ETV Bharat / state

સાયકલ પર કાશ્મીરથી કન્યાકુમારીની 'ઉડાન', 5 સિનિયર સિટીઝન 4 હજાર કિમી ચલાવશે સાયકલ - CYCLING

પ્રદૂષણ મુક્ત ભારત બનાવવાના સંકલ્પ સાથે 5 સિનિયર સિટિઝન્સ સાયકલ લઈને ભારત ભ્રમણ યાત્રા પર નીકળ્યા છે, જેઓ 4 હજાર કિલોમીટરની સાયકલ ચલાવશે.

5 સિનિયર સિટીઝન 4 હજાર કિમી ચલાવશે સાયકલ
5 સિનિયર સિટીઝન 4 હજાર કિમી ચલાવશે સાયકલ (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Feb 2, 2025, 4:08 PM IST

મહેસાણા: જવાનીયાઓ નહિં પણ 5 સિનિયર સિટીઝન સાયકલ લઈને 4000 કિલોમીટરની ભારત યાત્રા કરવા નીકળ્યા છે. સાંભળીને જ નવાઈ લાગે કે નિવૃત્ત થઈ જવાની ઉંમરમાં 60 થી વધુ ઉંમરના 5 વડીલો કે જે પોતાને જવાન કહે છે, તેઓ પ્રદુષણ મુક્ત ભારતનો સંદેશ લઈને કાશ્મીરથી કન્યાકુમારી સાયકલ યાત્રાએ નીકળ્યા છે.

16 જાન્યુઆરી શ્રીનગરથી શરૂ કરી સફર

16 જાન્યુઆરીએ શ્રીનગરથી આ 5 સિનિયર સિટિઝન કન્યાકુમારી જવા માટે નીકળ્યા હતાં, 4048 કિલોમીટરની આ યાત્રા 20 ફેબ્રુઆરીએ પૂર્ણ થવાનું તેમણે જણાવ્યું હતું. શ્રીનગરથી જમ્મુ, કાશ્મીર, પંજાબ, રાજસ્થાન થઈને તેઓ ગુજરાતમાં પ્રવેશ્યા હતાં ત્યારે મહેસાણા ખાતે આ તમામ 5 સાયકલિસ્ટનું મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખે સ્વાગત કર્યુ હતું.

5 સિનિયર સિટીઝન કાશ્મીરથી કન્યાકુમારીની સાયકલ યાત્રા પર નીકળ્યા (Etv Bharat Gujarat)

5 સાયકલિસ્ટનો હેતુ

સાયકલ યાત્રા પર નીકળેલા આ વડીલોનો નારો એક જ છે, પોલ્યુશન ફ્રી ભારત, આવનારી પેઢીને પ્રદૂષણથી બચાવવી. જેના માટે તેઓ 4 હજાર કિલોમીટરથી વધુની યાત્રા કરી લોકોને જાગૃત કરશે. તેમના જણાવ્યા મુજબ અત્યારે એટલું પ્રદૂષણ વધ્યું છે, કે માછલીના પેટમાંથી પણ પ્લાસ્ટિક નીકળે છે. અનેક જીવો લુપ્ત થતા જાય છે. માનવ જાત પણ લુપ્ત થશે, જો આપણ પર્યાવરણને નહિં બચાવીએ તો.

વડીલોનું કહેવું છે કે, સાશન-પ્રશાસન તો કરશે પણ આપણે પણ પર્યાવરણ બચાવવાનું કામ કરવાનું છે. સાયકલ ચલાવવાથી પોલ્યુશન થતું નથી અને હેલ્થ પણ સારી રહે છે.

  1. 63 વર્ષીય મહેસાણા ડૉક્ટરે 34 કલાકમાં 675 કિમી સાયકલ ચલાવી, રચી અનોખી સિદ્ધિ
  2. વડોદરાની સાયકલીસ્ટ નિશા રશિયા પહોંચી, સાયકલ દ્વારા પાર કર્યા સાત દેશ

મહેસાણા: જવાનીયાઓ નહિં પણ 5 સિનિયર સિટીઝન સાયકલ લઈને 4000 કિલોમીટરની ભારત યાત્રા કરવા નીકળ્યા છે. સાંભળીને જ નવાઈ લાગે કે નિવૃત્ત થઈ જવાની ઉંમરમાં 60 થી વધુ ઉંમરના 5 વડીલો કે જે પોતાને જવાન કહે છે, તેઓ પ્રદુષણ મુક્ત ભારતનો સંદેશ લઈને કાશ્મીરથી કન્યાકુમારી સાયકલ યાત્રાએ નીકળ્યા છે.

16 જાન્યુઆરી શ્રીનગરથી શરૂ કરી સફર

16 જાન્યુઆરીએ શ્રીનગરથી આ 5 સિનિયર સિટિઝન કન્યાકુમારી જવા માટે નીકળ્યા હતાં, 4048 કિલોમીટરની આ યાત્રા 20 ફેબ્રુઆરીએ પૂર્ણ થવાનું તેમણે જણાવ્યું હતું. શ્રીનગરથી જમ્મુ, કાશ્મીર, પંજાબ, રાજસ્થાન થઈને તેઓ ગુજરાતમાં પ્રવેશ્યા હતાં ત્યારે મહેસાણા ખાતે આ તમામ 5 સાયકલિસ્ટનું મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખે સ્વાગત કર્યુ હતું.

5 સિનિયર સિટીઝન કાશ્મીરથી કન્યાકુમારીની સાયકલ યાત્રા પર નીકળ્યા (Etv Bharat Gujarat)

5 સાયકલિસ્ટનો હેતુ

સાયકલ યાત્રા પર નીકળેલા આ વડીલોનો નારો એક જ છે, પોલ્યુશન ફ્રી ભારત, આવનારી પેઢીને પ્રદૂષણથી બચાવવી. જેના માટે તેઓ 4 હજાર કિલોમીટરથી વધુની યાત્રા કરી લોકોને જાગૃત કરશે. તેમના જણાવ્યા મુજબ અત્યારે એટલું પ્રદૂષણ વધ્યું છે, કે માછલીના પેટમાંથી પણ પ્લાસ્ટિક નીકળે છે. અનેક જીવો લુપ્ત થતા જાય છે. માનવ જાત પણ લુપ્ત થશે, જો આપણ પર્યાવરણને નહિં બચાવીએ તો.

વડીલોનું કહેવું છે કે, સાશન-પ્રશાસન તો કરશે પણ આપણે પણ પર્યાવરણ બચાવવાનું કામ કરવાનું છે. સાયકલ ચલાવવાથી પોલ્યુશન થતું નથી અને હેલ્થ પણ સારી રહે છે.

  1. 63 વર્ષીય મહેસાણા ડૉક્ટરે 34 કલાકમાં 675 કિમી સાયકલ ચલાવી, રચી અનોખી સિદ્ધિ
  2. વડોદરાની સાયકલીસ્ટ નિશા રશિયા પહોંચી, સાયકલ દ્વારા પાર કર્યા સાત દેશ
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.