ETV Bharat / international

મહિન્દા રાજપક્ષે બન્યા શ્રીલંકાના વડાપ્રધાન, રાષ્ટ્રપતિએ લેવડાવ્યા શપથ

author img

By

Published : Nov 22, 2019, 1:58 AM IST

કોલંબોઃ શ્રીલંકામાં નવનિર્વાચિત રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષે પોતાના મોટા ભાઇ મહિન્દા રાજપક્ષેને વડાપ્રધાન પદના શપથ લેવડાવ્યા છે.

મહિન્દા રાજપક્ષે બન્યા શ્રીલંકાના વડાપ્રધાન

ગુરૂવારે મહિન્દા રાજપક્ષે વડાપ્રધાન પદનો કાર્યભાર સંભાળ્યો હતો. તેમણે ઓગસ્ટ 2020માં પ્રસ્તાવિત સામાન્ય ચૂંટણી થાય ત્યાં સુધી મંત્રીમંડળના વડાપ્રધાનના રૂપે કામકાજ સંભાળશે.

નવા વડાપ્રધાને ટ્વીટ કર્યું કે, 'હું શ્રીલંકાના નવા વડાપ્રધાનના રૂપમાં શપથ લઇને ગૌરવનો અનુભવ કરૂં છું. હું તમામ શ્રીલંકાઇ લોકોની સેવા કરવા માટે તત્પર છું, કારણ કે, અમે ભવિષ્યની પેઢીઓની રક્ષા માટે અને વિકાસની સાથે દેશને આગળ લઇ જવા ઇચ્છીએ છીએ.'

ગોટબાયાના રાષ્ટ્રપતિના રૂપે શપથ લીધા બાદ ત્રીજા દિવસે મહિન્દાએ રાષ્ટ્રપતિ સચિવાલયમાં નવા વડાપ્રધાનના રૂપમાં શપથ લીધી હતી. આ અવસર પર પૂર્વ વડાપ્રધાન રાનિલ વિક્રમસિંધે, પૂર્વ રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સિરિસેના અને અન્ય નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે ટ્વીટ કર્યું કે, 'હું શ્રીલંકાના વડાપ્રધાન મહિન્દા રાજપક્ષેને હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ આપું છું.'

વડાપ્રધાનના રુપમાં મહિન્દાનો આ બીજો કાર્યકાળ છે. મહિન્દા રાજપક્ષે 2005થી 2015 સુધી શ્રીલંકાના રાષ્ટ્રપતિ રહી ચૂક્યા છે. વર્ષ 2018માં તે અમુક સમય માટે વડાપ્રધાન પણ રહ્યા હતા.

આ પહેલા, મહિન્દાને 26 ઓક્ટોબર 2018એ તત્કાલિન રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સિરિસેનાએ વડાપ્રધાન તરીકે નિયુક્ત કર્યા હતા. દેશના ઉચ્ચતમ ન્યાયાલયના બે મહત્વપૂર્ણ આદેશો બાદ મહિન્દાએ 15 ડિસેમ્બરે વડાપ્રધાન પદેથી રાજીનામું આપ્યું હતું.

આ પહેલા દિવસોમાં વિક્રમસિંધે રાષ્ટ્રપતિ ગોટાબાયાને ઔપચારિક રુપે પોતાનો ત્યાગપત્ર સોંપ્યો હતો. વિક્રમસિંઘે રાષ્ટ્રપતિ ચૂંટણીમાં સજીત પ્રેમદાસની હાર બાદ બુધવારે પોતાના રાજીનામાની ઘોષણા કરી હતી. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ગોટાબાયાએ જીત મેળવી હતી.

રાષ્ટ્રપતિના રુપે સોમવારે શપથ લીધા બાદ તેમણે દેશમાં શક્તિશાળી બૌદ્ધ ભિક્ષુઓને તેમના રાષ્ટ્રપદની દાવેદારીનું સમર્થન કરવા માટે આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે પોતાના નિર્વાચિન માટે બહુસંખ્યક સિંહલી સમુદાયના લોકોનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.

આ ઉપરાંત રાજપક્ષે કહ્યું હતું કે, 'હું જાણું છું કે, માત્ર સિંહલી સમુદાયથી આવનારા સમર્થનથી જ રાષ્ટ્રપતિની ચૂંટણી જીત્યો છું. હું અલ્પસંખ્યકોને સાથે આવવા જણાવ્યું હતું. મને તેમનું કોઇ સમર્થન મળ્યું નથી, પરંતુ એ સુનિશ્ચિત કરવા માગીશ કે, હું દરેકનો રાષ્ટ્રપતિ છું.'

ગુરૂવારે મહિન્દા રાજપક્ષે વડાપ્રધાન પદનો કાર્યભાર સંભાળ્યો હતો. તેમણે ઓગસ્ટ 2020માં પ્રસ્તાવિત સામાન્ય ચૂંટણી થાય ત્યાં સુધી મંત્રીમંડળના વડાપ્રધાનના રૂપે કામકાજ સંભાળશે.

નવા વડાપ્રધાને ટ્વીટ કર્યું કે, 'હું શ્રીલંકાના નવા વડાપ્રધાનના રૂપમાં શપથ લઇને ગૌરવનો અનુભવ કરૂં છું. હું તમામ શ્રીલંકાઇ લોકોની સેવા કરવા માટે તત્પર છું, કારણ કે, અમે ભવિષ્યની પેઢીઓની રક્ષા માટે અને વિકાસની સાથે દેશને આગળ લઇ જવા ઇચ્છીએ છીએ.'

ગોટબાયાના રાષ્ટ્રપતિના રૂપે શપથ લીધા બાદ ત્રીજા દિવસે મહિન્દાએ રાષ્ટ્રપતિ સચિવાલયમાં નવા વડાપ્રધાનના રૂપમાં શપથ લીધી હતી. આ અવસર પર પૂર્વ વડાપ્રધાન રાનિલ વિક્રમસિંધે, પૂર્વ રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સિરિસેના અને અન્ય નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે ટ્વીટ કર્યું કે, 'હું શ્રીલંકાના વડાપ્રધાન મહિન્દા રાજપક્ષેને હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ આપું છું.'

વડાપ્રધાનના રુપમાં મહિન્દાનો આ બીજો કાર્યકાળ છે. મહિન્દા રાજપક્ષે 2005થી 2015 સુધી શ્રીલંકાના રાષ્ટ્રપતિ રહી ચૂક્યા છે. વર્ષ 2018માં તે અમુક સમય માટે વડાપ્રધાન પણ રહ્યા હતા.

આ પહેલા, મહિન્દાને 26 ઓક્ટોબર 2018એ તત્કાલિન રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સિરિસેનાએ વડાપ્રધાન તરીકે નિયુક્ત કર્યા હતા. દેશના ઉચ્ચતમ ન્યાયાલયના બે મહત્વપૂર્ણ આદેશો બાદ મહિન્દાએ 15 ડિસેમ્બરે વડાપ્રધાન પદેથી રાજીનામું આપ્યું હતું.

આ પહેલા દિવસોમાં વિક્રમસિંધે રાષ્ટ્રપતિ ગોટાબાયાને ઔપચારિક રુપે પોતાનો ત્યાગપત્ર સોંપ્યો હતો. વિક્રમસિંઘે રાષ્ટ્રપતિ ચૂંટણીમાં સજીત પ્રેમદાસની હાર બાદ બુધવારે પોતાના રાજીનામાની ઘોષણા કરી હતી. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ગોટાબાયાએ જીત મેળવી હતી.

રાષ્ટ્રપતિના રુપે સોમવારે શપથ લીધા બાદ તેમણે દેશમાં શક્તિશાળી બૌદ્ધ ભિક્ષુઓને તેમના રાષ્ટ્રપદની દાવેદારીનું સમર્થન કરવા માટે આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે પોતાના નિર્વાચિન માટે બહુસંખ્યક સિંહલી સમુદાયના લોકોનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.

આ ઉપરાંત રાજપક્ષે કહ્યું હતું કે, 'હું જાણું છું કે, માત્ર સિંહલી સમુદાયથી આવનારા સમર્થનથી જ રાષ્ટ્રપતિની ચૂંટણી જીત્યો છું. હું અલ્પસંખ્યકોને સાથે આવવા જણાવ્યું હતું. મને તેમનું કોઇ સમર્થન મળ્યું નથી, પરંતુ એ સુનિશ્ચિત કરવા માગીશ કે, હું દરેકનો રાષ્ટ્રપતિ છું.'

Intro:Body:

https://www.etvbharat.com/hindi/delhi/international/asia-pacific/rajpaksa-sworn-in-as-new-pm-in-sri-lanka/na20191121213505563





महिन्दा राजपक्षे बने श्रीलंका के प्रधानमंत्री, राष्ट्रपति ने दिलाई शपथ


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.