ETV Bharat / state

અમદાવાદ સિવિલમાંથી અંદાજે 100થી વધુ દર્દીઓને રજા અપાઇ

author img

By

Published : May 10, 2020, 7:09 PM IST

કોરોનાને લઈને નવી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. ત્યારે આ નવી માર્ગદર્શિકા પ્રમાણે અમદાવાદ સિવિલમાંથી અંદાજે 100થી વધુ દર્દીઓને રજા આપવામાં આવી. જે દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે તેઓને છેલ્લા ત્રણ દિવસથી તાવ આવ્યો નથી અને 10 દિવસ કરતા વધુ દિવસ તેઓ દાખલ હતા. જરૂરિયાત મુજબ તમામ વ્યક્તિઓને હોમ આઇસોલેશન, સમરસ હોસ્ટલ વિગેરે જગ્યાએ જવા માટે રજીસ્ટ્રેશન હાથ ધરાયુ હતુ. તેઓને તેમના ઘર સુધી પહોંચાડવાની વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી છે.

સિવિલમાંથી અંદાજે 100થી વધુ દર્દીઓને રજા અપાઇ
સિવિલમાંથી અંદાજે 100થી વધુ દર્દીઓને રજા અપાઇ

અમદાવાદ : કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા કોરોનાના દર્દીઓની સારવારની પોલિસીમાં ફેરફાર કરવામાં આવ્યા છે. ICMR સમયાંતરે પ્રોટોકોલમાં ફેરફાર કરે છે. ત્યારે ગુજરાતમાં પણ કેન્દ્રની ગાઇડલાઇન પ્રમાણે દર્દીઓને રજા આપવામાં આવશે.

સિવિલમાંથી અંદાજે 100થી વધુ દર્દીઓને રજા અપાઇ

મુખ્યપ્રધાનના સચિવ અશ્વિનીકુમારે જણાવ્યું કે હોસ્પિટલમાં દાખલ દર્દીની સ્થિતિ સામાન્ય રહેશે તો તેમને 10 દિવસ બાદ રજા આપવામાં આવશે. એટલું જ નહિ આવા દર્દીઓને રજા આપતી વખતે તેમનો કોરોના ટેસ્ટ પણ કરવાની જરૂર નહી રહે. જ્યારે કે સરેરાશ અને ગંભીર લક્ષણો ધરાવતા દર્દીઓને પણ ગાઇડલાઇન મુજબ ટેસ્ટ કર્યા બાદ અને તેમની સ્થિતિ સામાન્ય બન્યા બાદ ડિસ્ચાર્જ કરવામાં આવશે.

અમદાવાદ : કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા કોરોનાના દર્દીઓની સારવારની પોલિસીમાં ફેરફાર કરવામાં આવ્યા છે. ICMR સમયાંતરે પ્રોટોકોલમાં ફેરફાર કરે છે. ત્યારે ગુજરાતમાં પણ કેન્દ્રની ગાઇડલાઇન પ્રમાણે દર્દીઓને રજા આપવામાં આવશે.

સિવિલમાંથી અંદાજે 100થી વધુ દર્દીઓને રજા અપાઇ

મુખ્યપ્રધાનના સચિવ અશ્વિનીકુમારે જણાવ્યું કે હોસ્પિટલમાં દાખલ દર્દીની સ્થિતિ સામાન્ય રહેશે તો તેમને 10 દિવસ બાદ રજા આપવામાં આવશે. એટલું જ નહિ આવા દર્દીઓને રજા આપતી વખતે તેમનો કોરોના ટેસ્ટ પણ કરવાની જરૂર નહી રહે. જ્યારે કે સરેરાશ અને ગંભીર લક્ષણો ધરાવતા દર્દીઓને પણ ગાઇડલાઇન મુજબ ટેસ્ટ કર્યા બાદ અને તેમની સ્થિતિ સામાન્ય બન્યા બાદ ડિસ્ચાર્જ કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.