ETV Bharat / international

સ્લોવેનીયા, કોરોના સંક્રમણથી મુક્ત પ્રથમ યુરોપિયન દેશ - સ્લોવેનીયા કોવિડ 19 મુક્ત પ્રથમ

સ્લોવેનીયા રીપબ્લિકની સરકારે એક વટહુકમ બહાર પાડ્યો, જે અંતર્ગત 15 મેથી દેશમાં કોરોના રોગચાળાના અંતની જાહેરાત કરી. ઉપરાંત, દેશમાં પોઝિટિવ કેસોમાં ઘટાડો નોંધાયો છે.

Slovenia
Slovenia
author img

By

Published : May 18, 2020, 5:48 PM IST

હૈદરાબાદ: રિપબ્લિક ઑફ સ્લોવેનીયા કોરોના વાઇરસ માહામારીનો અંત આવ્યો છે તેવી ઘોષણા કરનાર પ્રથમ યુરોપિયન દેશ બન્યો છે. દેશની સરકારે શુક્રવારે કહ્યું હતું કે કોરોના નિયંત્રણમાં છે અને વધુ અસાધારણ સ્વાસ્થ્યપ્રદ પગલાં લેવાની જરૂર નથી.

જો કે કોવિડ -19 ના ફેલાવાનું જોખમ હજી હોવાથી, નિષ્ણાંતના મંતવ્યના આધારે કોમ્યુનિકેબલ રોગો અધિનિયમ હેઠળ લગાડવામાં આવતા પ્રતિબંધો 31 મે 2020 સુધી અમલમાં રહેશે.

સરકારનું કહેવું છે કે રોગચાળાને ધ્યાનમાં રાખીને, કોરોનાને રોકવા અને તેને નિયંત્રિત કરવા માટે જરૂરી પગલાંમાં રાહત આપવી સંભવ છે. પરંતુ તેઓ હજી સુધી સંપૂર્ણપણે હટાવવામાં આવ્યા નથી.

4 માર્ચે સ્લોવેનીયામાં કોરોના સંક્રમણનો પ્રથમ કેસ નોંધાયો હતો. આ પછી અને 14 મે સુધીમાં કોરોના ચેપગ્રસ્ત લોકોની સંખ્યા વધીને 1465 થઈ ગઈ. છેલ્લા 14 દિવસમાં કુલ 35 કેસ નોંધાયા છે, અને હાલમાં તેનો વધારો એક કરતા ઓછો છે.

નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક હેલ્થ એ તેના મૂલ્યાંકનમાં જણાવ્યું છે કે ચેપના ફેલાવાને મર્યાદિત કરવાના ઉપાયોમાં પરીક્ષણ, દર્દીઓને અલગ પાડવું, સંપર્કો શોધવા, ઉચ્ચ જોખમનો નિકટનો સંપર્ક ઘટાડવો, હાથ અને ઉધરસની સ્વચ્છતા અને શારીરિક અંતર શામેલ છે.

તેમને જાહેર સ્થળોએ માસ્ક પહેરવા અથવા મોઢું અને નાકને ઢાંકવા કહેવામાં આવ્યું છે. ઉપરાંત, દરેક બાળકો 18 મે, સોમવારે શાળાઓ અને નર્સરી શાળાઓમાં જશે નહીં તેમ કહેવામાં આવ્યુ છે.

હૈદરાબાદ: રિપબ્લિક ઑફ સ્લોવેનીયા કોરોના વાઇરસ માહામારીનો અંત આવ્યો છે તેવી ઘોષણા કરનાર પ્રથમ યુરોપિયન દેશ બન્યો છે. દેશની સરકારે શુક્રવારે કહ્યું હતું કે કોરોના નિયંત્રણમાં છે અને વધુ અસાધારણ સ્વાસ્થ્યપ્રદ પગલાં લેવાની જરૂર નથી.

જો કે કોવિડ -19 ના ફેલાવાનું જોખમ હજી હોવાથી, નિષ્ણાંતના મંતવ્યના આધારે કોમ્યુનિકેબલ રોગો અધિનિયમ હેઠળ લગાડવામાં આવતા પ્રતિબંધો 31 મે 2020 સુધી અમલમાં રહેશે.

સરકારનું કહેવું છે કે રોગચાળાને ધ્યાનમાં રાખીને, કોરોનાને રોકવા અને તેને નિયંત્રિત કરવા માટે જરૂરી પગલાંમાં રાહત આપવી સંભવ છે. પરંતુ તેઓ હજી સુધી સંપૂર્ણપણે હટાવવામાં આવ્યા નથી.

4 માર્ચે સ્લોવેનીયામાં કોરોના સંક્રમણનો પ્રથમ કેસ નોંધાયો હતો. આ પછી અને 14 મે સુધીમાં કોરોના ચેપગ્રસ્ત લોકોની સંખ્યા વધીને 1465 થઈ ગઈ. છેલ્લા 14 દિવસમાં કુલ 35 કેસ નોંધાયા છે, અને હાલમાં તેનો વધારો એક કરતા ઓછો છે.

નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક હેલ્થ એ તેના મૂલ્યાંકનમાં જણાવ્યું છે કે ચેપના ફેલાવાને મર્યાદિત કરવાના ઉપાયોમાં પરીક્ષણ, દર્દીઓને અલગ પાડવું, સંપર્કો શોધવા, ઉચ્ચ જોખમનો નિકટનો સંપર્ક ઘટાડવો, હાથ અને ઉધરસની સ્વચ્છતા અને શારીરિક અંતર શામેલ છે.

તેમને જાહેર સ્થળોએ માસ્ક પહેરવા અથવા મોઢું અને નાકને ઢાંકવા કહેવામાં આવ્યું છે. ઉપરાંત, દરેક બાળકો 18 મે, સોમવારે શાળાઓ અને નર્સરી શાળાઓમાં જશે નહીં તેમ કહેવામાં આવ્યુ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.