પટનાઃ હવે સુશાંતની બહેન શ્વેતા સિંહ કીર્તિએ એકવાર ફરીથી એક્ટરને લઇને પોસ્ટ કરી છે. આ વખતે તેમણે એક્ટર ભાઇને શ્રદ્ધાંજલિ આપતા એક ફોટો શેર કર્યો અને સાથે જ તેના માટે ન્યાયની માગ કરી છે.
શ્વેતા સિંહ કીર્તિએ લખ્યું કે, 'હું સુશાંત સિંહ રાજપૂતની બહેન છું અને હું આ સમગ્ર મામલે તાત્કાલિક તપાસનો અનુરોધ કરું છું. આપણે ભારતની ન્યાય વ્યવસ્થામાં વિશ્વાસ કરીએ છીએ અને કોઇ પણ કિંમતે ન્યાયની આશા રાખીએ છીએ. શ્વેતાએ આ પોસ્ટ દ્વારા દેશના વડા પ્રધાન મોદી પાસે ન્યાયની ગુહાર લગાવી છે.'
-
I am sister of Sushant Singh Rajput and I request an urgent scan of the whole case. We believe in India’s judicial system & expect justice at any cost. @narendramodi @PMOIndia #JusticeForSushant #SatyamevaJayate pic.twitter.com/dcDP6JQV8N
— shweta singh kirti (@shwetasinghkirt) August 1, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">I am sister of Sushant Singh Rajput and I request an urgent scan of the whole case. We believe in India’s judicial system & expect justice at any cost. @narendramodi @PMOIndia #JusticeForSushant #SatyamevaJayate pic.twitter.com/dcDP6JQV8N
— shweta singh kirti (@shwetasinghkirt) August 1, 2020I am sister of Sushant Singh Rajput and I request an urgent scan of the whole case. We believe in India’s judicial system & expect justice at any cost. @narendramodi @PMOIndia #JusticeForSushant #SatyamevaJayate pic.twitter.com/dcDP6JQV8N
— shweta singh kirti (@shwetasinghkirt) August 1, 2020
પ્લીઝ આ કેસની ગંભીરતાની નોંધ લો
શ્વેતાએ ઇન્સ્ટાગ્રામ પર પણ એક પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટમાં તેમણે પીએમ મોદીને અપીલ કરી છે કે, આ મામલાની નોંધ લેવામાં આવે. તેમણે લખ્યું કે, તેના ભાઇના ઇન્ડસ્ટ્રીમાં કોઇ ગોડ ફાધર હતા નહીં. અમે ખૂબ જ સામાન્ય પરિવારમાંથી છીએ. બસ તેનો ભાઇ એક માત્ર બૉલિવૂડ સ્ટાર હતો. પ્લીઝ આ મામલાની નોંધ લેવામાં આવે. સુશાંત મામલે સત્ય બહાર આવે અને પુરાવા સાથે કોઇ જ ફેરફાર કરવામાં આવે નહીં.
સુશાંત સિંહ રાજપૂત માટે ન્યાય જોઇએ છે
આ પહેલા શ્વેતા સિંહ કીર્તિએ એક પોસ્ટમાં લખ્યું હતું કે, 'જો સત્યનું મહત્વ ન હોય તો ક્યારેય કોઇ વસ્તુનું મહત્વ રહેતું નથી.' તેમણે આગળ લખ્યું કે, સુશાંત સિંહ રાજપૂત માટે ન્યાય... આ પહેલા શ્વેતા સિંહે એક યૂઝરના પ્રશ્નનો જવાબ આપતા કહ્યું કે, મુંબઇ પોલીસનો રિપોર્ટ આવ્યા બાદ સીબીઆઇ તપાસની માગ કરી શકે છે.