ETV Bharat / state

રાજ્યમાં થઈ શકે છે મિચોંગ વાવાઝોડાની અસર, હવામાન વિભાગે કરી મહત્વપૂર્ણ આગાહી

author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 5, 2023, 3:57 PM IST

Updated : Dec 6, 2023, 10:11 AM IST

રાજ્યમાં શિયાળી શરૂઆત સાથે કમોસમી વરસાદે વાતાવરણ બગાડ્યું છે. તાપમાન ઘટવાની સાથે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. આ વચ્ચે હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદને લઈને વધુ એકવાર આગાહી કરવામાં આવી છે. જે અનુસાર આગામી 5-7 દિવસ વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે. ઉપરાંત ઝડપી પવન ફૂંકાવાની શક્યતા વચ્ચે માછીમારોને સુરક્ષિત રહેવા સૂચન કર્યું છે.

શિયાળાની શરૂઆત સાથે માવઠાનો માર,
શિયાળાની શરૂઆત સાથે માવઠાનો માર,

અમદાવાદ : ગુજરાત રાજ્યમાં ફરીથી કમોસમી વરસાદ અંગે હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે. રાજ્યના કેટલાક જિલ્લામાં આજે વાદળછાયુ વાતાવરણ રહેવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી શકે છે. વરસાદી વાતાવરણના કારણે ઠંડીનો પારો બેથી ત્રણ ડિગ્રી સુધી વધવાની શક્યતા છે. ઉપરાંત આજે ગુજરાતના કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે.

વાદળછાયું વાતાવરણ રહેશે : શિયાળાની શરૂઆત બાદ હાલ અમદાવાદમાં તાપમાન 17.5 ડિગ્રી નોંધાયું છે. ગુજરાતના નલિયામાં 10.4 ડિગ્રી અત્યાર સુધીનું સૌથી ઓછું તાપમાન નોંધાયું છે. જોકે છેલ્લા 15 દિવસ દરમિયાન રાજ્યમાં કમોસમી વરસાદ તારાજી સર્જી છે. શિયાળાની શરૂઆતથી જ અનેક જિલ્લાઓને માવઠાએ ધમરોળ્યા છે. ઉપરાંત પાછલા એક અઠવાડિયાથી ઘેરાયેલા વાદળોને લીધે ચોમાસાનો માહોલ જોવા મળી રહ્યો છે.

હવામાન વિભાગે કરી મહત્વપૂર્ણ આગાહી

ઝડપી પવનના પગલે માછીમારોને સૂચન : હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદ થવાની શક્યતા નહિવત્ છે. જોકે હાલમાં દક્ષિણ-પૂર્વ રાજસ્થાનથી ગુજરાત તરફ એક સિસ્ટમ આવી રહી છે. જેનાં કારણે આગામી 2 દિવસ સુધી પવનની ગતિ વધુ રહેવાની સંભાવના છે. જ્યારે 10થી 20 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. જેને લીધે માછીમારોને દરિયામાં સાવચેતી પૂર્વક રહેવાની ચેતવણી આપવામાં આવી છે.

ખેડૂતોને સહાય મળશે ? ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં શિયાળાની ઋતુ શરૂ થતાની સાથે જ એકાએક વાતાવરણમાં પલટો આવવાની સાથે વરસાદી વાતાવરણ સર્જાયું હતું. જેના કારણે ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે. ત્યારે રાજ્યમાં ખાબકેલા વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાતા શિયાળુ પાકને નુકશાન થયું હતું. ખેડૂતોને માવઠાથી થયેલા નુકસાનની ભરપાઈ પેટે રાહત આપવા રાજ્ય સરકારે સર્વેનો આદેશ કર્યો હતો. એક મહિનામાં નુકસાનીનો સર્વે કરી રિપોર્ટ સોંપવા કૃષિપ્રધાન દ્વારા જિલ્લા કક્ષાએ અધિકારીઓને આદેશ કરાયો હતો. જેથી ખેડૂતોને માવઠાથી થયેલા નુકસાનમાં રાહત મળી શકે. પરંતુ હવે બીજી તરફ હવે ફરી વરસાદ થાય તો શિયાળુ પાકને મોટા પ્રમાણમાં નુકસાન થવાની સંભાવના છે.

  1. ગુજરાતને ફરી માવઠાનો માર સહન કરવો પડશે ? હવામાન વિભાગે કરી કમોસમી વરસાદ અંગે આગાહી
  2. રાજ્યમાં ફરી માવઠાની આફત ! આગામી 2 દિવસ કમોસમી વરસાદની આગાહી

અમદાવાદ : ગુજરાત રાજ્યમાં ફરીથી કમોસમી વરસાદ અંગે હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે. રાજ્યના કેટલાક જિલ્લામાં આજે વાદળછાયુ વાતાવરણ રહેવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી શકે છે. વરસાદી વાતાવરણના કારણે ઠંડીનો પારો બેથી ત્રણ ડિગ્રી સુધી વધવાની શક્યતા છે. ઉપરાંત આજે ગુજરાતના કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે.

વાદળછાયું વાતાવરણ રહેશે : શિયાળાની શરૂઆત બાદ હાલ અમદાવાદમાં તાપમાન 17.5 ડિગ્રી નોંધાયું છે. ગુજરાતના નલિયામાં 10.4 ડિગ્રી અત્યાર સુધીનું સૌથી ઓછું તાપમાન નોંધાયું છે. જોકે છેલ્લા 15 દિવસ દરમિયાન રાજ્યમાં કમોસમી વરસાદ તારાજી સર્જી છે. શિયાળાની શરૂઆતથી જ અનેક જિલ્લાઓને માવઠાએ ધમરોળ્યા છે. ઉપરાંત પાછલા એક અઠવાડિયાથી ઘેરાયેલા વાદળોને લીધે ચોમાસાનો માહોલ જોવા મળી રહ્યો છે.

હવામાન વિભાગે કરી મહત્વપૂર્ણ આગાહી

ઝડપી પવનના પગલે માછીમારોને સૂચન : હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદ થવાની શક્યતા નહિવત્ છે. જોકે હાલમાં દક્ષિણ-પૂર્વ રાજસ્થાનથી ગુજરાત તરફ એક સિસ્ટમ આવી રહી છે. જેનાં કારણે આગામી 2 દિવસ સુધી પવનની ગતિ વધુ રહેવાની સંભાવના છે. જ્યારે 10થી 20 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. જેને લીધે માછીમારોને દરિયામાં સાવચેતી પૂર્વક રહેવાની ચેતવણી આપવામાં આવી છે.

ખેડૂતોને સહાય મળશે ? ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં શિયાળાની ઋતુ શરૂ થતાની સાથે જ એકાએક વાતાવરણમાં પલટો આવવાની સાથે વરસાદી વાતાવરણ સર્જાયું હતું. જેના કારણે ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે. ત્યારે રાજ્યમાં ખાબકેલા વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાતા શિયાળુ પાકને નુકશાન થયું હતું. ખેડૂતોને માવઠાથી થયેલા નુકસાનની ભરપાઈ પેટે રાહત આપવા રાજ્ય સરકારે સર્વેનો આદેશ કર્યો હતો. એક મહિનામાં નુકસાનીનો સર્વે કરી રિપોર્ટ સોંપવા કૃષિપ્રધાન દ્વારા જિલ્લા કક્ષાએ અધિકારીઓને આદેશ કરાયો હતો. જેથી ખેડૂતોને માવઠાથી થયેલા નુકસાનમાં રાહત મળી શકે. પરંતુ હવે બીજી તરફ હવે ફરી વરસાદ થાય તો શિયાળુ પાકને મોટા પ્રમાણમાં નુકસાન થવાની સંભાવના છે.

  1. ગુજરાતને ફરી માવઠાનો માર સહન કરવો પડશે ? હવામાન વિભાગે કરી કમોસમી વરસાદ અંગે આગાહી
  2. રાજ્યમાં ફરી માવઠાની આફત ! આગામી 2 દિવસ કમોસમી વરસાદની આગાહી
Last Updated : Dec 6, 2023, 10:11 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.