ETV Bharat / state

AMCની જુનિયર ક્લાર્કની ભરતીમાં ગેરરીતિ થઈ હોવાની આશંકા બાદ કોર્પોરેશનનો લેખિતમાં ખુલાસો - જૂનિયર ક્લાર્કની ભરતી

અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જુનિયર કલાર્કની ભરતીમાં કૌભાંડ થયાની આશંકા છે. જેનું મુખ્ય કારણ સોશિયલ મીડિયામાં ક્લાર્કની પરીક્ષાનું પરિણામ વાઇરલ થઈ રહ્યું તેને ગણવામાં આવી રહ્યું છે. જેમાં એક જ પરિવારના અનેક લોકોના નામ દેખાઈ રહ્યા છે.

file photo
file photo
author img

By

Published : Dec 3, 2019, 11:36 PM IST

એક જ પરિવારના અનેક લોકોના નામ સામે આવતા સોશિયલ મીડિયાામાં અનેક સવાલ ઉભા થયા છે. AMC દ્વારા જૂનિયર ક્લાર્કના 434 પદ માટે પરીક્ષા લેવામાં આવી હતી. 16 જેટલા પરિવારના બેથી ત્રણ સભ્યોને એપોઇન્ટમેન્ટ લેટર આપી દેવાયા છે, એટલે કે એક જ પરિવારના તમામ સભ્યોને નોકરી મળી ગઈ છે. ભૂતકાળમાં આવું ક્યારેય બન્યું નથી. એક જ પરિવારમાંથી બેથી ત્રણ ઉમેદવાર પરીક્ષા આપતા હોય અને તમામ ઉમેદવાર લેખિત પરીક્ષામાં તેમજ ઇન્ટરવ્યુમાં સારૂ મેરીટ લાવે એ બાબત ખૂબ જ ચોંકાવનારી અને શંકા ઉપજાવનારી છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જૂનિયર ક્લાર્કની ભરતીમાં ગેરરીતિ થઈ હોવાની આશંકા બાદ કોર્પોરેશનનો લેખિતમાં ખુલાસો
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જૂનિયર ક્લાર્કની ભરતીમાં ગેરરીતિ થઈ હોવાની આશંકા બાદ કોર્પોરેશનનો લેખિતમાં ખુલાસો

અગાઉ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડની સુપરવાઇઝર તથા આસિસ્ટન્ટની ભરતી માટે યોજાયેલી પરીક્ષામાં ગેરરીતિ થઇ હોવાના આક્ષેપો થયા હતા. જેને પગલે આ પરીક્ષા પણ ત્રણ વખત રદ કરવી પડી હતી. જે બાદ ચોથી વખત ફટાફટ અને શંકાસ્પદ રીતે નિમણૂક કરી દેવાઈ હતી. સ્કૂલ બોર્ડની ભરતીનું કૌભાંડ હજુ તાજુ જ છે, ત્યારે ફરીથી અમદાવાદ મ્યુનિસપિલ કોર્પોરેશનમાં સહાયક જુનિયર ક્લાર્કની ભરતીમાં મોટું કૌભાંડ થયું હોવાની ફરિયાદ થઇ હતી.આ તમામ સભ્યોના પુરા નામ તથા તેમનો અરજી ક્રમાંક નંબર સહિતની તમામ વિગતો મુકવામાં આવી છે, આ મેસેજમાં એવું લખ્યું છે કે, હું છું ગુજરાત હું છું વિકાસ અને હું છું કૌભાંડ એક જ પરિવારના દરેક સભ્યોને AMC સહાયક જુનિયર ક્લાર્કમાં નોકરી મળી ગઈ.આ રીતનો મેસેજ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

એવી શંકા વ્યક્ત કરવામાં આવી છે કે, હાલના મ્યુનિસિપલ કમિશ્નર વિજય નેહરા ભ્રષ્ટાચારીઓને છોડતા નથી, એ પ્રકારની એમની છાપ છે, પરંતુ કોર્પોરેશનની ભરતીમાં જ મોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોવા છતાં કમિશ્નર કેમ કોઈ પગલાં લેતા નથી તે પણ મોટો પ્રશ્ન છે.

મ્યુનિસિપલ કોર્પોરેશનની પરીક્ષામાં દોઢ લાખ જેટલા ઉમેદવારોએ જૂનિયર ક્લાર્કની પરીક્ષા આપી હતી. જોકે હજુ સુધી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઈટ પર પરિણામ જાહેર કરવામાં આવ્યું નથી. આ અગાઉ પરીક્ષાના સમયે અમરાઈવાડીની સ્કૂલમાં ઉમેદવારોએ હોબાળો પણ કર્યો હતો.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લેખિતમાં જણાવવામાં આવ્યું કે, આવી કોઇ પ્રકારની ગેરરીતિ થઈ નથી અને આવી ગેરરીતિ થવા દેવામાં આવશે પણ નહીં.

એક જ પરિવારના અનેક લોકોના નામ સામે આવતા સોશિયલ મીડિયાામાં અનેક સવાલ ઉભા થયા છે. AMC દ્વારા જૂનિયર ક્લાર્કના 434 પદ માટે પરીક્ષા લેવામાં આવી હતી. 16 જેટલા પરિવારના બેથી ત્રણ સભ્યોને એપોઇન્ટમેન્ટ લેટર આપી દેવાયા છે, એટલે કે એક જ પરિવારના તમામ સભ્યોને નોકરી મળી ગઈ છે. ભૂતકાળમાં આવું ક્યારેય બન્યું નથી. એક જ પરિવારમાંથી બેથી ત્રણ ઉમેદવાર પરીક્ષા આપતા હોય અને તમામ ઉમેદવાર લેખિત પરીક્ષામાં તેમજ ઇન્ટરવ્યુમાં સારૂ મેરીટ લાવે એ બાબત ખૂબ જ ચોંકાવનારી અને શંકા ઉપજાવનારી છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જૂનિયર ક્લાર્કની ભરતીમાં ગેરરીતિ થઈ હોવાની આશંકા બાદ કોર્પોરેશનનો લેખિતમાં ખુલાસો
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જૂનિયર ક્લાર્કની ભરતીમાં ગેરરીતિ થઈ હોવાની આશંકા બાદ કોર્પોરેશનનો લેખિતમાં ખુલાસો

અગાઉ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડની સુપરવાઇઝર તથા આસિસ્ટન્ટની ભરતી માટે યોજાયેલી પરીક્ષામાં ગેરરીતિ થઇ હોવાના આક્ષેપો થયા હતા. જેને પગલે આ પરીક્ષા પણ ત્રણ વખત રદ કરવી પડી હતી. જે બાદ ચોથી વખત ફટાફટ અને શંકાસ્પદ રીતે નિમણૂક કરી દેવાઈ હતી. સ્કૂલ બોર્ડની ભરતીનું કૌભાંડ હજુ તાજુ જ છે, ત્યારે ફરીથી અમદાવાદ મ્યુનિસપિલ કોર્પોરેશનમાં સહાયક જુનિયર ક્લાર્કની ભરતીમાં મોટું કૌભાંડ થયું હોવાની ફરિયાદ થઇ હતી.આ તમામ સભ્યોના પુરા નામ તથા તેમનો અરજી ક્રમાંક નંબર સહિતની તમામ વિગતો મુકવામાં આવી છે, આ મેસેજમાં એવું લખ્યું છે કે, હું છું ગુજરાત હું છું વિકાસ અને હું છું કૌભાંડ એક જ પરિવારના દરેક સભ્યોને AMC સહાયક જુનિયર ક્લાર્કમાં નોકરી મળી ગઈ.આ રીતનો મેસેજ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

એવી શંકા વ્યક્ત કરવામાં આવી છે કે, હાલના મ્યુનિસિપલ કમિશ્નર વિજય નેહરા ભ્રષ્ટાચારીઓને છોડતા નથી, એ પ્રકારની એમની છાપ છે, પરંતુ કોર્પોરેશનની ભરતીમાં જ મોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોવા છતાં કમિશ્નર કેમ કોઈ પગલાં લેતા નથી તે પણ મોટો પ્રશ્ન છે.

મ્યુનિસિપલ કોર્પોરેશનની પરીક્ષામાં દોઢ લાખ જેટલા ઉમેદવારોએ જૂનિયર ક્લાર્કની પરીક્ષા આપી હતી. જોકે હજુ સુધી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઈટ પર પરિણામ જાહેર કરવામાં આવ્યું નથી. આ અગાઉ પરીક્ષાના સમયે અમરાઈવાડીની સ્કૂલમાં ઉમેદવારોએ હોબાળો પણ કર્યો હતો.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લેખિતમાં જણાવવામાં આવ્યું કે, આવી કોઇ પ્રકારની ગેરરીતિ થઈ નથી અને આવી ગેરરીતિ થવા દેવામાં આવશે પણ નહીં.

Intro:અમદાવાદ:

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જુનિયર કલાર્કની ભરતીમાં કૌભાંડ થયાની આશંકા છે. જેનું મુખ્ય કારણ સોશિયલ મીડિયામાં ક્લાર્કની પરીક્ષાનું પરિણામ વાયરલ થઈ રહ્યુ તેને ગણવામાં આવી રહ્યું છે. જેમાં એક જ પરિવારના અનેક લોકોના નામ દેખાઈ રહ્યા છે.

એક જ પરિવારના અનેક લોકોના નામ સામે આવતા સોશિયલ મીડિયાામં અનેક સવાલ ઉભા થયા છે. AMC દ્વારા જૂનિયર ક્લાર્કના 434 પદ માટે પરીક્ષા લેવામાં આવી હતી. 16 જેટલા પરિવારના બેથી ત્રણ સભ્યોને એપોઇન્ટમેન્ટ લેટર આપી દેવાયા છે, એટલે કે એક જ પરિવારના તમામ સભ્યોને નોકરી મળી ગઈ છે. ભૂતકાળમાં આવું ક્યારેય બન્યું નથી. એક જ પરિવારમાંથી બેથી ત્રણ ઉમેદવાર પરીક્ષા આપતા હોય અને તમામ ઉમેદવાર લેખિત પરીક્ષામાં તેમજ ઇન્ટરવ્યુમાં સારૂ મેરીટ લાવે એ બાબત ખૂબ જ ચોંકાવનારી અને શંકા ઉપજાવનારી છે.

Body:અગાઉ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડની સુપરવાઇઝર તથા આસિસ્ટન્ટ એઓની ભરતી માટે યોજાયેલી પરીક્ષામાં ગેરરીતિ થઇ હોવાના આક્ષેપો થયા હતા. જેને પગલે આ પરીક્ષા પણ ત્રણ વખત રદ કરવી પડી હતી ત્યાર બાદ ચોથી વખત ફટાફટ અને શંકાસ્પદ રીતે નિમણૂક કરી દેવાઈ હતી. સ્કૂલ બોર્ડની ભરતીનું કૌભાંડ હજુ તાજુ જ છે ત્યારે ફરીથી અમદાવાદ મ્યુનિસપિલ કોર્પોરેશનમાં સહાયક જુનિયર ક્લાર્કની ભરતીમાં મોટું કૌભાંડ થયું હોવાની ફરિયાદ ઊભી થઈ છે.આ તમામ સભ્યોના પુરા નામ તથા તેમનો અરજી ક્રમાંક નંબર સહિતની તમામ વિગતો મુકવામાં આવી છે આ મેસેજમાં એવું લખ્યું છે કે હું છું ગુજરાત હું છું વિકાસ અને હું છું કૌભાંડ એક જ પરિવારના દરેક સભ્યોને AMC સહાયક જુનિયર ક્લાર્કમાં નોકરી મળી ગઈ... આ રીતનો મેસેજ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

જેમાં એવી શંકા વ્યક્ત કરવામાં આવી છે કે હાલના મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરા ભ્રષ્ટાચારીઓને છોડતા નથી, એ પ્રકારની એમની છાપ છે પરંતુ કોર્પોરેશનની ભરતીમાં જ મોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોવા છતાં કમિશનર કેમ કોઈ પગલાં લેતા નથી તે પણ મોટો પ્રશ્ન છે.

પરીક્ષા આપનારા અને મેરીટ હોવા છતાં લાગવગ કે ઓળખાણ નહીં હોવાથી અને પૈસાનો વહીવટ નહીં કર્યો હોવાને કારણે ફેંકાઈ ગયેલા ઉમેદવારો આક્ષેપ કરે છે કે ભાજપના જ કેટલાક સ્થાનિક ટોચના નેતાઓની આ ભરતી કૌભાંડમાં સંડોવણી છે. સરકારે સમગ્ર ભરતી પ્રક્રિયાને રદ કરીને નવેસરથી પરીક્ષા લેવી જોઈએ તેમજ સમગ્ર કૌભાંડની તપાસ કરી દોષિતો સામે કડક કાર્યવાહી કરવી જોઈએ.

મ્યુનિસિપલ કોર્પોરેશનની પરીક્ષામાં દોઢ લાખ જેટલા ઉમેદવારોએ જૂનિયર ક્લાર્કની પરીક્ષા આપી હતી. જોકે હજુ સુધી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઈટ પર પરિણામ જાહેર કરવામાં આવ્યુ નથી. આ અગાઉ પરીક્ષાના સમયે અમરાઈવાડીની સ્કૂલમાં ઉમેદવારોએ હોબાળો પણ કર્યો હતો.

પરંતુ આ વાતને ફગાવી દેતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લેખિતમાં જણાવવામાં આવ્યું કે આવી કોઇ પ્રકારની ગેરરીતિ થઈ નથી અને આવી ગેરરીતિ થવા દેવામાં આવશે પણ નહીં


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.