ETV Bharat / state

રાજ્યસભા પાર્ટ-2ઃ  કોંગ્રેસને હોર્સ ટ્રેડિંગનો ભય, 14 ધારાસભ્ય જયપુર ખસેડ્યા, 36 પર આજે નિર્ણય

author img

By

Published : Mar 15, 2020, 2:28 AM IST

Updated : Mar 15, 2020, 8:42 AM IST

ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીને લઈ રાજકારણમાં ગરમાવો આવ્યો છે. તેમાં પણ ભાજપ દ્વારા પાટીદાર નેતા અને પૂર્વ કોંગ્રેસી નરહરિ અમીનને ચૂંટણીના મેદાનમાં ઉતારતાં જ કોંગ્રેસનાં મોતિયા મરી ગયા હોય તેવી સ્થિતી ઉપસ્થિત થઈ છે. તો કોંગ્રેસનાં સીનિયર નેતાઓ જ માની રહ્યા છે કે નરહરિ અમીનને કારણે કોંગ્રેસનાં ધારાસભ્યો તૂટશે. તેવામાં કોંગ્રેસનાં ધારાસભ્યો તૂટે નહીં તે માટે ગુજરાત કોંગ્રેસ ધારાસભ્યોને ગુજરાત બહાર લઈ જવાયા છે. તેમાં પણ ધારાસભ્યોને બે ગ્રૃપમાં વહેંચી રાજસ્થાનમાં અલગ-અલગ જગ્યાઓએ રાખવામાં આવ્યા છે. આ તકે રાજસ્થાન ખાતે પહોંચતાની સાથે જ આ તમામ ધારાસભ્યોનું સ્વાગત વિધાનસભાના મુખ્ય વ્હીપે કર્યુ હતું. ગુજરાતથી આવેલા તમામ કોંગી ધારાસભ્યોને નજીકના રીસોર્ટમાં રોકાણ કરેલુ છે.

કોંગ્રેસના ધારાસભ્યોને હોર્સ ટ્રેડિંગનો ભય, ગુજરાત બહાર લઈ જવાયા
કોંગ્રેસના ધારાસભ્યોને હોર્સ ટ્રેડિંગનો ભય, ગુજરાત બહાર લઈ જવાયા

અમદાવાદ : રાજ્યસભાની બે બેઠકો જીતવા માટે કોંગ્રેસના 35 ધારાસભ્યોને જયપુર લઈ જવામાં આવ્યા હતાં. જ્યારે 15 ધારાસભ્યને ઉદેપુર ખાતે લઈ જવાયા હતા. આ ધારાસભ્યો સાંજે 7 કલાકે અમદાવાદ એરપોર્ટ પરથી નીકળ્યા હતા. જેને લઈ કોંગ્રેસનાં 15 ધારાસભ્યો અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચ્યા હતા, ત્યારબાદ આ તમામ ધારાસભ્યો જયપુર ખાતે પહોંચ્યાં હતાં. આ તકે તમામ ધારાસભ્યોને પોલીસ પ્રોટેક્શન સાથે સ્વાગત કર્યુ હતું. આ તમામ ધારાસભ્યોના સ્વાગતમાં રાજસ્થાન વિધાનસભાના મુખ્ય વ્હીપ ઉપસ્થિત રહ્યાં હતાં.

કોંગ્રેસના ધારાસભ્યોને હોર્સ ટ્રેડિંગનો ભય, ગુજરાત બહાર લઈ જવાયા
આ ધારાસભ્યો પહોંચ્યા અમદાવાદ એરપોર્ટ1-અજીતસિંહ ચૌહાણ(બાલાસિનોર)2-રાજેશ ગોહિલ(ધંધુકા)3-રૂત્વિજ મકવાણા(ચોટીલા)4-પુનમભાઈ પરમાર(સોજીત્રા)5-હર્ષદ રિબડીયા(વિસાવદર)6- બળદેવજી ઠાકોર(કલોલ)7-ઈન્દ્રજીતસિંહ(મહુધા)8- લાખાભાઈ ભરવાડ(વિરમગામ)9- ચંદનજી ઠાકોર(સિદ્ધપુર)10- નાથાભાઈ પટેલ(ધાનેરા)11- ચિરાગ કાલરિયા(જામજોધપુર)12- હિંમતસિંહ પટેલ(બાપુનગર)13-ગેનીબેન ઠાકોર(વાવ)14-કાંતિ પરમાર(ઠાસરા)15-પ્રદ્યુમ્નસિંહ જાડેજાગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપ દ્વારા કોંગ્રેસનાં ધારાસભ્યોને તોડવા માટે તમામ પ્રયત્નો કરવામાં આવશે તેવું કોંગ્રેસ માનવું છે. કેમ કે, નરહરિ અમીનને નામાંકન કરતાં જ કોંગ્રેસનું મોવડીમંડળ પણ ચિંતામાં મુકાયું છે અને આ માટે જ ભાજપ દ્વારા કોઈ ધારાસભ્યને પક્ષપલટો કે તોડવામાં ન આવે તે માટે કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને રાજસ્થાન લઈ જઈ રહી છે. અને તેમાં પણ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ધારાસભ્યોને ઉદયપુરમાં રાખવામાં આવશે. જ્યારે ગુજરાતનાં અન્ય ભાગનાં જેમ કે, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતનાં ધારાસભ્યોને જયપુરમાં રાખવામાં આવશે.

ભાજપ રાજ્યસભાની ચૂંટણીમાં ફક્ત 2 જ ઉમેદવાર જીતી શકે તેમ છે. તેવામાં નરહરિ અમીનને પણ ચૂંટણી જંગમાં ઉતારતાં કોંગ્રેસને પોતાના ધારાસભ્યો પર ભરોસો રહ્યો નથી અને નરહરિ અમીન પાટીદાર ચહેરો ઉપરાંત કોંગ્રેસમાં પણ અનેક લોકો તેમનાં સંપર્કમાં હોઈ તેવું ચર્ચાઈ રહ્યું છે. તેવામાં નરહરિ અમીન પોતાના પાટીદાર ધારાસભ્યોને તોડે નહીં તે માટે મધ્ય અને ઉત્તર ગુજરાતનાં ધારાસભ્યોને ઉદયપુરમાં તો અન્યોને જયપુરમાં શિફ્ટ કરવામાં આવશે. એટલે તેનો મતલબ એમ કે, કોંગ્રેસનાં આ બે ગ્રૃપનાં ધારાસભ્યો વચ્ચે પણ કોઈ સંપર્ક નહીં થાય અને તેને કારણે તૂટવાની શક્યતા ઓછી રહે.

જો.કે કોંગ્રેસ માટે એક અત્યંત ખરાબ સમાચાર સામે આવ્યા છે. ગુજરાત કોંગ્રેસનાં એક ધારાસભ્ય હાલ સંપર્ક વિહોણા થઈ ગયા છે અને ચર્ચા છે કે તેઓ ભાજપમાં જોડાઈ શકે છે. ધારીના કોંગ્રેસનાં ધારાસભ્ય જે.વી.કાકડીયાનો સંપર્ક ન થતાં કોંગ્રેસમાં ખળભળાટ મચી જવા પામ્યો છે અને તેઓનો સંપર્ક સાધવા માટે કોંગ્રેસે તમામ પ્રયાસો હાથ કરી દીધા છે. પણ તેમ છતાં તેઓની માહિતી મળી રહી નથી. તો બીજી બાજુ એવી પણ ચર્ચા છે કે, આ ધારાસભ્ય ભાજપમાં જોડાઈ શકે છે અને જો આ ધારાસભ્ય ભાજપમાં જોડાઈ જશે તો પરેશ ધાનાણીના ગઢમાં જ ગાબડું પડશે અને તે પરેશ ધાનાણી માટે સૌથી શર્મનાક વાત કહેવાય.

અમદાવાદ : રાજ્યસભાની બે બેઠકો જીતવા માટે કોંગ્રેસના 35 ધારાસભ્યોને જયપુર લઈ જવામાં આવ્યા હતાં. જ્યારે 15 ધારાસભ્યને ઉદેપુર ખાતે લઈ જવાયા હતા. આ ધારાસભ્યો સાંજે 7 કલાકે અમદાવાદ એરપોર્ટ પરથી નીકળ્યા હતા. જેને લઈ કોંગ્રેસનાં 15 ધારાસભ્યો અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચ્યા હતા, ત્યારબાદ આ તમામ ધારાસભ્યો જયપુર ખાતે પહોંચ્યાં હતાં. આ તકે તમામ ધારાસભ્યોને પોલીસ પ્રોટેક્શન સાથે સ્વાગત કર્યુ હતું. આ તમામ ધારાસભ્યોના સ્વાગતમાં રાજસ્થાન વિધાનસભાના મુખ્ય વ્હીપ ઉપસ્થિત રહ્યાં હતાં.

કોંગ્રેસના ધારાસભ્યોને હોર્સ ટ્રેડિંગનો ભય, ગુજરાત બહાર લઈ જવાયા
આ ધારાસભ્યો પહોંચ્યા અમદાવાદ એરપોર્ટ1-અજીતસિંહ ચૌહાણ(બાલાસિનોર)2-રાજેશ ગોહિલ(ધંધુકા)3-રૂત્વિજ મકવાણા(ચોટીલા)4-પુનમભાઈ પરમાર(સોજીત્રા)5-હર્ષદ રિબડીયા(વિસાવદર)6- બળદેવજી ઠાકોર(કલોલ)7-ઈન્દ્રજીતસિંહ(મહુધા)8- લાખાભાઈ ભરવાડ(વિરમગામ)9- ચંદનજી ઠાકોર(સિદ્ધપુર)10- નાથાભાઈ પટેલ(ધાનેરા)11- ચિરાગ કાલરિયા(જામજોધપુર)12- હિંમતસિંહ પટેલ(બાપુનગર)13-ગેનીબેન ઠાકોર(વાવ)14-કાંતિ પરમાર(ઠાસરા)15-પ્રદ્યુમ્નસિંહ જાડેજાગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપ દ્વારા કોંગ્રેસનાં ધારાસભ્યોને તોડવા માટે તમામ પ્રયત્નો કરવામાં આવશે તેવું કોંગ્રેસ માનવું છે. કેમ કે, નરહરિ અમીનને નામાંકન કરતાં જ કોંગ્રેસનું મોવડીમંડળ પણ ચિંતામાં મુકાયું છે અને આ માટે જ ભાજપ દ્વારા કોઈ ધારાસભ્યને પક્ષપલટો કે તોડવામાં ન આવે તે માટે કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને રાજસ્થાન લઈ જઈ રહી છે. અને તેમાં પણ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ધારાસભ્યોને ઉદયપુરમાં રાખવામાં આવશે. જ્યારે ગુજરાતનાં અન્ય ભાગનાં જેમ કે, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતનાં ધારાસભ્યોને જયપુરમાં રાખવામાં આવશે.

ભાજપ રાજ્યસભાની ચૂંટણીમાં ફક્ત 2 જ ઉમેદવાર જીતી શકે તેમ છે. તેવામાં નરહરિ અમીનને પણ ચૂંટણી જંગમાં ઉતારતાં કોંગ્રેસને પોતાના ધારાસભ્યો પર ભરોસો રહ્યો નથી અને નરહરિ અમીન પાટીદાર ચહેરો ઉપરાંત કોંગ્રેસમાં પણ અનેક લોકો તેમનાં સંપર્કમાં હોઈ તેવું ચર્ચાઈ રહ્યું છે. તેવામાં નરહરિ અમીન પોતાના પાટીદાર ધારાસભ્યોને તોડે નહીં તે માટે મધ્ય અને ઉત્તર ગુજરાતનાં ધારાસભ્યોને ઉદયપુરમાં તો અન્યોને જયપુરમાં શિફ્ટ કરવામાં આવશે. એટલે તેનો મતલબ એમ કે, કોંગ્રેસનાં આ બે ગ્રૃપનાં ધારાસભ્યો વચ્ચે પણ કોઈ સંપર્ક નહીં થાય અને તેને કારણે તૂટવાની શક્યતા ઓછી રહે.

જો.કે કોંગ્રેસ માટે એક અત્યંત ખરાબ સમાચાર સામે આવ્યા છે. ગુજરાત કોંગ્રેસનાં એક ધારાસભ્ય હાલ સંપર્ક વિહોણા થઈ ગયા છે અને ચર્ચા છે કે તેઓ ભાજપમાં જોડાઈ શકે છે. ધારીના કોંગ્રેસનાં ધારાસભ્ય જે.વી.કાકડીયાનો સંપર્ક ન થતાં કોંગ્રેસમાં ખળભળાટ મચી જવા પામ્યો છે અને તેઓનો સંપર્ક સાધવા માટે કોંગ્રેસે તમામ પ્રયાસો હાથ કરી દીધા છે. પણ તેમ છતાં તેઓની માહિતી મળી રહી નથી. તો બીજી બાજુ એવી પણ ચર્ચા છે કે, આ ધારાસભ્ય ભાજપમાં જોડાઈ શકે છે અને જો આ ધારાસભ્ય ભાજપમાં જોડાઈ જશે તો પરેશ ધાનાણીના ગઢમાં જ ગાબડું પડશે અને તે પરેશ ધાનાણી માટે સૌથી શર્મનાક વાત કહેવાય.

Last Updated : Mar 15, 2020, 8:42 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.