અમદાવાદ: નરોડા વિસ્તારમાં સ્પાના દેહ વ્યાપાર કરનાર આરોપીએ અમદાવાદ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી. જેને મેટ્રો કોર્ટે ફગાવી દીધી છે. સ્પાની આડમાં દેહવ્યાપાર કરનાર આરોપીઓને સમાજને કલંકિત કરનારને જામીન આપી શકાય નહીં એવા અવલોકન સાથે તેમના જામીન ફગાવી દેવામાં આવ્યા હતા.
શું છે સમગ્ર કેસ: આ સમગ્ર કેસની વિગતો જોઈએ તો અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલા બ્લુ કેલેન્ડર નામનું એક સ્પા આવેલું છે. જયંતીલાલ પંચાલ તેમજ એક મહિલા દ્વારા આ સ્પાનું સંચાલન કરવામાં આવતું હતું જો કે આ સ્પાની આડમાં દેહ વ્યાપાર થતો હોવાની માહિતી પોલીસને મળી હતી. પોલીસે આ માહિતીને આધારે એક ડમી ગ્રાહક બનાવીને સ્પામાં મોકલ્યો હતો. આ ડમી ગ્રાહકને આધારે સમગ્ર વિગતો સામે આવી હતી. ત્યારબાદ પોલીસે સ્થળ પર જઈને આરોપી જયંતીભાઈ પંચાલ અને મહિલા સંચાલક સહિત બે વ્યક્તિની ધરપકડ કરી હતી.
જામીન અરજી: આરોપીઓની ધરપકડ બાદ તેમની સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. જ્યાં તેમની પૂછપરછ દરમિયાન માહિતી સામે આવી હતી કે સ્પાના માલિકો ગ્રાહક પાસેથી ₹1,000 લેતા હતા અને એમાંથી યુવતીઓને ₹500 આપવામાં આવતા હતા. આ રીતે સ્પાના આડમાં દિવ્યા પાર ચલાવવામાં આવી રહ્યો હતો. જોકે આરોપીઓની ધરપકડ બાદ તેમણે જામીન પર છૂટવા માટે મેટ્રો કોર્ટમાં અરજી કરી હતી. આ જામીન અરજીમાં એવી રજૂઆત કરવામાં આવી હતી કે તેમની સામે જે જામીનપાત્ર ગુનો નોંધવામાં આવ્યો છે તે ખોટો છે કારણ કે આ બધા માટે ખોટી રીતે સંડોવી દેવામાં આવ્યા છે.
હાઇકોર્ટના સવાલ: આરોપીઓની જામીન અરજી પર સુનાવણી દરમિયાન કોર્ટે પ્રશ્ન કર્યા હતા કે સ્પાના આડમાં ચાલતા દેહ વ્યાપારમાં અન્ય કોણ કોણ સંડોવાયેલા છે? આમાં બીજા વ્યક્તિઓ પણ સામેલ હોઈ શકે છે. સ્પમાં જેટલી પણ યુવતીઓ હતી તેને કોણ લાવતું હતું? તે કયાંથી આવતી હતી અને આ બધામાં મુખ્ય સૂત્રધાર કોણ છે તે અંગેની બધી જ માહિતી આરોપીઓ પાસેથી મેળવવાની બાકી છે તો આવા સંજોગોને ધ્યાનમાં રાખતા આરોપીઓને જામીન આપી શકાય નહીં.
મહત્વનું અવલોકન: આ સાથે જ કોર્ટે મહત્વનું અવલોકન કરતા જણાવ્યું હતું કે સમાજમાં આવી રીતના ગંદકી ફેલાવનાર મહિલા અને પુરુષની સમાજને કલંકિત કરી રહ્યા છે. સ્પાના નામે પૈસા કમાતા હોવાથી તેમને જામીન આપી શકાય નહી. આવા પ્રકારના લોકો માટે સમાજમાં દાખલો બેસે અને આ પ્રકારના ગુના કરવાથી સજાનો ડર રહે તે બાબતને ધ્યાનમાં રાખીને પણ જામીન આપી શકાય નહીં.