યા નહીં અને આગલા દિવસે લોકરક્ષક ભરતી દળને આ મુદ્દે જાણ કરાઈ તો તેમણે પણ ધ્યાન આપ્યું નહિ.. જેથી ગુજરાત હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરવી પડી.

પોલીસ કોન્સ્ટેબલ ની નોકરી મેળવવા માટે અરજદારે લેખિત પરીક્ષા આપી હતી અને તેમાં ઉત્તીર્ણ થયા બાદ શારીરિક કસોટી કપડવંજ-નડિયાદ હાઈવે પર આવેલા એસઆરપી ગ્રાઉન્ડમાં આપી હતી
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.