ETV Bharat / state

અમદાવાદમાં બેન્ક મેનેજરની પત્નીએ કરી આત્મહત્યા

author img

By

Published : Aug 26, 2020, 8:24 PM IST

અમદાવાદના વસ્ત્રાપુરમાં એક મહિલાએ પૂજા-પાઠ કરવાના બહાને રૂમમાં ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. હાલ સમગ્ર મામલે પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

suicide news
suicide news

અમદાવાદઃ શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા એક એપાર્ટમેન્ટમાં રહતા બેન્કના સિનિયર મેનેજરના પત્નીએ ગળા ફાંસો કાઇ આત્મહત્યા કરી જીવન ટૂંકાવ્યું છે. સમગ્ર વિસ્તારમાં આ ઘટનાથી ચકચાર મચી ગયો છે. મનિષાબેને ઘરમાં હાજર દીકરીને કહ્યું હતું કે, બે કલાક સુધી પૂજા-પાઠ કરું છું જેથી રૂમનો દરવાજો કોઈ ખોલતાં નહીં. તેવું કહી પૂજાના રૂમમાં જઇ ગળાફાંસો ખાઈ લીધો હતો.

વસ્ત્રાપુર PI વાય.બી.જાડેજાએ જણાવ્યું કે, મૃતક મહિલા પાસેથી એક સ્યૂસાઇડ નોટ પણ મળી છે. જેમાં લખ્યું હતું કે, તેઓ ધાર્મિક વૃત્તિના હતા અને તેમને મોર્ડન લાઈફ સ્ટાઈલ અનૂકુળ આવતી ન હોવાથી પોતાનું જીવન હવે પૂરું થઈ ગયું છે અને પોતાના મોત માટે કોઇ જવાબદાર નથી તેવું જણાવી ઘરમાં ગળેફાંસો ખાઈ લીધો હતો.

પૂજાપાઠ કરવાના બહાને રૂમમાં ગળાફાંસો ખાધો
પૂજાપાઠ કરવાના બહાને રૂમમાં ગળાફાંસો ખાધો

બપોરના સમયે મનીષાબેને દીકરી શ્રેયાને કહ્યું હતું કે, પૂજા-પાઠના રૂમમાં હું બે કલાક સુધી પૂજાપાઠ કરું છું જેથી રૂમ કોઈએ ખોલવો નહીં. કલાકો સુધી દરવાજો ન ખોલતાં દીકરી ગભરાઈ ગઈ હતી. જેથી તેને બીજી ચાવીથી શ્રેયાએ દરવાજો ખોલતાં મનીષાબેન પંખા સાથે દુપટ્ટા વડે ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવી દીધુ હતું.

દીકરી શ્રેયા ગભરાઈ જતા તુરંત તેણે આ અંગે પિતાને જાણ કરતા રાકેશભાઈ ઘરે દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી. વસ્ત્રાપુર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. મૃતદેહને પોસ્ટમોટમ માટે મોકલવામા આવ્યો હતો. પોલીસે અકસ્માત મોત નોંધી તપાસ શરૂ કરી છે.

અમદાવાદઃ શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા એક એપાર્ટમેન્ટમાં રહતા બેન્કના સિનિયર મેનેજરના પત્નીએ ગળા ફાંસો કાઇ આત્મહત્યા કરી જીવન ટૂંકાવ્યું છે. સમગ્ર વિસ્તારમાં આ ઘટનાથી ચકચાર મચી ગયો છે. મનિષાબેને ઘરમાં હાજર દીકરીને કહ્યું હતું કે, બે કલાક સુધી પૂજા-પાઠ કરું છું જેથી રૂમનો દરવાજો કોઈ ખોલતાં નહીં. તેવું કહી પૂજાના રૂમમાં જઇ ગળાફાંસો ખાઈ લીધો હતો.

વસ્ત્રાપુર PI વાય.બી.જાડેજાએ જણાવ્યું કે, મૃતક મહિલા પાસેથી એક સ્યૂસાઇડ નોટ પણ મળી છે. જેમાં લખ્યું હતું કે, તેઓ ધાર્મિક વૃત્તિના હતા અને તેમને મોર્ડન લાઈફ સ્ટાઈલ અનૂકુળ આવતી ન હોવાથી પોતાનું જીવન હવે પૂરું થઈ ગયું છે અને પોતાના મોત માટે કોઇ જવાબદાર નથી તેવું જણાવી ઘરમાં ગળેફાંસો ખાઈ લીધો હતો.

પૂજાપાઠ કરવાના બહાને રૂમમાં ગળાફાંસો ખાધો
પૂજાપાઠ કરવાના બહાને રૂમમાં ગળાફાંસો ખાધો

બપોરના સમયે મનીષાબેને દીકરી શ્રેયાને કહ્યું હતું કે, પૂજા-પાઠના રૂમમાં હું બે કલાક સુધી પૂજાપાઠ કરું છું જેથી રૂમ કોઈએ ખોલવો નહીં. કલાકો સુધી દરવાજો ન ખોલતાં દીકરી ગભરાઈ ગઈ હતી. જેથી તેને બીજી ચાવીથી શ્રેયાએ દરવાજો ખોલતાં મનીષાબેન પંખા સાથે દુપટ્ટા વડે ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવી દીધુ હતું.

દીકરી શ્રેયા ગભરાઈ જતા તુરંત તેણે આ અંગે પિતાને જાણ કરતા રાકેશભાઈ ઘરે દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી. વસ્ત્રાપુર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. મૃતદેહને પોસ્ટમોટમ માટે મોકલવામા આવ્યો હતો. પોલીસે અકસ્માત મોત નોંધી તપાસ શરૂ કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.