ETV Bharat / state

અમદાવાદમાં દેવીપૂજક સમાજ દ્વારા 'દિવાસા'નો કાર્યક્રમ યોજાયો, ગૃહપ્રધાને આપી હાજરી - દેવીપૂજક સમાજ

અમદાવાદ: શહેરમાં અષાઢી વદ અમાસના દિવસે દર વર્ષની જેમાં દેવીપૂજક દ્વારા દીવાસોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અનેક સમાજના લોકોએ ભાગ લઈ પૂર્વજોને શ્રદ્ધાંજલિ આર્પી હતી. આ કાર્યક્રમમાં દેવીપૂજક સમાજના અગ્રણીઓ સાથે રાજ્યના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા પણ હાજર રહ્યા હતા.

અમદાવાદમાં દેવીપૂજક સમાજ દ્વારા 'દિવાસા'નો કાર્યક્રમ યોજાયો, રાજ્યગૃહપ્રધાને આપી હાજરી
author img

By

Published : Aug 1, 2019, 8:37 PM IST

દરેક સમાજની અલગ-અલગ પરંપરા હોય છે, તેવી જ રીતે દેવીપૂજક સમાજની પણ એક પરંપરા છે. જે મુજબ દર વર્ષે અમાસના એટલે કે 'દિવાસા'ના દિવસે પોતાના પૂર્વજોના આત્માની શાંતિ માટે પૂજા કરે છે. આ દિવસે સ્વજનોને યાદ કરીને તેમને મનગમતી વસ્તુ ધરાવવામાં આવે છે.

અમદાવાદમાં દેવીપૂજક સમાજ દ્વારા 'દિવાસા'નો કાર્યક્રમ યોજાયો, ગૃહપ્રધાને આપી હાજરી

આ વર્ષે દિવાસાનો કાર્યક્રમ શહેરના ચામુંડા ખાતે આવેલાં સ્મશાનગૃહમાં યોજાયો હતો. જેમાં રાજ્યભરમાંથી દેવીપૂજક સમાજના લોકોએ ભાગ લીધો હતો. તેમણે પોતાના મૃતક સ્વજનોને પૂજા કરી શ્રદ્ધાંજલિ અર્પી હતી. આ કાર્યક્રમમાં રાજ્યના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા અને ધારાસભ્યો પણ હાજર રહ્યા હતા.

દરેક સમાજની અલગ-અલગ પરંપરા હોય છે, તેવી જ રીતે દેવીપૂજક સમાજની પણ એક પરંપરા છે. જે મુજબ દર વર્ષે અમાસના એટલે કે 'દિવાસા'ના દિવસે પોતાના પૂર્વજોના આત્માની શાંતિ માટે પૂજા કરે છે. આ દિવસે સ્વજનોને યાદ કરીને તેમને મનગમતી વસ્તુ ધરાવવામાં આવે છે.

અમદાવાદમાં દેવીપૂજક સમાજ દ્વારા 'દિવાસા'નો કાર્યક્રમ યોજાયો, ગૃહપ્રધાને આપી હાજરી

આ વર્ષે દિવાસાનો કાર્યક્રમ શહેરના ચામુંડા ખાતે આવેલાં સ્મશાનગૃહમાં યોજાયો હતો. જેમાં રાજ્યભરમાંથી દેવીપૂજક સમાજના લોકોએ ભાગ લીધો હતો. તેમણે પોતાના મૃતક સ્વજનોને પૂજા કરી શ્રદ્ધાંજલિ અર્પી હતી. આ કાર્યક્રમમાં રાજ્યના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા અને ધારાસભ્યો પણ હાજર રહ્યા હતા.

Gj_Ahd_04_Divaso_Ujavani_VIdeo_Story_7204015

અમદાવાદ:દેવીપૂજક સમાજ દ્વારા દીવાસોનું આયોજન,ગૃહપ્રધાન પણ રહ્યા હાજર.....

અમદાવાદ:અષાઢી વદ અમાસના દિવસે દર વર્ષની જેમ દેવીપૂજક દ્વારા દીવાસોનું આયોજન કરવામાં આવે છે જેમાં સમાજના અનેક લોકો ભાગ લેતા હોય છે અને પૂર્વજોને શ્રદ્ધાંજલિ આપે છે.ત્યારે આજના દિવાસોમાં દેવીપૂજક સમાજના અગ્રણીઓ સાથે રાજ્યના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા પણ હાજર રહ્યા હતા.

દરેક સમાજની અલગ અલગ પરંપરા હોય છે તેવી જ રીતે દેવીપૂજક સમાજની પણ એક પરંપરા છે જે મુજબ દર વર્ષે અમાસના દિવસે દિવાસો તરીકે રાખવામાં આવે છે અને આ દિવસે પોતાના સ્વજનો જે મૃત્ય પામ્યા હોય તેમને યાદ કરવામાં આવે છે અને તેમની પૂજા કરવામાં આવે છે.આ દિવસે સ્વજનોને યાદ કરીને તેમને મનગમતી વસ્તુ પણ ધરાવવામાં આવે છે.લોકો આજના દિવસે સ્વજનોને યાદ કરીને રડતા પણ હોય છે.

શહેરના ચામુંડા ખાતેના સ્મશાન ગૃહ ખાતેના સ્મશાનમાં દીવાસોનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં રાજ્યભરમાંથી દેવીપૂજક સમાજના લોકોએ ભાગ લીધો હતો.લોકો પોતાના મૃતક સ્વજનોની તસ્વીરો અને ફૂલ લઈને આવ્યા હતા અને શ્રદ્ધાંજલિ આપી હતી ત્યારે રાજ્યના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા અને ધારાસભ્યો પણ હાજર રહ્યા હતા અને શ્રદ્ધાંજલિ આપી હતી.


ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.