ETV Bharat / state

સેરેબ્રલ પાલ્સીથી પીડાતી યુવતીને ઈચ્છામૃત્યુથી બચાવવા અંધજન મંડળે હાઈકોર્ટમાં રિટ દાખલ કરી

અમદાવાદઃ છેલ્લા 22 વર્ષથી સેરેબ્રલ પાલ્સી નામની ગંભીર બીમારીથી પીડાતી દિકરીના ઈચ્છામૃત્યુ માટે માતા-પિતા દ્વારા હાઈકોર્ટમાં દાખલ કરાયેલી અરજીને રદ કરવા અંધજન મંડળ દ્વારા રિટ દાખલ કરવામાં આવી છે. આ મામલે આગામી દિવસોમાં વધુ સુનાવણી હાથ ધરાશે.

author img

By

Published : Jul 9, 2019, 8:43 PM IST

cerebral palsy

અંધજન મંડળે દિકરીના માતા-પિતા દ્વારા ઈચ્છા-મૃત્યુની માગ કરતી અરજીનો વિરોધ કરતા આ કેસમાં મંડળને પક્ષકાર બનાવવાની માગ કરી હતી. અંધજન મંડળના કારોબારી સચિવ ભુષણ પુનાનીએ જણાવ્યું કે, દીકરીના પિતા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી સામે અમને કેટલાક વાંધાઓ છે. ઈચ્છામૃત્યુ એવા દર્દી માટે હોય છે કે, જેમને લાઈફ સ્પોર્ટ સિસ્ટમ સિવાય બીજો કોઈ છુટકો ન હોય, જ્યારે આ કેસમાં દિકરી ખુરશી પર બેસી શકે, બોલી શકે અને જોઈ પણ શકે છે. બિમારી અને વિકલાંગતામાં તફાવત હોય છે. દેશમાં 2 કરોડથી વધુ લોકો વિકલાંગતાનો સામનો કરી રહ્યાં છે.

સેરેબ્રલ પાલ્સી પીડાતી યુવતીને ઈચ્છામૃત્યુથી બચાવવા અંધજન મંડળે હાઈકોર્ટમાં રિટ દાખલ કરી

અંધજન મંડળે સેરેબલ પલ્સીથી પીડિતી યુવતીને સ્પેશયલ વિભાગ કે સંસ્થામાં મૂકવાની તૈયારી બતાવી છે. પરિવાજ ઈચ્છે તો દિકરીને અંધજન મંડળમાં પણ રાખી શકે છે. વિકલાંગતાને લીધે કોઈના જીવનો અંત લાવવુંએ કાયદા અને માનવતા વિદ્ધધનું કૃત્ય છે. ઉલ્લેખનીય છે કે, ગત 13મી માર્ચના રોજ સેરેબ્રલ પલ્સીથી પીડાતી દિકરીના ઈચ્છામૃત્યુ માટે માતા-પિતા દ્વારા હાઈકોર્ટમાં રિટ દાખલ કરવામાં આવી હતી. જેમાં કોર્ટે રાજ્ય સરકાર સહિત તમામ પક્ષકારોને નોટિસ પાઠવી ખુલાસો માંગ્યો હતો. સરકાર તરફથી જવાબ રજૂ કરાયા બાદ હાઇકોર્ટ દ્વારા નિર્ણય લેવામાં આવશે.

પીડિતાની ઉંમર 23 વર્ષ છે, જ્યારે છેલ્લા 22 વર્ષથી તે આ ગંભીર બીમારીથી પીડાઈ રહી હોવાથી સ્થિતિ એટલી હદે ખરાબ છે કે, તે પોતાનું એક પણ કાર્ય જાતે કરી શકતી નથી. જેથી રોજે-રોજ દર્દથી દીકરીને કણસતી જોવી આ મા-બાપ માટે અસહ્ય બની રહ્યું છે. અમદાવાદના રહેવાસી દેવેન્દ્રભાઈ રાજગોર અને પલક રાજગોર દ્વારા હાઈકોર્ટમાં પોતાની દિકરીને મૃત્યુ આપવા માટે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી હતી. પીડિતાના પિતા દેવેન્દ્રભાઈ રાજગોરે જણાવ્યું કે, સેરેબ્રલ પાલસી નામની બીમારી છે. તેના મગજની સાથે તેના કોઈ અંગ કાર્યરત નથી. તે અમારી પર આધારીત છે. અમે કોર્ટમાં બેબીને ઈચ્છામૃત્યુ મળે તેવા માટે માંગણી કરી હતી.

લાખો રૂપિયા ખર્ચીને પણ પરિવાર પોતાની દિકરીને સાજી કરી શક્યો નથી. દિકરીની પીડા જોઈને માતા-પિતા પણ બીમારીનો ભોગ બની રહ્યા છે. માં-બાપને એક જ ચિંતા છે કે, અમારી હૈયાતી નઈ હોય ત્યારે આનું કોણ? પીડિતાની માતા પલકબેને જણાવાયું કે, તે અમારા પર જ આધારીત છે, અમારી તકલીફએ છે કે, જ્યારે અમે નહી હોઈએ ત્યારે તેની હાલત ખૂબ જ દયનીય થઈ જાશે.

પીડિતા સેરેબ્રલ પાલસી જેવી ગંભીર બીમારીનો ભોગ બની છે. પીડિતા દિવસેને દિવસે તેનું શરીર તેનો સાથ છોડી રહ્યું છે. પીડિતાના શરીરના અંગ વાંકા થવા લાગ્યા છે. 23 વર્ષની પીડિતા એક પણ શબ્દ બોલી પણ નથી શકતી. જેથી માં-બાપ પોતાના પરિવારથી દૂર થઈ ગયા છે. કોઈ વાર તહેવાર પણ નથી ઉજવી શકતા કે નથી કોઈ સામાજિક પ્રસંગમાં હાજરી આપી શકતા નથી. આ મામલે અગામી દિવસોમાં વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.

અંધજન મંડળે દિકરીના માતા-પિતા દ્વારા ઈચ્છા-મૃત્યુની માગ કરતી અરજીનો વિરોધ કરતા આ કેસમાં મંડળને પક્ષકાર બનાવવાની માગ કરી હતી. અંધજન મંડળના કારોબારી સચિવ ભુષણ પુનાનીએ જણાવ્યું કે, દીકરીના પિતા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી સામે અમને કેટલાક વાંધાઓ છે. ઈચ્છામૃત્યુ એવા દર્દી માટે હોય છે કે, જેમને લાઈફ સ્પોર્ટ સિસ્ટમ સિવાય બીજો કોઈ છુટકો ન હોય, જ્યારે આ કેસમાં દિકરી ખુરશી પર બેસી શકે, બોલી શકે અને જોઈ પણ શકે છે. બિમારી અને વિકલાંગતામાં તફાવત હોય છે. દેશમાં 2 કરોડથી વધુ લોકો વિકલાંગતાનો સામનો કરી રહ્યાં છે.

સેરેબ્રલ પાલ્સી પીડાતી યુવતીને ઈચ્છામૃત્યુથી બચાવવા અંધજન મંડળે હાઈકોર્ટમાં રિટ દાખલ કરી

અંધજન મંડળે સેરેબલ પલ્સીથી પીડિતી યુવતીને સ્પેશયલ વિભાગ કે સંસ્થામાં મૂકવાની તૈયારી બતાવી છે. પરિવાજ ઈચ્છે તો દિકરીને અંધજન મંડળમાં પણ રાખી શકે છે. વિકલાંગતાને લીધે કોઈના જીવનો અંત લાવવુંએ કાયદા અને માનવતા વિદ્ધધનું કૃત્ય છે. ઉલ્લેખનીય છે કે, ગત 13મી માર્ચના રોજ સેરેબ્રલ પલ્સીથી પીડાતી દિકરીના ઈચ્છામૃત્યુ માટે માતા-પિતા દ્વારા હાઈકોર્ટમાં રિટ દાખલ કરવામાં આવી હતી. જેમાં કોર્ટે રાજ્ય સરકાર સહિત તમામ પક્ષકારોને નોટિસ પાઠવી ખુલાસો માંગ્યો હતો. સરકાર તરફથી જવાબ રજૂ કરાયા બાદ હાઇકોર્ટ દ્વારા નિર્ણય લેવામાં આવશે.

પીડિતાની ઉંમર 23 વર્ષ છે, જ્યારે છેલ્લા 22 વર્ષથી તે આ ગંભીર બીમારીથી પીડાઈ રહી હોવાથી સ્થિતિ એટલી હદે ખરાબ છે કે, તે પોતાનું એક પણ કાર્ય જાતે કરી શકતી નથી. જેથી રોજે-રોજ દર્દથી દીકરીને કણસતી જોવી આ મા-બાપ માટે અસહ્ય બની રહ્યું છે. અમદાવાદના રહેવાસી દેવેન્દ્રભાઈ રાજગોર અને પલક રાજગોર દ્વારા હાઈકોર્ટમાં પોતાની દિકરીને મૃત્યુ આપવા માટે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી હતી. પીડિતાના પિતા દેવેન્દ્રભાઈ રાજગોરે જણાવ્યું કે, સેરેબ્રલ પાલસી નામની બીમારી છે. તેના મગજની સાથે તેના કોઈ અંગ કાર્યરત નથી. તે અમારી પર આધારીત છે. અમે કોર્ટમાં બેબીને ઈચ્છામૃત્યુ મળે તેવા માટે માંગણી કરી હતી.

લાખો રૂપિયા ખર્ચીને પણ પરિવાર પોતાની દિકરીને સાજી કરી શક્યો નથી. દિકરીની પીડા જોઈને માતા-પિતા પણ બીમારીનો ભોગ બની રહ્યા છે. માં-બાપને એક જ ચિંતા છે કે, અમારી હૈયાતી નઈ હોય ત્યારે આનું કોણ? પીડિતાની માતા પલકબેને જણાવાયું કે, તે અમારા પર જ આધારીત છે, અમારી તકલીફએ છે કે, જ્યારે અમે નહી હોઈએ ત્યારે તેની હાલત ખૂબ જ દયનીય થઈ જાશે.

પીડિતા સેરેબ્રલ પાલસી જેવી ગંભીર બીમારીનો ભોગ બની છે. પીડિતા દિવસેને દિવસે તેનું શરીર તેનો સાથ છોડી રહ્યું છે. પીડિતાના શરીરના અંગ વાંકા થવા લાગ્યા છે. 23 વર્ષની પીડિતા એક પણ શબ્દ બોલી પણ નથી શકતી. જેથી માં-બાપ પોતાના પરિવારથી દૂર થઈ ગયા છે. કોઈ વાર તહેવાર પણ નથી ઉજવી શકતા કે નથી કોઈ સામાજિક પ્રસંગમાં હાજરી આપી શકતા નથી. આ મામલે અગામી દિવસોમાં વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.

Intro:છેલ્લા 22 વર્ષથી સેરેબલ પાલસી નામની ગંભીર બીમારીથી પીડાતી દીકરીના ઈચ્છામૃત્યુ માટે માતા-પિતા દ્રારા હાઈકોર્ટમાં દાખલ કરાયેલી અરજીને રદ જાહેર કરવા અધંજન મંડળ દ્વારા રિટ દાખલ કરવામાં આવી હોવાની વિગતો સામે આવી છે..આ મામલે અગામી દિવસોમાં વધું સુનાવણી હાથ ધરાશે....

Body:અંધજન મંડળે દિકરીના માતા-પિતા દ્વારા ઈચ્છા-મૃત્યુની માંગ કરતી અરજીનો વિરોધ કરતા આ કેસમાં મંડળને પક્ષકાર બનાવવાની માંગ કરી હતી. અંધજન મંડળના કારોબારી સચિવ ભુષણ પુનાનીએ જણાવ્યું હતું કે દિકરીના પિતા દ્વારા દાખલ કરવામાં આવેલી સામે અમને કેટલોક વાંધો છે..ઈચ્છામૃત્યુ એવા દર્દી માટે હોય છે કે જેમને લાઈફ સ્પોર્ટ સિસ્ટમ સિવાય બીજો કોઈ છુટકો ન હોય જ્યારે આ કેસામાં દીકરી ખુરશી પર બેસી શકે, બોલી શકે અને જોઈ પણ શકે છે....બિમારી અને વિકલાંગતામાં તફાવત હોય છે. દેશમાં 2 કરોડથી વધુ લોકો વિકલાંગતાનો સામનો કરી રહ્યાં છે.

અંધજન મંડળે સેરેબલ પલ્સીથી પીડિતી યુવતીને સ્પેશયલ વિભાગ કે સંસ્થામાં મૂકવાની તૈયારી બતાવી છે. પરિવાજ ઈચ્છે તો દિકરીને અંધજન મંડળમાં પણ રાખી શકે છે. વિકલાંગતાને લીધે કોઈના જીવનો અંત લાવવું એ કાયદા અને માનવતા વિરૂધનું કૃત્ય છે..ઉલ્લેખનીય છે કે ગત 13મી માર્ચના રોજ સેરેબલ પલ્સીથી પીડાતી દિકરીના ઈચ્છામૃત્યુ માટે માતા-પિતા દ્વારા હાઈકોર્ટમાં રિટ દાખલ કરવામાં આવી હતી જેમાં કોર્ટે રાજ્ય સરકાર સહિત તમામ પક્ષકારોને નોટિસ પાઠવી ખુલાસો માંગ્યો હતો..સરકાર તરફથી જવાબ રજૂ કરાયા બાદ હાઇકોર્ટ દ્વારા નિર્ણય લેવામાં આવશે..

પીડિતાની ઉંમર 23 વર્ષ છે જ્યારે છેલ્લા 22 વર્ષથી તે આ ગંભીર બીમારીથી પીડાઈ રહી હોવાથી સ્થિતિ એટલી હદે ખરાબ છે કે તે પોતાનું એક પણ કાર્ય જાતે કરી શકતી નથી. જેથી રોજે-રોજ દર્દથી દીકરીને કણસતી જોવી આ મા-બાપ માટે અસહ્ય બની રહ્યું છે...અમદાવાદના રહેવાસી દેવેન્દ્રભાઈ રાજગોર અને પલક રાજગોર ઘ્વારા હાઈકોર્ટમાં પોતાની દીકરીને મૃત્યુ આપવા માટે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી હતૂ....પીડિતાના પિતા દેવેન્દ્રભાઈ રાજગોરે જણાવ્યું કે સેલેબલ પાલસી નામની બીમારી છે તેના મગજની સાથે તેના કોઈ અંગ કાર્યરત નથી.. તે અમારી પર આધારીત છે.. અમે કોર્ટમાં બેબીને ઈચ્છામૃત્યુ મળે તે માટે માંગણી કરી હતી..

Conclusion:લાખો રૂપિયા ખર્ચીને પણ પરિવાર પોતાની દીકરીને સાજી કરી શક્યો નથી.દીકરીની પીડા જોઈને માતા પિતા પણ બીમારીનો ભોગ બની રહ્યા છે...અને માં-બાપને એક જ ચિંતા છે કે અમારી હૈયાતી નઈ હોય ત્યારે આનું કોણ...પીડિતાની માતા પલકબેને જણાવાયું કે તે અમારા પર જ આધારીત છે અમારી તકલીફ એ છે કે જ્યારે અમે નહી હોઈએ ત્યારે તેની હાલત ખૂબ જ દયનીય થઈ જાય છે...


પીડિતા સેરેબલ પાલસી જેવી ગંભીર બીમારીનો ભોગ બની છે કે દિવસે ને દિવસે તેનું શરીર તેનો સાથ છોડી રહ્યું છે...પીડિતા ના શરીરના અંગ વાંકા થવા લાગ્યા છે...23 વર્ષની પીડિતા એક પણ શબ્દ બોલી પણ નથી શકતી.જેથી માં-બાપ પોતાના પરિવારથી દૂર થઈ ગયા છે...કોઈ વાર તહેવાર પણ નથી ઉજવી શકતા કે નથી કોઈ સામાજિક પ્રસંગમાં હાજરી આપી શકતા નથી. આ મામલે અગામી દિવસોમાં વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે....
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.