ETV Bharat / state

Kiran Patel Case : મહાઠગ કિરણની પત્ની માલીની પટેલના કોર્ટે કર્યા રિમાન્ડ મંજૂર

author img

By

Published : Mar 29, 2023, 8:49 PM IST

અમદાવાદ મેટ્રો કોર્ટે મહાઠગ કિરણ પટેલની પત્ની માલીની પટેલના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. જગદીશ ચાવડાએ આ છેતરપિંડી કપલ સામે બંગલાને પચાવી પાડ્યો હોવાની ફરિયાદ દાખલ કરી હતી. ત્યારે શું છે સમગ્ર મામલો જૂઓ.

Kiran Patel Case : મહાઠગ કિરણની પત્ની માલીની પટેલના કોર્ટે કર્યા રિમાન્ડ મંજૂર
Kiran Patel Case : મહાઠગ કિરણની પત્ની માલીની પટેલના કોર્ટે કર્યા રિમાન્ડ મંજૂર
મહાઠગ કિરણ પટેલની પત્ની માલીની પટેલના કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા

અમદાવાદ : મહાઠગ કિરણ પટેલની પત્ની માલીની પટેલના રિમાન્ડ કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે. મેટ્રો કોર્ટે માલીની પટેલના ત્રણ એપ્રિલ સુધીના એટલે કે પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા 14 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. મહાઠગ કિરણ પટેલ અને તેની પત્ની માલિની પટેલ સામે જગદીશ ચાવડાના બંગલાને પચાવી પાડવા માટે ફરિયાદ દાખલ થઈ હતી.

શું છે સમગ્ર મામલો : વડાપ્રધાન કાર્યાલયમાં પી.આર.ઓ તરીકે ફરજ બજાવતા હોવાની ઓળખાણ આપીને ઘણા લોકો સાથે ગંભીર પ્રકારની છેતરપિંડી કરનાર મહાઠગ કિરણ પટેલની પત્ની માલીની પટેલની ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. પીએમઓના અધિકારી કહીને બંગલો પચાવી પાડવાના કેસમાં માલીની પટેલની ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા માલીની પટેલના રિમાન્ડ મેળવવા માટે આજે મેટ્રો કોટમાં રજૂ કરવામાં આવી હતી.

બચાવના પક્ષના વકિલનું નિવેદન : આ સમગ્ર મામલે બચાવ પક્ષના વકીલ નિસાર વૈધએ જણાવ્યું હતું કે, ક્રાઈમ બ્રાન્ચ દ્વારા 14 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. કોર્ટે બંને પક્ષોની રજૂઆત સાંભળ્યા બાદ ત્રણ તારીખ સુધીના આરોપીના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ ઉપરાંત પોલીસ દ્વારા કોર્ટ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી કે, માલીની પટેલના બેન્ક એકાઉન્ટ તેમજ એમના બીજા જે ઘર છે તે બાબતની તપાસ કરવી છે. આરોપી બીજા કોઈ કેસમાં સામેલ છે કે નહીં. તેમજ અન્ય કોઈ ગુના તેમના પર નોંધાયા છે કે નહીં તે તમામ બાબતોની તપાસ કરવી છે. માટે 14 દિવસના રિમાન્ડ આપવામાં આવે.

બચાવ પક્ષની રજૂઆત : બચાવ પક્ષ તરફથી કોર્ટ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી કે, જે બનાવ માટે માલિની પટેલને ધરપકડ કરવામાં આવી છે. તે તદ્દન ખોટો બનાવટી ગુનો ઉભો કરવામાં આવ્યો છે. આ બનાવ એક વર્ષ પહેલાનો છે. FIRમાં એવું મેન્શન કરવામાં આવ્યું છે કે, બંગલો રીપેર કરવા માટે અમે કિરણ ભાઈને આપ્યો હતો .કિરણભાઈએ 25 લાખ રૂપિયા લઈને અમારો બંગલો રીનોવેશન કર્યો નથી એવા મતલબની ફરિયાદ કરી હતી. આ બંગલાના દાવા માટે મિરઝાપુર કોર્ટમાં 2022થી દાવો ચાલે છે. આ તમામ વાત બચાવ પક્ષ તરફથી કોર્ટ સમક્ષ મૂકવામાં આવી હતી. આ સાથે જો બેંક એકાઉન્ટ્સની વિગતો જોઈતી હોય તો તે માત્ર મિનિટે વિગતો મળી શકે છે. માત્ર આવા કારણોથી માલીની પટેલને પોલીસ કસ્ટડીમાં લઈ શકાય નહીં. ત્યારે આ સમગ્ર કેસમાં બંને પક્ષોની સુનાવણી સાંભળ્યા બાદ કોર્ટે માલીની પટેલના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

શું છે સમગ્ર કેસ : ગંભીર પ્રકારની ઠગાઈ અને છેતરપિંડી આચરનારા કિરણ પટેલે પૂર્વ પ્રધાન જવાહર ચાવડાના ભાઈ જગદીશ ચાવડાના સિંધુભવન રોડ પર આવેલા નીલકંઠ ગ્રીન સોસાયટીના બંગલાને પોતાના કબજામાં કરવા માટે ષડયંત્ર રચ્યું હતું. કિરણ પટેલે આ બંગલાને પોતાના કબજામાં લેવા માટે મોટી મોટી ઓળખાણો આપીને અને મોટી મોટી વાતો કરીને જગદીશ ચાવડાનો બંગલો ઝડપી લેવા માટે કિરણ પટેલે રિનોવેશનનું નાટક રચ્યું હતું.

આ પણ વાંચો : Kiran Patel: કિરણ પટેલની ક્રાઈમ પાર્ટનર પત્નીની ધરપકડ, કિરણ પટેલને શ્રીનગરથી લવાશે અમદાવાદ

બંગલામાં પોતાના નામનું બોર્ડ : જગદીશ ચાવડાના બંગલાને ઝડપી લેવા માટે કિરણ પટેલે આ બંગલાના રીનોવેશનના નામે કિરણ પટેલે પોતાનો બંગલો છે એવો દાવો કર્યો હતો. જોકે કિરણ પટેલે આટલેથી ન અટકતા બંગલાનું વાસ્તુ કરાવીને પોતાનો બનાવવાનો પ્રયત્ન કર્યા હતા. આ સાથે જ જગદીશ ચાવડાના બંગલામાં કિરણ પટેલે પોતાના નામનું બોર્ડ પણ લગાવી દીધું હતું. જોકે, સિવિલ કોર્ટમાં ખોટા કેસ પણ કિરણ પટેલે દાખલ કરી દીધો હતો.

આ પણ વાંચો : arrested Kiran Patel wife Malini Patel : ક્રાઇમ બ્રાન્ચે કિરણ પટેલની પત્ની માલિની પટેલની કરી ધરપકડ

મહત્વના ખુલાસા થાય તેવી શક્યતા : ઉલ્લેખનીય છે તકે, મહાઠગ કિરણ પટેલ દ્વારા લોકો સાથે PMOમાં અધિકારી તરીકે ફરજ બજાવું છું અને મારે બહુ મોટી ઓળખાણો છે એવું કહીને ઘણા સરકારી અધિકારીઓથી માંડીને તંત્રને તેમજ નિર્દેશ નાગરિકો સાથે પણ તેને છેતરપિંડી આચરી હતી. માલીની પટેલના રિમાન્ડ મંજૂર કરવામાં આવતા હવે આ કેસમાં ઘણા મહત્વના ખુલાસાઓ થઈ શકે છે. આ સાથે જ મહાઠગ કિરણ પટેલને પણ 31 માર્ચ સુધીમાં ગુજરાત લાવીને તપાસ આગળ વધી શકે છે.

મહાઠગ કિરણ પટેલની પત્ની માલીની પટેલના કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા

અમદાવાદ : મહાઠગ કિરણ પટેલની પત્ની માલીની પટેલના રિમાન્ડ કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે. મેટ્રો કોર્ટે માલીની પટેલના ત્રણ એપ્રિલ સુધીના એટલે કે પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા 14 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. મહાઠગ કિરણ પટેલ અને તેની પત્ની માલિની પટેલ સામે જગદીશ ચાવડાના બંગલાને પચાવી પાડવા માટે ફરિયાદ દાખલ થઈ હતી.

શું છે સમગ્ર મામલો : વડાપ્રધાન કાર્યાલયમાં પી.આર.ઓ તરીકે ફરજ બજાવતા હોવાની ઓળખાણ આપીને ઘણા લોકો સાથે ગંભીર પ્રકારની છેતરપિંડી કરનાર મહાઠગ કિરણ પટેલની પત્ની માલીની પટેલની ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. પીએમઓના અધિકારી કહીને બંગલો પચાવી પાડવાના કેસમાં માલીની પટેલની ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા માલીની પટેલના રિમાન્ડ મેળવવા માટે આજે મેટ્રો કોટમાં રજૂ કરવામાં આવી હતી.

બચાવના પક્ષના વકિલનું નિવેદન : આ સમગ્ર મામલે બચાવ પક્ષના વકીલ નિસાર વૈધએ જણાવ્યું હતું કે, ક્રાઈમ બ્રાન્ચ દ્વારા 14 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. કોર્ટે બંને પક્ષોની રજૂઆત સાંભળ્યા બાદ ત્રણ તારીખ સુધીના આરોપીના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ ઉપરાંત પોલીસ દ્વારા કોર્ટ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી કે, માલીની પટેલના બેન્ક એકાઉન્ટ તેમજ એમના બીજા જે ઘર છે તે બાબતની તપાસ કરવી છે. આરોપી બીજા કોઈ કેસમાં સામેલ છે કે નહીં. તેમજ અન્ય કોઈ ગુના તેમના પર નોંધાયા છે કે નહીં તે તમામ બાબતોની તપાસ કરવી છે. માટે 14 દિવસના રિમાન્ડ આપવામાં આવે.

બચાવ પક્ષની રજૂઆત : બચાવ પક્ષ તરફથી કોર્ટ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી કે, જે બનાવ માટે માલિની પટેલને ધરપકડ કરવામાં આવી છે. તે તદ્દન ખોટો બનાવટી ગુનો ઉભો કરવામાં આવ્યો છે. આ બનાવ એક વર્ષ પહેલાનો છે. FIRમાં એવું મેન્શન કરવામાં આવ્યું છે કે, બંગલો રીપેર કરવા માટે અમે કિરણ ભાઈને આપ્યો હતો .કિરણભાઈએ 25 લાખ રૂપિયા લઈને અમારો બંગલો રીનોવેશન કર્યો નથી એવા મતલબની ફરિયાદ કરી હતી. આ બંગલાના દાવા માટે મિરઝાપુર કોર્ટમાં 2022થી દાવો ચાલે છે. આ તમામ વાત બચાવ પક્ષ તરફથી કોર્ટ સમક્ષ મૂકવામાં આવી હતી. આ સાથે જો બેંક એકાઉન્ટ્સની વિગતો જોઈતી હોય તો તે માત્ર મિનિટે વિગતો મળી શકે છે. માત્ર આવા કારણોથી માલીની પટેલને પોલીસ કસ્ટડીમાં લઈ શકાય નહીં. ત્યારે આ સમગ્ર કેસમાં બંને પક્ષોની સુનાવણી સાંભળ્યા બાદ કોર્ટે માલીની પટેલના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

શું છે સમગ્ર કેસ : ગંભીર પ્રકારની ઠગાઈ અને છેતરપિંડી આચરનારા કિરણ પટેલે પૂર્વ પ્રધાન જવાહર ચાવડાના ભાઈ જગદીશ ચાવડાના સિંધુભવન રોડ પર આવેલા નીલકંઠ ગ્રીન સોસાયટીના બંગલાને પોતાના કબજામાં કરવા માટે ષડયંત્ર રચ્યું હતું. કિરણ પટેલે આ બંગલાને પોતાના કબજામાં લેવા માટે મોટી મોટી ઓળખાણો આપીને અને મોટી મોટી વાતો કરીને જગદીશ ચાવડાનો બંગલો ઝડપી લેવા માટે કિરણ પટેલે રિનોવેશનનું નાટક રચ્યું હતું.

આ પણ વાંચો : Kiran Patel: કિરણ પટેલની ક્રાઈમ પાર્ટનર પત્નીની ધરપકડ, કિરણ પટેલને શ્રીનગરથી લવાશે અમદાવાદ

બંગલામાં પોતાના નામનું બોર્ડ : જગદીશ ચાવડાના બંગલાને ઝડપી લેવા માટે કિરણ પટેલે આ બંગલાના રીનોવેશનના નામે કિરણ પટેલે પોતાનો બંગલો છે એવો દાવો કર્યો હતો. જોકે કિરણ પટેલે આટલેથી ન અટકતા બંગલાનું વાસ્તુ કરાવીને પોતાનો બનાવવાનો પ્રયત્ન કર્યા હતા. આ સાથે જ જગદીશ ચાવડાના બંગલામાં કિરણ પટેલે પોતાના નામનું બોર્ડ પણ લગાવી દીધું હતું. જોકે, સિવિલ કોર્ટમાં ખોટા કેસ પણ કિરણ પટેલે દાખલ કરી દીધો હતો.

આ પણ વાંચો : arrested Kiran Patel wife Malini Patel : ક્રાઇમ બ્રાન્ચે કિરણ પટેલની પત્ની માલિની પટેલની કરી ધરપકડ

મહત્વના ખુલાસા થાય તેવી શક્યતા : ઉલ્લેખનીય છે તકે, મહાઠગ કિરણ પટેલ દ્વારા લોકો સાથે PMOમાં અધિકારી તરીકે ફરજ બજાવું છું અને મારે બહુ મોટી ઓળખાણો છે એવું કહીને ઘણા સરકારી અધિકારીઓથી માંડીને તંત્રને તેમજ નિર્દેશ નાગરિકો સાથે પણ તેને છેતરપિંડી આચરી હતી. માલીની પટેલના રિમાન્ડ મંજૂર કરવામાં આવતા હવે આ કેસમાં ઘણા મહત્વના ખુલાસાઓ થઈ શકે છે. આ સાથે જ મહાઠગ કિરણ પટેલને પણ 31 માર્ચ સુધીમાં ગુજરાત લાવીને તપાસ આગળ વધી શકે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.