ETV Bharat / international

વિશ્વમાં કોરોનાનો કહેર યથાવત, મોતનો આંકડો 60 હજારની નજીક

author img

By

Published : Apr 4, 2020, 11:29 AM IST

વિશ્વભરમાં કોરોના વાઇરસનો કહેર યથાવત છે, ત્યારે અત્યાર સુધીમાં મહામારીથી 60 હજાર જેટલા લોકોના મોત થયા છે. દુનિયાભરમાં કોરોના વાઇરસથી 10 લાખથી વધુ લોકો સંક્રમિત થયા છે. અમેરિકા અને યૂરોપીય દેશ આ વાઇરસથી સૌથી વધુ પ્રભાવિત છે. અમેરિકામાં આ વાઇરસથી 2.7 લાખથી વધુ લોકો સંક્રમિત થયા છે.

Etv Bharat, Gujarati News, Global COVID-19 tracker
Global COVID-19 tracker

વૉશિંગ્ટનઃ સમગ્ર વિશ્વ કોરોનાના સંકટથી જજૂમી રહ્યું છે. દુનિયાભરમાં 1,098,762 લોકો કોરોના વાઇરસથી સંક્રમિત અને 59,172 લોકોના મોત થયા છે. તમને જણાવીએ તો 2,28,932 લોકોને હોસ્પિટલમાંથી રજા મળી છે. અમેરિકામાં કોરોના વાઇરસથી છેલ્લા 24 કલાકમાં 1,480 લોકોના મોત થયા છે. આ કોઇ દેશમાં એક જ દિવસમાં મૃત્યુ પામેલા લોકોની દુનિયામાં સર્વાધિક સંખ્યા છે.

પાકિસ્તાનમાં કોરોના વાઇરસના કેસ શુક્રવારે 2500એ પહોંચ્યા હતા. જે વચ્ચે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને શુક્રવારે કહ્યું કે, કોઇ પણ વિશ્વાસથી કહી ન શકે કે, કોવિડ 19 મહામારી હવે પૂરી થઇ છે. આ સાથે જ તેમણે અર્થવ્યવસ્થાને ટ્રેક પર લાવવા નિર્માણ ક્ષેત્ર માટે મોટા સ્તરે પેકેજની જાહેરાત કરી છે.

Etv Bharat, Gujarati News, Global COVID-19 tracker
Global COVID-19 tracker

તેમણે ઇસ્લામાબાદમાં સંબોધન કરતા કહ્યું કે, અમે નક્કી કર્યું છે કે, આ વર્ષ દરમિયાન નિર્માણ ક્ષેત્રમાં રોકાણ કરનારા પાસેથી તેમના કર માટે પૂછવામાં નહીં આવે. તેમણે નિર્માણ ક્ષેત્રના આધારે એક નિશ્ચિત કર વ્યવસ્થાની જાહેરાત કરી છે અને પોતાના નવા પાકિસ્તાન હાઉસિંગ પરિયોજનામાં રોકાણ કરવા માટે 90 ટકા કર પર કાપ મૂક્યો છે અને આ પરિયોજનાનો ઉદ્દેશ ગરીબો માટે ઘર બનાવવાનો છે.

ઇમરાન ખાને સિમેન્ટ અને સ્ટીલને છોડીને નિર્માણના કેટલાય ક્ષેત્રો પર કર પરત લેવાની જાહેરાત કરી છે. તેમણે લોકો દ્વારા આવાસના વેચાણ પર મૂડીગત લાભ પણ માફ કર્યા છે.

વૉશિંગ્ટનઃ સમગ્ર વિશ્વ કોરોનાના સંકટથી જજૂમી રહ્યું છે. દુનિયાભરમાં 1,098,762 લોકો કોરોના વાઇરસથી સંક્રમિત અને 59,172 લોકોના મોત થયા છે. તમને જણાવીએ તો 2,28,932 લોકોને હોસ્પિટલમાંથી રજા મળી છે. અમેરિકામાં કોરોના વાઇરસથી છેલ્લા 24 કલાકમાં 1,480 લોકોના મોત થયા છે. આ કોઇ દેશમાં એક જ દિવસમાં મૃત્યુ પામેલા લોકોની દુનિયામાં સર્વાધિક સંખ્યા છે.

પાકિસ્તાનમાં કોરોના વાઇરસના કેસ શુક્રવારે 2500એ પહોંચ્યા હતા. જે વચ્ચે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને શુક્રવારે કહ્યું કે, કોઇ પણ વિશ્વાસથી કહી ન શકે કે, કોવિડ 19 મહામારી હવે પૂરી થઇ છે. આ સાથે જ તેમણે અર્થવ્યવસ્થાને ટ્રેક પર લાવવા નિર્માણ ક્ષેત્ર માટે મોટા સ્તરે પેકેજની જાહેરાત કરી છે.

Etv Bharat, Gujarati News, Global COVID-19 tracker
Global COVID-19 tracker

તેમણે ઇસ્લામાબાદમાં સંબોધન કરતા કહ્યું કે, અમે નક્કી કર્યું છે કે, આ વર્ષ દરમિયાન નિર્માણ ક્ષેત્રમાં રોકાણ કરનારા પાસેથી તેમના કર માટે પૂછવામાં નહીં આવે. તેમણે નિર્માણ ક્ષેત્રના આધારે એક નિશ્ચિત કર વ્યવસ્થાની જાહેરાત કરી છે અને પોતાના નવા પાકિસ્તાન હાઉસિંગ પરિયોજનામાં રોકાણ કરવા માટે 90 ટકા કર પર કાપ મૂક્યો છે અને આ પરિયોજનાનો ઉદ્દેશ ગરીબો માટે ઘર બનાવવાનો છે.

ઇમરાન ખાને સિમેન્ટ અને સ્ટીલને છોડીને નિર્માણના કેટલાય ક્ષેત્રો પર કર પરત લેવાની જાહેરાત કરી છે. તેમણે લોકો દ્વારા આવાસના વેચાણ પર મૂડીગત લાભ પણ માફ કર્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.