મુંબઈ: બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રી રેખાનો બાંદ્રાના બૈન્ડસ્ટૈડમાં આવલો બંગલો બૃહ્મુંબઈ નગર નિગમે સીલ કર્યો છે. કારણ કે, બંગલામાં તૈનાત સિક્યોરિટી ગાર્ડનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
સી-સ્પ્રિંગ્સ નામના બંગલાને કન્ટેન્મેન્ટ જાહેર કરવામાં આવ્યો છે. તેમજ સમગ્ર વિસ્તારને સેનિટાઈઝર કરાયો છે. રેખા પહેલા આમિર ખાન, કરણ જૌહર અને બોની કપૂર અને જાહ્નવી કપૂરના સ્ટાફનો રિપોર્ટ પણ કોરોના પોઝિટિવ આવ્યો હતો.