ગુજરાત રાજ્યનું સૌથી મોટું સીટી એટલે કે અમદાવાદ જો કે સૌથી મોટુ શહેર હોવાની સાથે સાથે વધુ વસ્તી પણ ધરાવતુ શહેર પણ અમદાવાદ જ છે. ત્યારે ઉલ્લેખનિય છે કે, શહેરમાં પ્રદૂષણ પણ મોટા પ્રમાણમાં જ થવાનું છે. જેથી રાજ્યું પ્રદુષિત શહેર તરીકે પણ અમદાવાદ આગળ છે. આ શહેરના પ્રદુષણમાં દિવસે દિવસે પ્રદૂષણમાં સતત વધારો પણ થઇ રહ્યો છે. ત્યારે કેટલાક પ્રકૃતિ પ્રેમીઓ દ્વારા એક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત નર્મદા કેનાલ પાસેની જાળી પાસે એક પ્લાસ્ટીક બેગની વ્યવસ્થા કરવામાં આવી છે. જેથી કેનાલમાં કોઇ વધારાનો કચરો ન નાંખે અને કેનાલને સ્વચ્છ પણ રાખી શકાય
આ ઉપરાંત તેઓ સવાર-સાંજ કેનાલ પર આવતા પશુ-પક્ષીઓ માટે ચણ નાંખી પૂણ્ય મેળવે છે. આમ, નાનકડાં પ્રયત્ન દ્વારા પર્યાવરણને બચાવવાની એક પહેલ હાથ ધરી છે. જે અન્ય લોકો માટે પણ એક સકારાત્મક મેસેજ છોડી જાય છે.