- આઝાદીના અમૃત મહોત્સવ નિમિતે વિશેષ આયોજન
- ઇન્ડો તિબેટ બોર્ડર પોલીસના જવાનોની સાયકલ રેલી
- 31 ઓક્ટોબર રાષ્ટ્રીય એકતા દિવસની પરેડમાં લેશે ભાગ
અમદાવાદઃ શહેરમાં આઝાદીના અમૃત મહોત્સવ(Amrut Mahotsav of Independence) નિમિતે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે ઇન્ડો તિબેટ બોર્ડર પોલીસના જવાનોની સાયકલ રેલી પણ કરવામાં આવી હતી. તે રેલી ઈન્દિરાબ્રિજ સુધી પહોંચી હતી. આ સાથે રેલીનું ઈન્દિરાબ્રિજ ખાતે શહેર પોલીસ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. લેહથી નીકળેલી આ સાયકલ રેલી કેવડિયા પહોંચી હતી.31 ઓક્ટોબર રાષ્ટ્રીય એકતા દિવસ(October 31 National Unity Day)ની પરેડમાં ભાગ લેશે. ત્યારે શહેર પોલીસ દ્વારા તમામ જવાનોનું ફૂલો આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારે હવે આ સાયકલ રેલી કેવડિયા જવા રવાના થઈ છે.
અમૃત મહોત્સવનો ઉદ્દેશ દેશને આત્મનિર્ભરતા તરફ દોરવાનો
અમૃત મહોત્સવ પર બોલતા વડાપ્રધાને કહ્યું હતું કે, આઝાદીનો અમૃત મહોત્સવ(Amrut Mahotsav of Independence) એટલે આત્મનિર્ભરતાનો મહોત્સવ, રાષ્ટ્રના નિર્માણનો મહોત્સવ, દેશના સ્વપ્નને પૂરા કરવાનો મહોત્સવ. અમૃત મહોત્સવ અંતર્ગત આજે દેશમાં ઠેર-ઠેર ઉજવણીનો આરંભ થયો છે. 75 અઠવાડિયા એટલે કે 2023 સુધી આ કાર્યક્રમ ચાલવાનો છે. સાથે જ સુભાષચંદ્ર બોઝની 125મી જન્મજયંતિ પણ આ મહોત્સવ સાથે ઉજવાશે. અમૃત મહોત્સવનો ઉદેશ દેશને આત્મનિર્ભરતા તરફ દોરવાનો છે.
રાષ્ટ્રના નવ જાગરણનો આરંભ કરવા આવાહન
આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના આરંભ સાથે રાષ્ટ્રના નવ જાગરણનો આરંભ કરવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સમગ્ર દેશની પ્રજાને આવાહન આપ્યું હતું.આ સાથે પ્રધાનમંત્રીએ દેશના દરેક નાગરિકને આઝાદીના અમૃત મહોત્સવમાં ભાગીદાર બનવા આમંત્રણ પણ આપ્યું હતું. 12મી માર્ચથી શરૂ થયેલા આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી 15મી ઓગસ્ટ 2023 સુધી ચાલશે. આઝાદીના અમૃત મહોત્સવનું અમૃત નવા સંકલ્પ અને આત્મનિર્ભરતા છે.
આ પણ વાંચોઃ કોઈ પણ ક્ષેત્રમાં સફળ થવા તમારૂ બેસ્ટ પરફોર્મન્સ આપો : ભાવિના પટેલ
આ પણ વાંચોઃ ઘોઘાથી હજીરા પોહચેલું જહાજ 2 કલાક પાણીમાં રહેતા મુસાફરોના જીવ તાળવે ચોટ્યા