ETV Bharat / state

અમદાવાદમાં ટ્યુશન ક્લાસીસ બંધ કરવા મ્યુન્સિપલ કમિશ્નરનો આદેશ

અમદાવાદઃ સુરતમાં બનેલી આગની ઘટનામાં વીસેક વિદ્યાર્થીઓના મોત બાદ તંત્ર એલર્ટ મોડ પર આવી ગયુ છે. અમદાવાદ મ્યુન્સિપલ કમિશ્રરે શહેરના તમામ ટ્યુશન ક્લાસીસ બંધ કરવાનો હુકમ ફરમાવ્યો છે.

author img

By

Published : May 24, 2019, 8:38 PM IST

hd

સુરતમાં સરથાણા વિસ્તારમાં આવેલી તક્ષશિલા બિલ્ડિંગમાં ચોથે માળ ચાલતા ખાનગી ટ્યુશન ક્લાસમાં આગ લાગવાના કારણે વીસેક વિદ્યાર્થીઓના મોત નીપજ્યા છે. આ ઘટના બાદ ઘેરી નિંદ્રામાં પોઢી ગયેલું તંત્ર અચાનક જાગ્યુ છે અને મુખ્યપ્રધાન દ્વારા તાત્કાલિક ધોરણે રાજ્યના તમામ ટ્યુશન ક્લાસીસ અને ખાનગી શિક્ષણ સંસ્થાઓ બંધ કરવાનું ફરમાન કર્યુ છે.

hd
અમદાવાદમાં ટ્યુશન ક્લાસીસ બંધ કરવા મ્યુન્સિપલ કમિશ્નરનો આદેશ

બીજીતરફ અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર વિજય નહેરાએ ટ્વીટ કરી અમદાવાદના નગરજનોને સંદેશો પાઠવ્યો છે. તેઓએ અમદાવાદના તમામ ટ્યુશન ક્લાસીસ બંધ કરી દેવાનો હુકમ કર્યો છે. વિજય નહેરાએ ટ્વીટ કર્યુ હતુ કે હું અમદાવાદ શહેરના શહેરીજનોનો સહયોગ માંગુ છુ, શહેરમાં ચાલતા ખાનગી ટ્યુશન ક્લાસીસ બંધ કરાવવામાં મદદ કરે. અમદાવાદ મ્યુ. કોર્પોરેશનના તમામ અધિકારીઓ શહેરમાં ચાલતા તમામ ટ્યુશન ક્લાસીસ બંધ કરાવે, જ્યાં સુધી બીજો કોઈ ઑર્ડર જાહેર ન થાય ત્યાં સુધી.

આ સાથે જ અમદાવાદના નગરજનોને સંદેશ આપતા જણાવ્યું હતુ કે, અમદાવાદના શહેરીજનોએ પોતાના બિલ્ડિંગ અને સોસાયટીના મેનેજમેન્ટને ફાયર સેફ્ટી અને ફાયરના સાધનો તમારી બિલ્ડીંગમાં કામ કરી રહ્યાં છે કે નહીં ? તે પ્રશ્ન કરીને પોતાના પરીવારજનોનું ધ્યાન રાખવાની સલાહ આપી છે.

સુરતમાં સરથાણા વિસ્તારમાં આવેલી તક્ષશિલા બિલ્ડિંગમાં ચોથે માળ ચાલતા ખાનગી ટ્યુશન ક્લાસમાં આગ લાગવાના કારણે વીસેક વિદ્યાર્થીઓના મોત નીપજ્યા છે. આ ઘટના બાદ ઘેરી નિંદ્રામાં પોઢી ગયેલું તંત્ર અચાનક જાગ્યુ છે અને મુખ્યપ્રધાન દ્વારા તાત્કાલિક ધોરણે રાજ્યના તમામ ટ્યુશન ક્લાસીસ અને ખાનગી શિક્ષણ સંસ્થાઓ બંધ કરવાનું ફરમાન કર્યુ છે.

hd
અમદાવાદમાં ટ્યુશન ક્લાસીસ બંધ કરવા મ્યુન્સિપલ કમિશ્નરનો આદેશ

બીજીતરફ અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર વિજય નહેરાએ ટ્વીટ કરી અમદાવાદના નગરજનોને સંદેશો પાઠવ્યો છે. તેઓએ અમદાવાદના તમામ ટ્યુશન ક્લાસીસ બંધ કરી દેવાનો હુકમ કર્યો છે. વિજય નહેરાએ ટ્વીટ કર્યુ હતુ કે હું અમદાવાદ શહેરના શહેરીજનોનો સહયોગ માંગુ છુ, શહેરમાં ચાલતા ખાનગી ટ્યુશન ક્લાસીસ બંધ કરાવવામાં મદદ કરે. અમદાવાદ મ્યુ. કોર્પોરેશનના તમામ અધિકારીઓ શહેરમાં ચાલતા તમામ ટ્યુશન ક્લાસીસ બંધ કરાવે, જ્યાં સુધી બીજો કોઈ ઑર્ડર જાહેર ન થાય ત્યાં સુધી.

આ સાથે જ અમદાવાદના નગરજનોને સંદેશ આપતા જણાવ્યું હતુ કે, અમદાવાદના શહેરીજનોએ પોતાના બિલ્ડિંગ અને સોસાયટીના મેનેજમેન્ટને ફાયર સેફ્ટી અને ફાયરના સાધનો તમારી બિલ્ડીંગમાં કામ કરી રહ્યાં છે કે નહીં ? તે પ્રશ્ન કરીને પોતાના પરીવારજનોનું ધ્યાન રાખવાની સલાહ આપી છે.

R_GJ_GAHD_12_24NOV_2018_TUATION_CLOSED_MYU. COMM_ORDER_PHOTO_STORY_PARTH_JANI_AHMEDABAD

કેટેગરી- હેડલાઈન. ટોપ ન્યુઝ, રાજ્ય, અમદાવાદ

હેડિંગ :  અમદાવાદમાં ટ્યુશન ક્લાસીસ બંધ કરવા મ્યુનિસિપલ કમિશનરનો આદેશ

અમદાવાદ- સુરતના સરથાણા વિસ્તારમાં આવેલ તક્ષશિલા બિલ્ડિંગમાં ચાલતા ખાનગી ટ્યુશનમાં આગ લાગવાને કારણે 19 જેટલા વિદ્યાર્થીઓના મોત નિપજ્યા છે. ત્યારે અમદાવાદ શહેરમાં આવી કોઇ ઘટના ના ઘટે તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ અમદાવાદ શહેરના તમામ ટ્યુશન ક્લાસિસ બંધ કરવાનો હુકમ ટ્વીટર દ્વારા આપ્યો છે. 

અમદાવાદ શહેરના મ્યુ. કમિશનર વિજય નહેરાએ સુરતની ઘટના પરથી પાઠ ભણતા ટ્વીટ કરીને અમદાવાદીઓ એક સંદેશો પાઠવ્યો હતો. સાથે જ એક હુકમ જાહેર કર્યો છે. હુકમ પ્રમાણે અમદાવાદના તમામ ટ્યુશન ક્લાસિસને બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. વિજય નહેરાએ ટ્વીટ કર્યુ હતુ કે હું અમદાવાદ શહેરના શહેરીજનોને સપોર્ટ માંગુ છુ, શહેરમાં ચાલતાં ટ્યુશન ક્લાસીસ બંધ કરવાનો હુકમ આપુ છે. અમદાવાદ મ્યુ કોર્પોરેશનના તમામ અધિકારીઓ શહેરમાં ચાલતા તમામ ટ્યુશન ક્લાસીસ બંધ કરાવે. જ્યાં સુધી બીજો કોઇ ઓર્ડર ના આવે ત્યાં સુધી. 

સાથે જ અમદાવાદીઓને પણ સંદેશો આપ્યો હતો કે અમદાવાદ શહેરીજનોએ પોતાના બિલ્ડિંગ અને સોસાયટીના મેનેજમેન્ટને ફાયર સેફ્ટી અને ફાયરના સાધનો તમારી બિલ્ડીંગમાં કામ કરી રહ્યા છે કે નહી તેવા પ્રશ્ન કરીને પોતાના અને પોતાના પરીવારજનોનુ ઘ્યાન રાખવાની સલાહ આપી છે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.