ETV Bharat / sports

#IPL2020 : કોરોનાને લીધે IPL ક્રિકેટમાં મોટા બદલાવ, ખેલાડીઓએ આવા નિયમોનું પાલન કરવું પડશે

author img

By

Published : Aug 6, 2020, 12:23 PM IST

BCCIએ આઈપીએલ માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર જાહેર કરી છે. જે અનુસાર યુએઈ માટે રવાના થતા પહેલા કોવિડ-19 પરીક્ષણમાં 2 વખત નેગેટિવ રિપોર્ટ આવવો જરુરી છે. બાયો-સુરક્ષિત વાતાવરણ સાથે જોડાયેલા કોઈપણ નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ સજા કરવામાં આવશે.

IPL 2020
IPL 2020

નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) બુધવારે ફ્રેન્ચાઇઝીને ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર અનુસાર ટૂર્નામેન્ટમાં ભાગ લેનારી 8 ટીમને 8 અલગ-અલગ હોટલમાં રાખવામાં આવશે.

IPL 2020
IPL 2020

UAEમાં કોરોના વચ્ચે 19 સપ્ટેમ્બરથી 10 નવેમ્બર સુધી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ટૂર્નામેન્ટ થવાની છે. UAE પ્રવાસ પહેલા કોવિડ-19નું પરીક્ષણમાં 2 વખત નેગેટિવ રિપોર્ટ આવવો જરુરી છે. જો કોઈ બાયો-સિક્યોર નિયમ તોડશે તો તેમના કડક કરવામાં આવશે. દરેક ફ્રેન્ચાઇઝની ચિકિત્સા ટીમની પાસે આ વર્ષના માર્ચથી બધા જ ખેલાડીઓ અને સહયોગી સ્ટાફનું મેડિકલ અને પ્રવાસ અંગે માહિતી હોવી જરુરી છે. જે અનુસાર ફ્રેન્ચાઇઝની પસંદગીના શહેરમાં એકઠા થવા પહેલા બધા ભારતીય ખેલાડીઓ અને ટીમ સહયોગી સ્ટાફ માટે અઠવાડિયામાં 24 કલાકની અંદર કોવિડ-19 પીસીઆર પરીક્ષણ કરવું જરુરી છે.

IPL
IPL

જે વ્યક્તિનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવશે, તેમને ક્વોરન્ટાઈનમાંથી પસાર થવું પડશે અને 14 દિવસ સુધી તેમણે 24 કલાકની અંદર કોવિડ-19ના 2 રિપોર્ટ કરવામાં આવશે. બંન્ને રિપોર્ટ નેગેટિવ આવશે તો જ તેમને UAE જવાની પરવાનગી આપવામાં આવશે. UAE પહોચ્યાં બાદ પ્રથમ, ત્રીજા અને છઠ્ઠા દિવસે કોરોના ટેસ્ટ કરાવવો પડશે. આ સિવાય ફરી ટૂનામેન્ટ દરમિયાન પાંચમો કોરોના ટેસ્ટ કરવામાં આવશે.

આ બધા જ નિયમો વિદેશી ખેલાડીઓ અને ટીમ સહયોગી સ્ટાફને પણ લાગુ પડશે.

  • જો કોઈ ખેલાડીએ કે સપોર્ટ સ્ટાફે આ નિયમોનું ઉલ્લધંન કર્યું તો તેમને આઈપીએલની કોડ ઓફ કંડક્ટ હેઠળ તેમના પર પેનલ્ટી અથવા પ્રતિબંધ લાગી શકે છે.
  • SOP અનુસાર ફેન્ચાઈઝી ટીમને અલગ-અલગ હોટલમાં રાખવામાં આવશે.
  • ટીમના સભ્યોને એવા રુમ આપવામાં આવશે. જેમાં અન્ય હોટલોથી અલગ સેન્ટ્રલ એરકન્ડીશનની વ્યવસ્થા હશે.
  • ત્રણ નેગેટિવ રિપોર્ટ આવ્યા પછી જ બાયો-સિક્યુરમાં પ્રવેશ કરી ટ્રેનિંગ કરી શકશે અને એકબીજાને મળવાની પરવાનગી મળશે.
  • આ દરમિયાન દરેક ખેલાડીએ માસ્ક પહેરવું જરુરી છે અને સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે જોડાયેલા નિયમોનું પણ પાલન કરવાનું રહેશે.
  • બાયો-સુરક્ષિત વાતાવરણમાં યોજાનારી આ ટૂર્નામેન્ટમાં બધા ખેલાડીઓ ગાઇડલાઇન્સ હેઠળ એક સાથે બેસીને જમી શકશે નહીં

સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવા માટે ટીમની બેઠકનું આયોજન આઉટડોરમાં કરવામાં આવી શકે છે.

  • UAEમાં 19 સપ્ટેમ્બરથી રમાનારી આઈપીએલ દરમિયાન ટૉસ ઉછાળી રમતનો શુંભારંભ થશે નહીં. જેથી બીસીસીઆઈની સ્પોન્સરશિપને નુકસાન થશે.
  • ખેલાડી અને સહયોગી સ્ટાફના સભ્યો પરિવારને સાથે લઈ જઈ શકે છે, પરંતુ તેમને ટીમની બસમાં પ્રવાસ કરવાની અને બાયો-સુરક્ષિત વાતાવરણની બહારના પરિવારોને પણ કોઈને પણ મળવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
  • ટીમોને કાગળને બદલે ઇલેક્ટ્રોનિક માધ્યમથી જરુરી સૂચના આપવામાં આવશે. એસ.ઓ.પી., મેડિકલ ટીમો માટે ભલામણ કરે છે, જેમાં ફિઝિયો અને માખીઓ, જો તેઓ ખેલાડી સાથે શારીરિક સંપર્કમાં આવે તો (મસાજ સત્રો વગેરે માટે) તો પી.પી.ઇ કીટ પહેરો.
  • ફિઝિયો અને માલિશ સહિત મેડિકલ ટીમ માટે SOPને ભલામણ કરવામાં આવી છે. તેમણે જો કોઈ ખેલાડીના સંપર્કમાં આવે છે, તો તેમણે પીપીએ કીટ પહેરવી જરુરી હશે.

નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) બુધવારે ફ્રેન્ચાઇઝીને ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર અનુસાર ટૂર્નામેન્ટમાં ભાગ લેનારી 8 ટીમને 8 અલગ-અલગ હોટલમાં રાખવામાં આવશે.

IPL 2020
IPL 2020

UAEમાં કોરોના વચ્ચે 19 સપ્ટેમ્બરથી 10 નવેમ્બર સુધી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ટૂર્નામેન્ટ થવાની છે. UAE પ્રવાસ પહેલા કોવિડ-19નું પરીક્ષણમાં 2 વખત નેગેટિવ રિપોર્ટ આવવો જરુરી છે. જો કોઈ બાયો-સિક્યોર નિયમ તોડશે તો તેમના કડક કરવામાં આવશે. દરેક ફ્રેન્ચાઇઝની ચિકિત્સા ટીમની પાસે આ વર્ષના માર્ચથી બધા જ ખેલાડીઓ અને સહયોગી સ્ટાફનું મેડિકલ અને પ્રવાસ અંગે માહિતી હોવી જરુરી છે. જે અનુસાર ફ્રેન્ચાઇઝની પસંદગીના શહેરમાં એકઠા થવા પહેલા બધા ભારતીય ખેલાડીઓ અને ટીમ સહયોગી સ્ટાફ માટે અઠવાડિયામાં 24 કલાકની અંદર કોવિડ-19 પીસીઆર પરીક્ષણ કરવું જરુરી છે.

IPL
IPL

જે વ્યક્તિનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવશે, તેમને ક્વોરન્ટાઈનમાંથી પસાર થવું પડશે અને 14 દિવસ સુધી તેમણે 24 કલાકની અંદર કોવિડ-19ના 2 રિપોર્ટ કરવામાં આવશે. બંન્ને રિપોર્ટ નેગેટિવ આવશે તો જ તેમને UAE જવાની પરવાનગી આપવામાં આવશે. UAE પહોચ્યાં બાદ પ્રથમ, ત્રીજા અને છઠ્ઠા દિવસે કોરોના ટેસ્ટ કરાવવો પડશે. આ સિવાય ફરી ટૂનામેન્ટ દરમિયાન પાંચમો કોરોના ટેસ્ટ કરવામાં આવશે.

આ બધા જ નિયમો વિદેશી ખેલાડીઓ અને ટીમ સહયોગી સ્ટાફને પણ લાગુ પડશે.

  • જો કોઈ ખેલાડીએ કે સપોર્ટ સ્ટાફે આ નિયમોનું ઉલ્લધંન કર્યું તો તેમને આઈપીએલની કોડ ઓફ કંડક્ટ હેઠળ તેમના પર પેનલ્ટી અથવા પ્રતિબંધ લાગી શકે છે.
  • SOP અનુસાર ફેન્ચાઈઝી ટીમને અલગ-અલગ હોટલમાં રાખવામાં આવશે.
  • ટીમના સભ્યોને એવા રુમ આપવામાં આવશે. જેમાં અન્ય હોટલોથી અલગ સેન્ટ્રલ એરકન્ડીશનની વ્યવસ્થા હશે.
  • ત્રણ નેગેટિવ રિપોર્ટ આવ્યા પછી જ બાયો-સિક્યુરમાં પ્રવેશ કરી ટ્રેનિંગ કરી શકશે અને એકબીજાને મળવાની પરવાનગી મળશે.
  • આ દરમિયાન દરેક ખેલાડીએ માસ્ક પહેરવું જરુરી છે અને સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે જોડાયેલા નિયમોનું પણ પાલન કરવાનું રહેશે.
  • બાયો-સુરક્ષિત વાતાવરણમાં યોજાનારી આ ટૂર્નામેન્ટમાં બધા ખેલાડીઓ ગાઇડલાઇન્સ હેઠળ એક સાથે બેસીને જમી શકશે નહીં

સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવા માટે ટીમની બેઠકનું આયોજન આઉટડોરમાં કરવામાં આવી શકે છે.

  • UAEમાં 19 સપ્ટેમ્બરથી રમાનારી આઈપીએલ દરમિયાન ટૉસ ઉછાળી રમતનો શુંભારંભ થશે નહીં. જેથી બીસીસીઆઈની સ્પોન્સરશિપને નુકસાન થશે.
  • ખેલાડી અને સહયોગી સ્ટાફના સભ્યો પરિવારને સાથે લઈ જઈ શકે છે, પરંતુ તેમને ટીમની બસમાં પ્રવાસ કરવાની અને બાયો-સુરક્ષિત વાતાવરણની બહારના પરિવારોને પણ કોઈને પણ મળવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
  • ટીમોને કાગળને બદલે ઇલેક્ટ્રોનિક માધ્યમથી જરુરી સૂચના આપવામાં આવશે. એસ.ઓ.પી., મેડિકલ ટીમો માટે ભલામણ કરે છે, જેમાં ફિઝિયો અને માખીઓ, જો તેઓ ખેલાડી સાથે શારીરિક સંપર્કમાં આવે તો (મસાજ સત્રો વગેરે માટે) તો પી.પી.ઇ કીટ પહેરો.
  • ફિઝિયો અને માલિશ સહિત મેડિકલ ટીમ માટે SOPને ભલામણ કરવામાં આવી છે. તેમણે જો કોઈ ખેલાડીના સંપર્કમાં આવે છે, તો તેમણે પીપીએ કીટ પહેરવી જરુરી હશે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.