વિગતો મુજબ, નવાઝ શરિફના પુત્ર હુસૈન નવાબે આરોપ લગાવ્યો છે કે, તેના પિતાના શરીરમાંથી પ્લેટલેટ્સમાં ઘટાડો થવાનું કારણ ઝેર પણ હોય શકે છે.
મંગળવારના રોજ મળેલી વિગતો પ્રમાણે, પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાબના અધ્યક્ષ અને શરિફના ભાઈ શાહબાઝ શરિફે નવાઝ શરિફ સાથે મુલાકાત બાદ ટ્ટિટ કરીને કહ્યું કે, 'મેં આજે મારા ભાઈ સાથે મુલાકાત કરી. હું તેની ઝડપથી બગડતી હાલતથી ખૂબ જ ચિંતિત છું. સરકારે ઉદાસીનતા છોડી તેના સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું જોઈએ. હું આખા દેશને અપીલ કરું છું કે મિયાં સાહેબ માટે પ્રાર્થના કરે'
જો કે શરીફની તપાસ કરતા છ સભ્યોના મેડિકલ બોર્ડે તેની તપાસ કરી અને તેના શરીરમાં પ્લેટલેટ્સના ત્રણ મોટા યૂનિટને ચડાવ્યા.