ETV Bharat / state

અમદાવાદ કોરોના અપડેટ: ગ્રામ્ય વિસ્તારમાં કોરોના પોઝિટિવનો કુલ આંકડો 1018

author img

By

Published : Jul 17, 2020, 2:47 AM IST

અમદાવાદ શહેરમાં કોરોનાનો વ્યાપ વધી રહ્યો છે, ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં પણ તેની અસર જોવા મળી રહી છે. અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ગુરૂવાર સાંજ સુધીમાં નવા 13 કેસ નોંધાતા કુલ આંકડો 1018 પર પહોંચ્યો છે. જ્યારે અમદાવાદ જિલ્લામાં કોરોના સંક્રમણને કારણે 57 દર્દીઓના મોત થયા છે.

અમદાવાદ કોરોના અપડેટ
અમદાવાદ કોરોના અપડેટ

અમદાવાદઃ જિલ્લાના ધોળકા અને સાણંદ તાલુકામાં કોરોનાએ બેવડી સદી પુરી કરતા પોઝિટિવ કેસનો આંકડો 282 અને સાણંદમાં 232 નોંધાયા છે, જે કુલ કેસના લગભગ 50 ટકા જેટલું થાય છે. દસક્રોઈ 190, બાવળામાં 101 કેસ નોંધાયા છે. 4 જૂનના રોજ બાવળામાં 22 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. હવે ધોળકા અને સાણંદમાં કોરોના વાઇરસનો ફેલાવો વધી રહ્યો છે.

અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોના આંકડામાં અમદાવાદ શહેરના આંકડા સામેલ કરવામાં આવ્યા નથી. આ સાથે જ અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના પોઝિટિવનો કુલ આંકડો 1018 થયો છે. જ્યારે અમદાવાદ જિલ્લામાં કોરોના સંક્રમણને કારણે 57 દર્દીઓના મોત નીપજ્યાં છે.

અમદાવાદ જિલ્લાના તાલુકામાં કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યા

  • સાણંદ- 232
  • ધોળકા 282
  • દસક્રોઈ - 190
  • બાવળા - 101
  • ધંધુકા - 31
  • વિરમગામ - 115
  • બાવળા -101
  • માંડલ - 39

અમદાવાદના ગ્રામીણ વિસ્તારોમાં 8 ચેક પોસ્ટ ઉભી કરવામાં આવી છે. જેમાં અત્યાર સુધીમાં 1.48 લાખ લોકોનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું છે, અને જે પૈકી શંકાસ્પદ લાગતા 28 લોકોને નજીકના કોરોના હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. છેલ્લા 24 કલાકમાં 47 હજાર જેટલા ઘરોનું સર્વેલન્સ કરવામાં આવ્યું છે. અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં સેનિટાઇઝેશન કરવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સેનિટાઇઝેશન ટેન્કનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

મોટાભાગના કેસ અમદાવાદ ગ્રામ્ય બોપલ, ઇન્દીરાનગર, ધોળકા સહિતના વિસ્તારોમાં નોંધાયા છે. ધોળકામાં 282 અને સાણંદમાં 232 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. ઉલ્લેખનીય છે કે, આ વિસ્તારોમાં કોરોનાને ફેલાવતો અટકાવવા માટે તંત્ર દ્વારા માસ સેનિટાઈઝેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં આશરે 87 હજાર જેટલા ઘરોને સેનિટાઈઝ કરવામાં આવ્યા હતા.

અમદાવાદઃ જિલ્લાના ધોળકા અને સાણંદ તાલુકામાં કોરોનાએ બેવડી સદી પુરી કરતા પોઝિટિવ કેસનો આંકડો 282 અને સાણંદમાં 232 નોંધાયા છે, જે કુલ કેસના લગભગ 50 ટકા જેટલું થાય છે. દસક્રોઈ 190, બાવળામાં 101 કેસ નોંધાયા છે. 4 જૂનના રોજ બાવળામાં 22 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. હવે ધોળકા અને સાણંદમાં કોરોના વાઇરસનો ફેલાવો વધી રહ્યો છે.

અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોના આંકડામાં અમદાવાદ શહેરના આંકડા સામેલ કરવામાં આવ્યા નથી. આ સાથે જ અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના પોઝિટિવનો કુલ આંકડો 1018 થયો છે. જ્યારે અમદાવાદ જિલ્લામાં કોરોના સંક્રમણને કારણે 57 દર્દીઓના મોત નીપજ્યાં છે.

અમદાવાદ જિલ્લાના તાલુકામાં કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યા

  • સાણંદ- 232
  • ધોળકા 282
  • દસક્રોઈ - 190
  • બાવળા - 101
  • ધંધુકા - 31
  • વિરમગામ - 115
  • બાવળા -101
  • માંડલ - 39

અમદાવાદના ગ્રામીણ વિસ્તારોમાં 8 ચેક પોસ્ટ ઉભી કરવામાં આવી છે. જેમાં અત્યાર સુધીમાં 1.48 લાખ લોકોનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું છે, અને જે પૈકી શંકાસ્પદ લાગતા 28 લોકોને નજીકના કોરોના હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. છેલ્લા 24 કલાકમાં 47 હજાર જેટલા ઘરોનું સર્વેલન્સ કરવામાં આવ્યું છે. અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં સેનિટાઇઝેશન કરવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સેનિટાઇઝેશન ટેન્કનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

મોટાભાગના કેસ અમદાવાદ ગ્રામ્ય બોપલ, ઇન્દીરાનગર, ધોળકા સહિતના વિસ્તારોમાં નોંધાયા છે. ધોળકામાં 282 અને સાણંદમાં 232 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. ઉલ્લેખનીય છે કે, આ વિસ્તારોમાં કોરોનાને ફેલાવતો અટકાવવા માટે તંત્ર દ્વારા માસ સેનિટાઈઝેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં આશરે 87 હજાર જેટલા ઘરોને સેનિટાઈઝ કરવામાં આવ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.