ભોપાલ: ટીવીની પ્રખ્યાત અભિનેત્રી શ્વેતા તિવારી તેની સુંદરતા અને અભિનયને લીધે હંમેશા ચર્ચામાં રહે છે, પરંતુ આ વખતે તે પોતે આપેલા વિવાદિત નિવેદનના (Shweta Tiwari Controversial Statement) કારણે મુશકેલીમાં આવી ગઈ છે. શ્વેતા તિવારીએ ભોપાલમાં ભગવાન પ્રત્યે એક નિવેદન આપ્યું છે. આ નિવેદન સાંભળતા જ મધ્યપ્રદેશના ગૃહપ્રધાન નરોત્તમ મિશ્રાએ શ્વેતા વિરુદ્ધ કાર્યવાહી કરવાના આદેશ આપ્યાં છે.
ભોપાલ પોલીસને આપ્યાં આદેશ
આદેશ એવા છે કે, ભોપાલ પોલીસ (Bhopal Police) કમિશનરને આ મામલાની તપાસ કરીને 24 કલાકની અંદર રિપોર્ટ આપવા કહેવામાં આવ્યું છે. સાથે જ એવું પણ અનુમાન લગાવાય રહ્યું છે કે, ભોપાલ પોલીસ શ્વેતા તિવારી વિરુદ્ધ કેસ દાખલ કરી શકે છે. ભૂતકાળમાં પણ એમપીમાં આવા ઘણા કિસ્સા સામે આવ્યા છે, જેની સામે રાજ્ય સરકારે કડક પગલા ભર્યાં હતા.
આ પણ વાંચો: Badhai Do trailer Views: બધાઈ દો ટ્રેલરે જીત્યું લોકોનું દિલ
વેબ સિરીઝની જાહેરાત માટે બુધવારે ભોપાલ પહોંચી હતી
શ્વેતા તિવારી તેની આગામી વેબ સિરીઝની જાહેરાત માટે બુધવારે ભોપાલ પહોંચી હતી. શ્વેતાએ પોતાની ટીમ સાથે પ્રેસ કોન્ફરન્સમાં હાજરી આપી હતી. અહીં મીડિયા સાથે વાત કરતી વખતે શ્વેતાએ ભગવાન વિશે વાંધાજનક નિવેદન આપ્યું હતું. તેણે કહ્યું કે "ભગવાન મારી બ્રાનું કદ લઈ રહ્યો છે." શ્વેતાના આ નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
આ પણ વાંચો: Mauni Roy wedding Photos: મૌની રોય અને સુરજ નબિયરની લગ્નની તસવીરો થઇ વાયરલ
તેણે આવું નિવેદન કરીને લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડી છે
વાત થઇ રહી છે કે, જે વેબ સીરીઝ માટે શ્વેતા પ્રમોશન માટે ભોપાલ પહોંચી હતી, તે સીરીઝ ફેશન સાથે જોડાયેલી છે. આ દરમિયાન કલાકાર શ્વેતા તિવારીએ ભગવાન સંબધિત વિવાદ સર્જે તેવું નિવેદન આપ્યું હતું. મીડિયા સાથે વાતચીત દરમિયાન મજાકમાં આ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. વાયરલ થઈ રહેલા આ વીડિયોને કારણે લોકો શ્વેતા પ્રત્યે રોષ ઠાલવી રહ્યા છે. લોકોનું કહેવું છે કે, તેણે આવું નિવેદન કરીને લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડી છે.