ETV Bharat / sitara

બોલીવુડ અભિનેતા આર. માધવન કોરોના પોઝિટિવ

બોલીવુડ અભિનેતા આર. માધવન હવે કોરોના સંક્રમિત થયા છે. આર. માધવને ફિલ્મ 3 ઈડિયટ્સના ઉલ્લેખ સાથે ટ્વિટ કરી આ માહિતી આપી હતી.

author img

By

Published : Mar 26, 2021, 1:57 PM IST

બોલીવુડ અભિનેતા આર. માધવન કોરોના પોઝિટિવ
બોલીવુડ અભિનેતા આર. માધવન કોરોના પોઝિટિવ
  • બોલીવુડ અભિનેતા આર. માધવન કોરોનાની ઝપેટમાં
  • થોડા દિવસ પહેલા આમિર ખાન પણ થયા કોરોના સંક્રમિત
  • ટૂંક સમયમાં સાજા થઈને પરત ફરવાની માધવને કહી વાત

આ પણ વાંચોઃ વડાપ્રધાન મોદીએ ઈમરાન ખાનને જલ્દીથી કોરોના મુક્ત થવાંની શુભેચ્છા પાઠવી

મુંબઈઃ બોલીવુડ અભિનેતા આર. માધવન હવે કોરોના સંક્રમિત થયા છે. આર. માધવને ફિલ્મ 3 ઈડિયટ્સના ઉલ્લેખ સાથે ટ્વિટ કરી આ માહિતી આપી હતી. માધવને ટ્વિટમાં જણાવ્યું હતું કે, ફરહાનને રેન્ચોનો પીછો કરવો જ હતો. વાયરસ હંમેશા અમારી પાછળ હતો અને આ વખતે અમે તેની ઝપેટમાં આવી જ ગયા, પરંતુ ચિંતાની કોઈ વાત નથી. ટૂંક જ સમયમાં સાજા થઈને પરત આવીશ. હાલમાં થોડા દિવસ પહેલા જ આમિર ખાન પણ કોરોના સંક્રમિત થયા છે.

માધવને ફિલ્મ 3 ઈડિયટ્સના ઉલ્લેખ સાથે ટ્વિટ કરી આ માહિતી આપી
માધવને ફિલ્મ 3 ઈડિયટ્સના ઉલ્લેખ સાથે ટ્વિટ કરી આ માહિતી આપી

આ પણ વાંચોઃ સલમાન ખાને કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો

મનોજ બાજપેયી, કાર્તિક આર્યન સહિતના કલાકારો પણ કોરોના સંક્રમિત થયા હતા. આર. માધવન અને આમિર ખાને વર્ષ 2009માં આવેલી ફિલ્મ 3 ઈડિયટ્સમાં એક સાથે કામ કર્યું હતું. આ ત્રણ મિત્રની વાર્તા હતી, જેમાં માધવને ફરહાન, આમિરે રેન્ચો અને શરમન જોશીએ રાજૂની ભૂમિકા ભજવી હતી. કાર્તિક આર્યન, મનોજ બાજપેઈ, રણબીર કપુર અને સતીશ કૌશિક જેવા દિગ્ગજ કલાકારો પણ કોરોના સંક્રમિત થયા હતા. જ્યારે સતીશ કૌશિક હોસ્પિટલમાં દાખલ છે.

  • બોલીવુડ અભિનેતા આર. માધવન કોરોનાની ઝપેટમાં
  • થોડા દિવસ પહેલા આમિર ખાન પણ થયા કોરોના સંક્રમિત
  • ટૂંક સમયમાં સાજા થઈને પરત ફરવાની માધવને કહી વાત

આ પણ વાંચોઃ વડાપ્રધાન મોદીએ ઈમરાન ખાનને જલ્દીથી કોરોના મુક્ત થવાંની શુભેચ્છા પાઠવી

મુંબઈઃ બોલીવુડ અભિનેતા આર. માધવન હવે કોરોના સંક્રમિત થયા છે. આર. માધવને ફિલ્મ 3 ઈડિયટ્સના ઉલ્લેખ સાથે ટ્વિટ કરી આ માહિતી આપી હતી. માધવને ટ્વિટમાં જણાવ્યું હતું કે, ફરહાનને રેન્ચોનો પીછો કરવો જ હતો. વાયરસ હંમેશા અમારી પાછળ હતો અને આ વખતે અમે તેની ઝપેટમાં આવી જ ગયા, પરંતુ ચિંતાની કોઈ વાત નથી. ટૂંક જ સમયમાં સાજા થઈને પરત આવીશ. હાલમાં થોડા દિવસ પહેલા જ આમિર ખાન પણ કોરોના સંક્રમિત થયા છે.

માધવને ફિલ્મ 3 ઈડિયટ્સના ઉલ્લેખ સાથે ટ્વિટ કરી આ માહિતી આપી
માધવને ફિલ્મ 3 ઈડિયટ્સના ઉલ્લેખ સાથે ટ્વિટ કરી આ માહિતી આપી

આ પણ વાંચોઃ સલમાન ખાને કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો

મનોજ બાજપેયી, કાર્તિક આર્યન સહિતના કલાકારો પણ કોરોના સંક્રમિત થયા હતા. આર. માધવન અને આમિર ખાને વર્ષ 2009માં આવેલી ફિલ્મ 3 ઈડિયટ્સમાં એક સાથે કામ કર્યું હતું. આ ત્રણ મિત્રની વાર્તા હતી, જેમાં માધવને ફરહાન, આમિરે રેન્ચો અને શરમન જોશીએ રાજૂની ભૂમિકા ભજવી હતી. કાર્તિક આર્યન, મનોજ બાજપેઈ, રણબીર કપુર અને સતીશ કૌશિક જેવા દિગ્ગજ કલાકારો પણ કોરોના સંક્રમિત થયા હતા. જ્યારે સતીશ કૌશિક હોસ્પિટલમાં દાખલ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.