ETV Bharat / state

અમદાવાદમાં વિશ્વનું સૌથી મોટું ઉમિયાધામ બનશે, PM મોદી કરશે ભૂમિપૂજન

અમદાવાદ: વિશ્વ ઉમિયાધામનું 4 માર્ચના રોજ PM મોદીના હસ્તે અમદાવાદમાં ઉમિયા મંદિરનું ભૂમિપૂજન કરવામાં આવશે. જેમાં અંદાજે 5 લાખ જેટલા પાટીદારો ઉપસ્થિત રહેશે, જેમાં 5000 બહેનો 5 લાખ લોકોને ભોજન પ્રસાદ પીરસશે. આ સાથે જ વડાપ્રધાન મોદી સાથે 22,000 લોકો મંદિરનું ભૂમિપૂજન કરી શકે તે પ્રકારે આયોજન કરવામાં આવ્યું છે.

author img

By

Published : Mar 2, 2019, 11:47 AM IST

સ્પોટ ફોટો

મહાશિવરાત્રીના પાવન અવસરે સોમવારે અમદાવાદના જાસપુર ખાતે વિશ્વના સૌથી મોટા ઉમિયા માતાજી મંદિરનું PM મોદીના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવનાર છે. જેમાં રાજ્ય અને વિશ્વભરનાં 5 લાખથી પણ વધુ પાટીદારો ઉમટશે. પાટીદારોની સંસ્થા ‘વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન’ અમદાવાદ દ્વારા 100 વિઘાની જમીન પર 1,000 કરોડના ખર્ચે આ વિશ્વ ઉમિયાધામ મંદિર સંકુલનું નિર્માણ થવાનું છે. જેના ભાગ રૂપે આ મહાભૂમિપૂજનનું આયોજન કરાયું છે. જેમાં 11,000થી વધુ પાટાલાઓ પર ઉમિયા માતાજી મંદિરની ભૂમિપૂજન કરી વિશ્વ રેકોર્ડનું સર્જન કરવામાં આવશે.

આ કાર્યક્રમના આયોજનમાં સહકાર આપવા 20,000 જેટલા સ્વયંસ્વેવકો છે. જેમાં 5000 બહેનો છે. જેમાં 5 લાખથી વધારે ભાવિકો ભોજનનો લાભ લેશે. આ કાર્યક્રમના સ્વયંસેવકોમાં IAS, IPS અને MLA સ્વયંસેવકો સેવા આપશે. જેમાં 2 IG, 2 કલેક્ટર, 2 ધારાસભ્યો અને 15થી વધારે પૂર્વ DYSP સેવા આપશે. રાજ્યના 7થી વધુ જિલ્લાઓમાં પાટીદાર સહિત તમામ સમાજના 20,000 લોકો સેવા આપશે. આ ભૂમિપૂજનના કાર્યક્રમમાં પાટીદાર સમાજ સિવાયના કેટલાક અન્ય સમાજની બહેનો પણ સેવા આપશે.

વિશ્વના સૌથી મોટા ઉમિયા મંદિરના ભૂમિપૂજન કાર્યક્રમની આંકડાકીય માહિતી આ મુજબ છે.

undefined
  • 650 વિઘાની જમીન પર ઉમિયાનગરનું નિર્માણ થશે
  • 5 લાખથી વધુ પાટીદારો અને અન્ય સમાજના લોકો ભાગ લેશે
  • 20,000 સ્વયંસેવકો ખડેપગે કાર્યક્રમમાં સેવા આપશે
  • 5,000 માતાઓ 5 લાખ લોકોને પ્રસાદી ભોજન કરાવશે
  • 4 લાખથી વધુ લોકોને આમંત્રણ પત્રિકા દ્વારા આમંત્રણ પાઠવ્યું છે
  • 1200થી વધુ એસ.ટી. બસ તથા ખાનગી બસોમાંથી લોકો રાજ્યભરમાંથી આવશે
  • અમદાવાદમાંથી 300 AMTS બસોમાં લોકો ઉમટશે
  • 3.75 કિમી સ્ક્વૅર ફુટના વિસ્તારમાં સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે
  • 400 વિઘાની જમીન પર 75000 કાર અને બસોનું પાર્કિંગ
  • 2,000 બાળકો માતાજીની આરતી પર સાંસ્કૃતિ પર્ફોમન્સ કરશે
  • 11,000 પાટલા પર બેસી 22 હજાર લોકો ભૂમિપૂજન કરશે

મહાશિવરાત્રીના પાવન અવસરે સોમવારે અમદાવાદના જાસપુર ખાતે વિશ્વના સૌથી મોટા ઉમિયા માતાજી મંદિરનું PM મોદીના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવનાર છે. જેમાં રાજ્ય અને વિશ્વભરનાં 5 લાખથી પણ વધુ પાટીદારો ઉમટશે. પાટીદારોની સંસ્થા ‘વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન’ અમદાવાદ દ્વારા 100 વિઘાની જમીન પર 1,000 કરોડના ખર્ચે આ વિશ્વ ઉમિયાધામ મંદિર સંકુલનું નિર્માણ થવાનું છે. જેના ભાગ રૂપે આ મહાભૂમિપૂજનનું આયોજન કરાયું છે. જેમાં 11,000થી વધુ પાટાલાઓ પર ઉમિયા માતાજી મંદિરની ભૂમિપૂજન કરી વિશ્વ રેકોર્ડનું સર્જન કરવામાં આવશે.

આ કાર્યક્રમના આયોજનમાં સહકાર આપવા 20,000 જેટલા સ્વયંસ્વેવકો છે. જેમાં 5000 બહેનો છે. જેમાં 5 લાખથી વધારે ભાવિકો ભોજનનો લાભ લેશે. આ કાર્યક્રમના સ્વયંસેવકોમાં IAS, IPS અને MLA સ્વયંસેવકો સેવા આપશે. જેમાં 2 IG, 2 કલેક્ટર, 2 ધારાસભ્યો અને 15થી વધારે પૂર્વ DYSP સેવા આપશે. રાજ્યના 7થી વધુ જિલ્લાઓમાં પાટીદાર સહિત તમામ સમાજના 20,000 લોકો સેવા આપશે. આ ભૂમિપૂજનના કાર્યક્રમમાં પાટીદાર સમાજ સિવાયના કેટલાક અન્ય સમાજની બહેનો પણ સેવા આપશે.

વિશ્વના સૌથી મોટા ઉમિયા મંદિરના ભૂમિપૂજન કાર્યક્રમની આંકડાકીય માહિતી આ મુજબ છે.

undefined
  • 650 વિઘાની જમીન પર ઉમિયાનગરનું નિર્માણ થશે
  • 5 લાખથી વધુ પાટીદારો અને અન્ય સમાજના લોકો ભાગ લેશે
  • 20,000 સ્વયંસેવકો ખડેપગે કાર્યક્રમમાં સેવા આપશે
  • 5,000 માતાઓ 5 લાખ લોકોને પ્રસાદી ભોજન કરાવશે
  • 4 લાખથી વધુ લોકોને આમંત્રણ પત્રિકા દ્વારા આમંત્રણ પાઠવ્યું છે
  • 1200થી વધુ એસ.ટી. બસ તથા ખાનગી બસોમાંથી લોકો રાજ્યભરમાંથી આવશે
  • અમદાવાદમાંથી 300 AMTS બસોમાં લોકો ઉમટશે
  • 3.75 કિમી સ્ક્વૅર ફુટના વિસ્તારમાં સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે
  • 400 વિઘાની જમીન પર 75000 કાર અને બસોનું પાર્કિંગ
  • 2,000 બાળકો માતાજીની આરતી પર સાંસ્કૃતિ પર્ફોમન્સ કરશે
  • 11,000 પાટલા પર બેસી 22 હજાર લોકો ભૂમિપૂજન કરશે
Intro:Body:

અમદાવાદમાં વિશ્વનું સૌથી મોટું ઉમિયાધામ બનશે, PM મોદી કરશે ભૂમિપૂજન



અમદાવાદ: વિશ્વ ઉમિયાધામનું 4 માર્ચના રોજ PM મોદીના હસ્તે અમદાવાદમાં ઉમિયા મંદિરનું ભૂમિપૂજન કરવામાં આવશે. જેમાં અંદાજે 5 લાખ જેટલા પાટીદારો ઉપસ્થિત રહેશે, જેમાં 5000 બહેનો 5 લાખ લોકોને ભોજન પ્રસાદ પીરસશે. આ સાથે જ વડાપ્રધાન મોદી સાથે 22,000 લોકો મંદિરનું ભૂમિપૂજન કરી શકે તે પ્રકારે આયોજન કરવામાં આવ્યું છે.



મહાશિવરાત્રીના પાવન અવસરે સોમવારે અમદાવાદના જાસપુર ખાતે વિશ્વના સૌથી મોટા ઉમિયા માતાજી મંદિરનું PM મોદીના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવનાર છે. જેમાં રાજ્ય અને વિશ્વભરનાં 5 લાખથી પણ વધુ પાટીદારો ઉમટશે. પાટીદારોની સંસ્થા ‘વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન’ અમદાવાદ દ્વારા 100 વિઘાની જમીન પર 1,000 કરોડના ખર્ચે આ વિશ્વ ઉમિયાધામ મંદિર સંકુલનું નિર્માણ થવાનું છે. જેના ભાગ રૂપે આ મહાભૂમિપૂજનનું આયોજન કરાયું છે. જેમાં 11,000થી વધુ પાટાલાઓ પર ઉમિયા માતાજી મંદિરની ભૂમિપૂજન કરી વિશ્વ રેકોર્ડનું સર્જન કરવામાં આવશે.



આ કાર્યક્રમના આયોજનમાં સહકાર આપવા 20,000 જેટલા સ્વયંસ્વેવકો છે. જેમાં 5000 બહેનો છે. જેમાં 5 લાખથી વધારે ભાવિકો ભોજનનો લાભ લેશે. આ કાર્યક્રમના સ્વયંસેવકોમાં IAS, IPS અને MLA સ્વયંસેવકો સેવા આપશે. જેમાં 2 IG, 2 કલેક્ટર, 2 ધારાસભ્યો અને 15થી વધારે પૂર્વ DYSP સેવા આપશે. રાજ્યના 7થી વધુ જિલ્લાઓમાં પાટીદાર સહિત તમામ સમાજના 20,000 લોકો સેવા આપશે.  આ ભૂમિપૂજનના કાર્યક્રમમાં પાટીદાર સમાજ સિવાયના કેટલાક અન્ય સમાજની બહેનો પણ સેવા આપશે.



વિશ્વના સૌથી મોટા ઉમિયા મંદિરના ભૂમિપૂજન કાર્યક્રમની આંકડાકીય માહિતી આ મુજબ છે.

650 વિઘાની જમીન પર ઉમિયાનગરનું નિર્માણ થશે

5 લાખથી વધુ પાટીદારો અને અન્ય સમાજના લોકો ભાગ લેશે

20,000 સ્વયંસેવકો ખડેપગે કાર્યક્રમમાં સેવા આપશે

5,000 માતાઓ 5 લાખ લોકોને પ્રસાદી ભોજન કરાવશે

4 લાખથી વધુ લોકોને આમંત્રણ પત્રિકા દ્વારા આમંત્રણ પાઠવ્યું છે

1200થી વધુ એસ.ટી. બસ તથા ખાનગી બસોમાંથી લોકો રાજ્યભરમાંથી આવશે

અમદાવાદમાંથી 300 AMTS બસોમાં લોકો ઉમટશે

3.75 કિમી સ્ક્વૅર ફુટના વિસ્તારમાં સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે

400 વિઘાની જમીન પર 75000 કાર અને બસોનું પાર્કિંગ

2,000 બાળકો માતાજીની આરતી પર સાંસ્કૃતિ પર્ફોમન્સ કરશે

11,000 પાટલા પર બેસી 22 હજાર લોકો ભૂમિપૂજન કરશે


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.