ETV Bharat / sitara

કુમકુમ ભાગ્યના સેટ પર લાગી આગ: કોઇ જાનહાનિ નહી

author img

By

Published : Jul 19, 2020, 7:50 PM IST

ધારાવાહિક 'કુમકુમ ભાગ્ય'ના સેટ પર શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. જો કે સિરિયલના કલાકારો અને ટેકનિકલ સ્ટાફને આ ઘટનામાં કોઈ નુકસાન થયું નથી. બધા જ સુરક્ષિત છે. આ ઘટના મુંબઈના કિલીક નિક્સન સ્ટુડિયોમાં બની હતી.

કુમકુમ ભાગ્યના સેટ પર લાગી આગ: કોઇ જાનહાનિ નહી
કુમકુમ ભાગ્યના સેટ પર લાગી આગ: કોઇ જાનહાનિ નહી

મુંબઇ: ધારાવાહિક 'કુમકુમ ભાગ્ય'ના સેટ પર શોર્ટ સર્કિટને કારણે આગ લાગી ગઇ હતી. મુંબઇના કાંદિવલી સ્થિત કિલીક નિક્સન સ્ટુડિયોમાં આ ધારાવાહિકનું શૂટિંગ ચાલી રહ્યું હતું.

આગની ઘટના વખતે શૂટિંગ ચાલી રહ્યું હતું પરંતુ કલાકારોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. શ્રીતી ઝા, શબ્બીર અહલુવાલિયા, મુગ્ધા ચાફેકર દ્વારા અભિનીત આ ધારાવાહિક એકતા કપૂરની પ્રખ્યાત ધારાવાહિક પૈકીની એક છે.

લાંબા સમયના લોકડાઉન બાદ થોડા દિવસ પહેલા જ આ ધારાવાહિકનું શૂટિંગ શરૂ કરવામાં આવ્યું હતું. અભિનેત્રી શ્રીતી ઝાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ મૂકી પોતે સુરક્ષિત હોવાની માહિતી આપી હતી.

મુંબઇ: ધારાવાહિક 'કુમકુમ ભાગ્ય'ના સેટ પર શોર્ટ સર્કિટને કારણે આગ લાગી ગઇ હતી. મુંબઇના કાંદિવલી સ્થિત કિલીક નિક્સન સ્ટુડિયોમાં આ ધારાવાહિકનું શૂટિંગ ચાલી રહ્યું હતું.

આગની ઘટના વખતે શૂટિંગ ચાલી રહ્યું હતું પરંતુ કલાકારોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. શ્રીતી ઝા, શબ્બીર અહલુવાલિયા, મુગ્ધા ચાફેકર દ્વારા અભિનીત આ ધારાવાહિક એકતા કપૂરની પ્રખ્યાત ધારાવાહિક પૈકીની એક છે.

લાંબા સમયના લોકડાઉન બાદ થોડા દિવસ પહેલા જ આ ધારાવાહિકનું શૂટિંગ શરૂ કરવામાં આવ્યું હતું. અભિનેત્રી શ્રીતી ઝાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ મૂકી પોતે સુરક્ષિત હોવાની માહિતી આપી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.