ETV Bharat / state

Biparjoy Cyclone: બિપરજોયની અસર નહીં થાય, દરિયાકિનારે હળવા વરસાદથી ચોમાસાની એન્ટ્રી

author img

By

Published : Jun 9, 2023, 9:10 AM IST

Updated : Jun 9, 2023, 11:17 AM IST

કેરળમાં નૈઋત્યના ચોમાસાનું આગમન થઈ ગયું છે. ગુજરાત રાજ્યમાં હવે તારીખ 20 જૂનથી ચોમાસાની એન્ટ્રી થઈ શકે છે. આ અંગની એક ખાસ આગાહી હવામાન વિભાગ તરફથી કરવામાં આવી છે. સામાન્ય રીતે ગુજરાત રાજ્યમાં ચોમાસાનું આગમન જૂન મહિનાના બીજા કે ત્રીજા અઠવાડિયામાં થાય છે. પણ આ વખતે કેરળમાં ચોમાસાનું આગમન મોડું થતા ગુજરાતમાં પણ ચોમાસું મોડું પહોંચશે. એવી પૂરી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.

Ecyclone Biparjoy: બીપોરજોય ચક્રવાત ગુજરાત રાજ્યની અસર દરિયાકાંઠાના જિલ્લા વિસ્તારમાં હવામાનની આગાહીtv Bharat
cyclone Biparjoy: બીપોરજોય ચક્રવાત ગુજરાત રાજ્યની અસર દરિયાકાંઠાના જિલ્લા વિસ્તારમાં હવામાનની આગાહીEtv Bharat

અમદાવાદઃ રાજ્યના હવામાન ખાતાના ડાયરેક્ટર મનોરંમા મોહંતીએ જણાવ્યું હતુ કે, સામાન્ય રીતે કેરળમાં ચોમાસું શરૂ થયા બાદ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થાય છે. કેરળ રાજ્યમાં વરસાદ થયાના 15થી 20 દિવસ બાદ ગુજરાતમાં ચોમાસું સક્રિય થાય છે. મુંબઈ શહેરમાં ચોમાસાના આગમન બાદ ગુજરાતના મહાનગરમાં વરસાદ પડવાની શરૂઆત થાય છે. ગુજરાતમાં આ વખતે ચોમાસું સામાન્ય રહેવાની સંભાવના છે. હવામાન શાસ્ત્રીઓ પણ આ વાત માની રહ્યા છે. ગુજરાત રાજ્યમાં તારીખ 15 જૂન બાદ ચોમાસુ સક્રિય થઈ શકે છે. પ્રથમ તબક્કામાં ચોમાસું સામાન્ય રહેવાની પૂરી શક્યતાઓ છે.

સૌરાષ્ટ્ર-કચ્છને અસરઃ આ વખતે સૌરાષ્ટ્ર-ક્ચ્છમાં સામાન્ય કરતા ઓછો વરસાદ પડી શકે છે. અરબી સમુદ્રમાં સર્જાયેલા બિપરજોય વાવાઝોડાને કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો આવે એવી સંભાવના હોય છે. મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં તથા સૌરાષ્ટ્રમાં સતત ચાર દિવસ હળવો વરસાદ પડી શકે છે. વરસાદની સાથે ભારે પવન ફૂંકાવવાની પૂરી સંભાવનાઓ છે. નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગરમાં વરસાદ પડવાની શક્યતાઓ છે. હવામાન ખાતાના રીપોર્ટ અનુસાર શુક્રવારથી ચાર દિવસ સુધી વરસાદ પડવાની પૂરી શક્યતાઓ છે. આણંદ, વડોદરા, સુરત, નવાસારી, ડાંગ, નર્મદા, જામનગર, દ્વારકા, અમરેલી, ગીર સોમનાથ તથા ભાવનગરના ગ્રામ્ય પંથકમાં હળવા ઝાપટા પડી શકે છે.

દરિયા કિનારે અસરઃ વાવાઝોડાની આંશિક અસર દરિયા પર જોવા મળી શકે છે. શનિવારે સુરત, નવસારી, ડાંગ, વલસાડ, ભરૂચ, તાપી, જૂનાગઢ, અમરેલી તથા ભાવનગરમાં વરસાદ થવાની શક્યતાઓ છે. જ્યારે રવિવારે વડોદરા, સુરત, નવસારી, ડાંગ, નર્મદા, વલસાડ, ભરૂચ, રાજકોટ તથા પોરબંદરમાં વરસાદ પડશે. દરિયાકાંઠાના વિસ્તારમાં ભારે પવન સાથે ઝાપટા પડી શકે છે. અમદાવાદ સહિત ગુજરાત આખામાં વાવાઝોડાની અસરના પગલે વરસાદ પડી શકે છે. 15 જૂન પહેલાનો વરસાદ વાવાઝોડાના ભાગ રૂપે નથી.

સોમવાર સુધી આગાહીઃ સોમવારે આણંદ, વડોદરા, સુરત, નવસારી, ડાંગ, નર્મદા, વલસાડ, ભરૂચ, તાપી, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, જામનગર તથા દ્વારકા-અમરેલીમાં વરસાદ પડવાની પૂરી સંભાવનાઓ છે. સતત ચાર દિવસ સુધી વરસાદી માહોલ જોવા મળી શકે છે. જોકે, સત્તાવાર રીતે ગુજરાતમાં ચોમાસું 15 જૂન પછી શરૂ થવાની સંભાવના છે. સતત ત્રણ દિવસ સુધી દરિયાથી નજીકના વિસ્તારમાં આવેલા પંથકમાં ભારે પવનને કારણે વાવાઝોડા જેવો પવન ફૂંકાશે. જોકે, સતત બદલી રહેલા વાતાવરણને કારણે લોકોના જનજીવન ઉપર પણ અસર થઈ રહી છે.

  1. Cyclone Biporjoy Update: રાજ્યમાં "બિપરજોય" વાવાઝોડું ત્રાટકવાની સંભાવના, હવામાન વિભાગે આપી માહિતી
  2. Gujarat Weather : ગુજરાતના દરિયાકિનારે વાવાઝોડુ ત્રાટકવાની સંભાવના, તમામ પોર્ટ પર 1 નંબરનું સિગ્નલ

અમદાવાદઃ રાજ્યના હવામાન ખાતાના ડાયરેક્ટર મનોરંમા મોહંતીએ જણાવ્યું હતુ કે, સામાન્ય રીતે કેરળમાં ચોમાસું શરૂ થયા બાદ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થાય છે. કેરળ રાજ્યમાં વરસાદ થયાના 15થી 20 દિવસ બાદ ગુજરાતમાં ચોમાસું સક્રિય થાય છે. મુંબઈ શહેરમાં ચોમાસાના આગમન બાદ ગુજરાતના મહાનગરમાં વરસાદ પડવાની શરૂઆત થાય છે. ગુજરાતમાં આ વખતે ચોમાસું સામાન્ય રહેવાની સંભાવના છે. હવામાન શાસ્ત્રીઓ પણ આ વાત માની રહ્યા છે. ગુજરાત રાજ્યમાં તારીખ 15 જૂન બાદ ચોમાસુ સક્રિય થઈ શકે છે. પ્રથમ તબક્કામાં ચોમાસું સામાન્ય રહેવાની પૂરી શક્યતાઓ છે.

સૌરાષ્ટ્ર-કચ્છને અસરઃ આ વખતે સૌરાષ્ટ્ર-ક્ચ્છમાં સામાન્ય કરતા ઓછો વરસાદ પડી શકે છે. અરબી સમુદ્રમાં સર્જાયેલા બિપરજોય વાવાઝોડાને કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો આવે એવી સંભાવના હોય છે. મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં તથા સૌરાષ્ટ્રમાં સતત ચાર દિવસ હળવો વરસાદ પડી શકે છે. વરસાદની સાથે ભારે પવન ફૂંકાવવાની પૂરી સંભાવનાઓ છે. નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગરમાં વરસાદ પડવાની શક્યતાઓ છે. હવામાન ખાતાના રીપોર્ટ અનુસાર શુક્રવારથી ચાર દિવસ સુધી વરસાદ પડવાની પૂરી શક્યતાઓ છે. આણંદ, વડોદરા, સુરત, નવાસારી, ડાંગ, નર્મદા, જામનગર, દ્વારકા, અમરેલી, ગીર સોમનાથ તથા ભાવનગરના ગ્રામ્ય પંથકમાં હળવા ઝાપટા પડી શકે છે.

દરિયા કિનારે અસરઃ વાવાઝોડાની આંશિક અસર દરિયા પર જોવા મળી શકે છે. શનિવારે સુરત, નવસારી, ડાંગ, વલસાડ, ભરૂચ, તાપી, જૂનાગઢ, અમરેલી તથા ભાવનગરમાં વરસાદ થવાની શક્યતાઓ છે. જ્યારે રવિવારે વડોદરા, સુરત, નવસારી, ડાંગ, નર્મદા, વલસાડ, ભરૂચ, રાજકોટ તથા પોરબંદરમાં વરસાદ પડશે. દરિયાકાંઠાના વિસ્તારમાં ભારે પવન સાથે ઝાપટા પડી શકે છે. અમદાવાદ સહિત ગુજરાત આખામાં વાવાઝોડાની અસરના પગલે વરસાદ પડી શકે છે. 15 જૂન પહેલાનો વરસાદ વાવાઝોડાના ભાગ રૂપે નથી.

સોમવાર સુધી આગાહીઃ સોમવારે આણંદ, વડોદરા, સુરત, નવસારી, ડાંગ, નર્મદા, વલસાડ, ભરૂચ, તાપી, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, જામનગર તથા દ્વારકા-અમરેલીમાં વરસાદ પડવાની પૂરી સંભાવનાઓ છે. સતત ચાર દિવસ સુધી વરસાદી માહોલ જોવા મળી શકે છે. જોકે, સત્તાવાર રીતે ગુજરાતમાં ચોમાસું 15 જૂન પછી શરૂ થવાની સંભાવના છે. સતત ત્રણ દિવસ સુધી દરિયાથી નજીકના વિસ્તારમાં આવેલા પંથકમાં ભારે પવનને કારણે વાવાઝોડા જેવો પવન ફૂંકાશે. જોકે, સતત બદલી રહેલા વાતાવરણને કારણે લોકોના જનજીવન ઉપર પણ અસર થઈ રહી છે.

  1. Cyclone Biporjoy Update: રાજ્યમાં "બિપરજોય" વાવાઝોડું ત્રાટકવાની સંભાવના, હવામાન વિભાગે આપી માહિતી
  2. Gujarat Weather : ગુજરાતના દરિયાકિનારે વાવાઝોડુ ત્રાટકવાની સંભાવના, તમામ પોર્ટ પર 1 નંબરનું સિગ્નલ
Last Updated : Jun 9, 2023, 11:17 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.