ETV Bharat / sports

કોરોના વાયરસ: 'ચીનના લોકોએ ચામાચીડિયાં ખાવાની શું જરૂર': શોએબ અખ્તર

author img

By

Published : Mar 15, 2020, 1:10 PM IST

કોરોના વાયરસનો દુનિયા કહેર યથાવત છે. આ વારયસથી 100થી વધુ દેશ પ્રભાવિત છે. વિશ્વમાં રમતની ઘણી ટુર્નામેન્ટ રદ કરવામાં આવી છે. હવે પૂર્વ પાકિસ્તાની ખેલાડી શોએબ અખ્તર ગુસ્સે થયો છે. અખ્તરે ચીનના લોકોને કહ્યું કે, લોકો ચામાચીડિયાં કેવી રીતે ખાઇ શકે છે?

coronavirus
કોરોના

કરાચી: પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે સોશિયલ મીડિયા પર કોરોના વાયરસના કારણે ચીનના લોકો પર ભડક્યાં છે, ચીનના લોકો ખાવા પીવાને લઇને મોટી વાત કરી છે. તેમણે કહ્યું કે, કોરોના વાયરસના કારણે પાકિસ્તાન સુપર લીગ (PSL) દર્શકો વિના ખાલી સ્ટેડિયમમાં રમાવાના કારણે ઘણા નારાજ છે.

અખ્તરે કહ્યું કે, ચીનના લોકો ચામાચીડિયાંને ખાવી અથવા તેનું લોહી અથવા પેશાબ પીવાની શું જરૂર છે. જેના કારણે સમગ્ર દુનિયામાં આ વાયરસ ફેલાયો છે. સમગ્ર દુનિયામાં મુશ્કેલીમાં મુકી દીધી છે. મારી સમજમાં એ નથી આવતું કે, ચીનના લોકો ચામાચીડિયાં અને કુતરાં અને બિલાડીઓ કેવી રીતે ખાઈ શકે છે. મને ઘણો ગુસ્સો આવી રહ્યો છે.

shoaib
કોરોના વાયરસ

PSLને લઇને અખ્તરે કહ્યું કે, મારા ગુસ્સાનું સૌથી મોટું કારણ PSL છે, પાકિસ્તાનમાં ક્રિકેટ વર્ષો બાદ પાછું આવી રહ્યું છે અને પ્રથમ વાર PSLની સીઝન પાકિસ્તાનમાં રમાઇ રહી છે અને આ જોખમમાં છે. વિદેશી ખેલાડી દેશ છોડીને જઇ રહ્યાં છે, અને મેચ ખાલી સ્ટેડિયમમાં રમાશે.

shoaib
PSL

શોએબ અખ્તરે વધુમાં કહ્યું કે, અલ્લાએ ખાવા માટે ઘણી વસ્તુઓ આપી છે, તો શું કામ તમારે આવી વસ્તુઓ ખાવાની જરૂર છે? ક્યારે ચામાચીડિયાં તો ક્યારેક, કુતરાં અને બિલાડીઓ ખાઇ રહ્યાં છે. આવી વસ્તુ ખાવીને શું જરૂર છે. સમગ્ર દુનિયા પર જોખમ છે. ટુરિઝમ ઈન્ડસ્ટિઝને 50 અરબ ડોલરનું નુકસાન થયું છે.

કરાચી: પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે સોશિયલ મીડિયા પર કોરોના વાયરસના કારણે ચીનના લોકો પર ભડક્યાં છે, ચીનના લોકો ખાવા પીવાને લઇને મોટી વાત કરી છે. તેમણે કહ્યું કે, કોરોના વાયરસના કારણે પાકિસ્તાન સુપર લીગ (PSL) દર્શકો વિના ખાલી સ્ટેડિયમમાં રમાવાના કારણે ઘણા નારાજ છે.

અખ્તરે કહ્યું કે, ચીનના લોકો ચામાચીડિયાંને ખાવી અથવા તેનું લોહી અથવા પેશાબ પીવાની શું જરૂર છે. જેના કારણે સમગ્ર દુનિયામાં આ વાયરસ ફેલાયો છે. સમગ્ર દુનિયામાં મુશ્કેલીમાં મુકી દીધી છે. મારી સમજમાં એ નથી આવતું કે, ચીનના લોકો ચામાચીડિયાં અને કુતરાં અને બિલાડીઓ કેવી રીતે ખાઈ શકે છે. મને ઘણો ગુસ્સો આવી રહ્યો છે.

shoaib
કોરોના વાયરસ

PSLને લઇને અખ્તરે કહ્યું કે, મારા ગુસ્સાનું સૌથી મોટું કારણ PSL છે, પાકિસ્તાનમાં ક્રિકેટ વર્ષો બાદ પાછું આવી રહ્યું છે અને પ્રથમ વાર PSLની સીઝન પાકિસ્તાનમાં રમાઇ રહી છે અને આ જોખમમાં છે. વિદેશી ખેલાડી દેશ છોડીને જઇ રહ્યાં છે, અને મેચ ખાલી સ્ટેડિયમમાં રમાશે.

shoaib
PSL

શોએબ અખ્તરે વધુમાં કહ્યું કે, અલ્લાએ ખાવા માટે ઘણી વસ્તુઓ આપી છે, તો શું કામ તમારે આવી વસ્તુઓ ખાવાની જરૂર છે? ક્યારે ચામાચીડિયાં તો ક્યારેક, કુતરાં અને બિલાડીઓ ખાઇ રહ્યાં છે. આવી વસ્તુ ખાવીને શું જરૂર છે. સમગ્ર દુનિયા પર જોખમ છે. ટુરિઝમ ઈન્ડસ્ટિઝને 50 અરબ ડોલરનું નુકસાન થયું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.