ETV Bharat / state

હવે મળશે ફક્ત 5 રૂપિયામાં ભોજન, ભુપેન્દ્ર પટેલના હસ્તે શ્રમ 'સન્માન' પોર્ટલનું લોકાર્પણ - Shram Sanman Portal launched by Bhupendra Patel

ગુજરાત રાજ્ય સરકારે વધુ એક યોજના જાહેર કરીને લોકોની ઉદરતૃપ્તિ કરી છે. ખાસ કરીને ભુપેન્દ્ર પટેલના હસ્તે શ્રમ 'સન્માન' પોર્ટલનું લોકાર્પણ (Shram Sanman Portal) કરાયું હતું.જેમાં ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, આ કાર્યક્રમ અંત્યોદયના વિચારને સાકાર કરતો લોક ઉત્સવ છે.

હવે મળશે ફક્ત 5 રૂપિયામાં ભોજન, ભુપેન્દ્ર પટેલના હસ્તે  શ્રમ 'સન્માન' પોર્ટલનું લોકાર્પણ
હવે મળશે ફક્ત 5 રૂપિયામાં ભોજન, ભુપેન્દ્ર પટેલના હસ્તે શ્રમ 'સન્માન' પોર્ટલનું લોકાર્પણ
author img

By

Published : Oct 8, 2022, 4:48 PM IST

અમદાવાદ ભુપેન્દ્ર પટેલના હસ્તે આજે શ્રમ 'સન્માન' પોર્ટલનું (Shram Sanman Portal) લોકાર્પણ કરવામાં આવ્યું હતું. બાંધકામ સાઈટ પર 50થી વધુ શ્રમિકો (Food for Rs 5 only) આ યોજનાનો લાભ મેળવવા માંગતા હોય તેમને ડોર સ્ટેપ ડિલીવરી પણ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે.

ફક્ત 5 રૂપિયામાં ભોજન શ્રમિક અન્નપૂર્ણા યોજનાના 22 ભોજન કેન્દ્રો અને શ્રમ સન્માન પોર્ટલના લોકાર્પણ (Shram Sanman Portal launched by Bhupendra Patel) પ્રસંગે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, આ કાર્યક્રમ અંત્યોદયના વિચારને સાકાર કરતો લોક ઉત્સવ છે. નરેન્દ્ર મોદીના અંત્યોદયથી સર્વોદયના વિચારમંત્રને સાકર કરવા રાજ્ય સરકાર કાર્યરત છે. શ્રમિકો સન્માન સાથે જીવે તે અમારી સરકારનો ધ્યેય છે. લોકો માટે 'ઘરનું ચણતર' કરનાર શ્રમિકો માટે રાજ્યમાં અનેક યોજનાઓ અમલી બનાવાઈ છે. જેની પડખે કોઈ નથી, તેની પડખે સરકાર છે. તેવા ધ્યેયમંત્ર સાથે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે. એમ તેમણે ઉમેર્યું હતું.

શ્રમિક અન્નપૂર્ણા યોજના મુખ્યપ્રધાનના હસ્તે આજે ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડની 'શ્રમિક અન્નપૂર્ણા યોજના' હેઠળ અમદાવાદ તથા ગાંધીનગર ખાતે આવેલા કુલ 22 કડિયા નાકા ઉપર ભોજન કેન્દ્રોનું લોકાર્પણ થયું છે. ત્યારબાદ તબક્કાવાર સમગ્ર રાજ્યમાં આવતા બે મહિનામાં આ યોજના અંતર્ગત ભોજન કેન્દ્રો ખોલવામાં આવશે,

ડોર સ્ટેપ ડિલિવરીની સુવિધા આ સ્થાયી કેન્દ્રો ઉપરાંત જે બાંધકામ સાઈટ પર 50થી વધુ શ્રમિકો આ યોજનાનો લાભ મેળવવા માંગતા હોય તેમને ડોર સ્ટેપ ડિલિવરીની (Door step delivery) પણ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. ઉપરાંત શ્રમિકનો સમય ન બગડે અને સરળતાથી નોંધણી કરાવી શકાય તે માટે શ્રમ 'સન્માન' પોર્ટલ (Shram Sanman Portal) પણ લોન્ચ કરવામાં આવ્યું છે.

શ્રમિકોને કચેરીમાં જવું નહીં પડે મુખ્યપ્રધાને કહ્યું કે તમામ યોજનાના લાભો ડિજિટલ માધ્યમથી એક જ પોર્ટલ પર મળી શકે તે માટે 'સન્માન' પોર્ટલ કાર્યરત કરાયું છે. તાજેતરમાં જ દેશમાં 5જી સેવાનો પ્રારંભ કરાવાયો છે. જેમાં શ્રમિકોને પણ આવરી લેવાનો અભિગમ છે. 'સન્માન' પોર્ટલથી હવે કોઈપણ શ્રમિકને કચેરીમાં જવું નહીં પડે. ઘરેબેઠા જ અરજીથી લઈ મંજૂરી સુધીની તમામ પ્રક્રિયા સરળ બનાવાઈ છે.

પૌષ્ટિક ભોજન શ્રમ અને રોજગાર કૌશલ્ય વિકાસપ્રધાન બ્રિજેશ મેરજાએ જણાવ્યું હતું કે, અન્ન, આવરણ અને આવાસ એ કોઈપણ વ્યક્તિની પ્રાથમિક જરૂરિયાત છે. ત્યારે રાજ્યના બાંધકામ શ્રમિકો માટે 'અન્નપૂર્ણા યોજના' શરૂ કરાઇ છે. નોંધાયેલા શ્રમિકોને તો આ લાભ મળવાનો જ છે પરંતુ જે શ્રમિકોની નોંધણી નથી થઈ તેમના માટે 'સન્માન' પોર્ટલ શરૂ કરાયું છે. જેનાથી ન નોંધાયેલા શ્રમિકોને પણ આવરી લેવાશે. શ્રમિકોને સાત્વિક- પૌષ્ટિક ભોજન આપવાના ધ્યેય સાથે આ યોજના અંતર્ગત શ્રમિકોને માત્ર 5 રૂ.માં ભોજન (Food for Rs 5 only) ઉપલબ્ધ કરાવવામાં આવશે.

ભોજનનું વિતરણ સમારોહ બાદ મુખ્યપ્રધાન શ્રમ રોજગાર પ્રધાન બ્રિજેશ મેરજાએ શ્રમિક અન્નપૂર્ણા યોજનાના લાભાર્થીઓને ભોજનનું વિતરણ કર્યું હતું. સાથો સાથ મહાનુભાવોના હસ્તે શ્રમિક પરિવારના વિદ્યાર્થીઓને અભ્યાસની સહાય, વીમાની સહાય, લગ્ન સહાય વગેરેના ચેક વિતરણ કરવામાં આવ્યા હતા. ઉપરાંત 1200 જેટલા શ્રમિકોને પ્રતિક સ્વરૂપે ટિફિન અને બેગનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

અમદાવાદ ભુપેન્દ્ર પટેલના હસ્તે આજે શ્રમ 'સન્માન' પોર્ટલનું (Shram Sanman Portal) લોકાર્પણ કરવામાં આવ્યું હતું. બાંધકામ સાઈટ પર 50થી વધુ શ્રમિકો (Food for Rs 5 only) આ યોજનાનો લાભ મેળવવા માંગતા હોય તેમને ડોર સ્ટેપ ડિલીવરી પણ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે.

ફક્ત 5 રૂપિયામાં ભોજન શ્રમિક અન્નપૂર્ણા યોજનાના 22 ભોજન કેન્દ્રો અને શ્રમ સન્માન પોર્ટલના લોકાર્પણ (Shram Sanman Portal launched by Bhupendra Patel) પ્રસંગે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, આ કાર્યક્રમ અંત્યોદયના વિચારને સાકાર કરતો લોક ઉત્સવ છે. નરેન્દ્ર મોદીના અંત્યોદયથી સર્વોદયના વિચારમંત્રને સાકર કરવા રાજ્ય સરકાર કાર્યરત છે. શ્રમિકો સન્માન સાથે જીવે તે અમારી સરકારનો ધ્યેય છે. લોકો માટે 'ઘરનું ચણતર' કરનાર શ્રમિકો માટે રાજ્યમાં અનેક યોજનાઓ અમલી બનાવાઈ છે. જેની પડખે કોઈ નથી, તેની પડખે સરકાર છે. તેવા ધ્યેયમંત્ર સાથે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે. એમ તેમણે ઉમેર્યું હતું.

શ્રમિક અન્નપૂર્ણા યોજના મુખ્યપ્રધાનના હસ્તે આજે ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડની 'શ્રમિક અન્નપૂર્ણા યોજના' હેઠળ અમદાવાદ તથા ગાંધીનગર ખાતે આવેલા કુલ 22 કડિયા નાકા ઉપર ભોજન કેન્દ્રોનું લોકાર્પણ થયું છે. ત્યારબાદ તબક્કાવાર સમગ્ર રાજ્યમાં આવતા બે મહિનામાં આ યોજના અંતર્ગત ભોજન કેન્દ્રો ખોલવામાં આવશે,

ડોર સ્ટેપ ડિલિવરીની સુવિધા આ સ્થાયી કેન્દ્રો ઉપરાંત જે બાંધકામ સાઈટ પર 50થી વધુ શ્રમિકો આ યોજનાનો લાભ મેળવવા માંગતા હોય તેમને ડોર સ્ટેપ ડિલિવરીની (Door step delivery) પણ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. ઉપરાંત શ્રમિકનો સમય ન બગડે અને સરળતાથી નોંધણી કરાવી શકાય તે માટે શ્રમ 'સન્માન' પોર્ટલ (Shram Sanman Portal) પણ લોન્ચ કરવામાં આવ્યું છે.

શ્રમિકોને કચેરીમાં જવું નહીં પડે મુખ્યપ્રધાને કહ્યું કે તમામ યોજનાના લાભો ડિજિટલ માધ્યમથી એક જ પોર્ટલ પર મળી શકે તે માટે 'સન્માન' પોર્ટલ કાર્યરત કરાયું છે. તાજેતરમાં જ દેશમાં 5જી સેવાનો પ્રારંભ કરાવાયો છે. જેમાં શ્રમિકોને પણ આવરી લેવાનો અભિગમ છે. 'સન્માન' પોર્ટલથી હવે કોઈપણ શ્રમિકને કચેરીમાં જવું નહીં પડે. ઘરેબેઠા જ અરજીથી લઈ મંજૂરી સુધીની તમામ પ્રક્રિયા સરળ બનાવાઈ છે.

પૌષ્ટિક ભોજન શ્રમ અને રોજગાર કૌશલ્ય વિકાસપ્રધાન બ્રિજેશ મેરજાએ જણાવ્યું હતું કે, અન્ન, આવરણ અને આવાસ એ કોઈપણ વ્યક્તિની પ્રાથમિક જરૂરિયાત છે. ત્યારે રાજ્યના બાંધકામ શ્રમિકો માટે 'અન્નપૂર્ણા યોજના' શરૂ કરાઇ છે. નોંધાયેલા શ્રમિકોને તો આ લાભ મળવાનો જ છે પરંતુ જે શ્રમિકોની નોંધણી નથી થઈ તેમના માટે 'સન્માન' પોર્ટલ શરૂ કરાયું છે. જેનાથી ન નોંધાયેલા શ્રમિકોને પણ આવરી લેવાશે. શ્રમિકોને સાત્વિક- પૌષ્ટિક ભોજન આપવાના ધ્યેય સાથે આ યોજના અંતર્ગત શ્રમિકોને માત્ર 5 રૂ.માં ભોજન (Food for Rs 5 only) ઉપલબ્ધ કરાવવામાં આવશે.

ભોજનનું વિતરણ સમારોહ બાદ મુખ્યપ્રધાન શ્રમ રોજગાર પ્રધાન બ્રિજેશ મેરજાએ શ્રમિક અન્નપૂર્ણા યોજનાના લાભાર્થીઓને ભોજનનું વિતરણ કર્યું હતું. સાથો સાથ મહાનુભાવોના હસ્તે શ્રમિક પરિવારના વિદ્યાર્થીઓને અભ્યાસની સહાય, વીમાની સહાય, લગ્ન સહાય વગેરેના ચેક વિતરણ કરવામાં આવ્યા હતા. ઉપરાંત 1200 જેટલા શ્રમિકોને પ્રતિક સ્વરૂપે ટિફિન અને બેગનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.