હાદરાબાદ: તેલુગુ ટીવી અભિનેત્રી શ્રાવણીએ આત્મહત્યા કરી લીધી છે. તે હાલમાં સિરિયલ 'માનસૂ મમતા'માં જોવા મળી હતી. શ્રાવણીની આત્મહત્યાનું કારણ જાણી શકાયું નથી. પોલીસે ગુનો નોંધી બનાવની તપાસ હાથ ધરી છે.
એક અહેવાલ મુજબ, પરિવારના સભ્યોએ આરોપ લગાવ્યો કે, દેવદેવ રેડ્ડી દ્વારા પજવણીના પરિણામે શ્રાવણીએ તેનું જીવન ટૂંકાવાનો નિર્ણય લીધો. દેવરાજે શ્રાવણીને ત્રાસ આપ્યા હતા અને તેને લઇનેતેણીએ આત્મહત્યા કરી હતી. શ્રાવણીએ રાત્રે 9થી 10 દરમિયાન આત્મહત્યા કરી હતી. તે પીએસ મથુરા નગર એસ્સાર નગર, હૈદરાબાદમાં એચ 56 બ્લોકના બીજા માળે રહેતી હતી.
શ્રાવણીના પરિવારના સભ્યોએ દેવસરજા રેડ્ડી સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે કેસ નોંધી તપાસ શરુ કરી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ઉસ્માનિયા હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો.