ETV Bharat / international

કોરોનાનો કહેર: વર્લ્ડ બેંકે કહ્યું, 1 કરોડથી વધુ લોકો ગરીબીમાં ફસાશે

સમગ્ર વિશ્વ કોરોના વાઈરસના સંકટથી લડી રહ્યું છે, ત્યારે આ રોગચાળો જાહેર જીવન તેમજ અર્થવ્યવસ્થા પર ખૂબ મોટી અસર કરશે. આ અંગે વર્લ્ડ બેંકે ચેતવણી આપી છે કે, આ રોગચાળાને કારણે કરોડો લોકો ગરીબીની જાળમાં ફસાઈ શકે છે.

author img

By

Published : Mar 31, 2020, 5:56 PM IST

world bank warns of poverty due to covid 19
કોરોનાનો કહેર, વર્લ્ડ બેંકે કહ્યું- 1 કરોડથી વધુ લોકો ગરીબીમાં ફસાશે

વોશિંગ્ટન: કોરોના વાઈરસ પર વર્લ્ડ બેંકે ચેતવણી આપી છે કે, કોરોના વાઈરસ પૂર્વ એશિયા અને પેસિફિક ક્ષેત્રમાં આશરે 1.1 મિલિયન લોકોને ગરીબીમાં મુકી શકે છે. દુનિયામાં કોરોનાથી 7.80 લાખ લોકો સંક્રમિત છે અને 37000થી પણ વધુ લોકોના આ વાઈરસથી મોત થયાં છે.

વર્લ્ડ બેંકે સોમવારે જાહેર કરેલા અહેવાલમાં જણાવ્યું છે કે, અગાઉ એવો અંદાજ લગાવવામાં આવ્યો હતો કે, 2020માં પૂર્વ એશિયા અને પેસિફિક ક્ષેત્રના આશરે 3.5 કરોડ લોકો ગરીબીમાંથી બહાર નીકળી જશે, પરંતુ હવે આ વિસ્તારની ગરીબીની સંખ્યામાં આશરે 1.1 મિલિયનનો વધારો થશે.

વર્લ્ડ બેંકે કહ્યું છે કે, હવે વિકાસશીલ પૂર્વ એશિયા અને પેસિફિક ક્ષેત્રનો વિકાસ દર ધીમો રહી 2.1 ટકા થશે. રિપોર્ટમાં જણાવ્યા મુજબ, એક અંદાજ મુજબ, ચીનનો વિકાસ દર 2019માં 6.1 ટકાથી ઘટાડીને 0.1 ટકાથી 2.3 ટકાની વચ્ચે રહી શકે છે.

વોશિંગ્ટન: કોરોના વાઈરસ પર વર્લ્ડ બેંકે ચેતવણી આપી છે કે, કોરોના વાઈરસ પૂર્વ એશિયા અને પેસિફિક ક્ષેત્રમાં આશરે 1.1 મિલિયન લોકોને ગરીબીમાં મુકી શકે છે. દુનિયામાં કોરોનાથી 7.80 લાખ લોકો સંક્રમિત છે અને 37000થી પણ વધુ લોકોના આ વાઈરસથી મોત થયાં છે.

વર્લ્ડ બેંકે સોમવારે જાહેર કરેલા અહેવાલમાં જણાવ્યું છે કે, અગાઉ એવો અંદાજ લગાવવામાં આવ્યો હતો કે, 2020માં પૂર્વ એશિયા અને પેસિફિક ક્ષેત્રના આશરે 3.5 કરોડ લોકો ગરીબીમાંથી બહાર નીકળી જશે, પરંતુ હવે આ વિસ્તારની ગરીબીની સંખ્યામાં આશરે 1.1 મિલિયનનો વધારો થશે.

વર્લ્ડ બેંકે કહ્યું છે કે, હવે વિકાસશીલ પૂર્વ એશિયા અને પેસિફિક ક્ષેત્રનો વિકાસ દર ધીમો રહી 2.1 ટકા થશે. રિપોર્ટમાં જણાવ્યા મુજબ, એક અંદાજ મુજબ, ચીનનો વિકાસ દર 2019માં 6.1 ટકાથી ઘટાડીને 0.1 ટકાથી 2.3 ટકાની વચ્ચે રહી શકે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.