ETV Bharat / international

કોવિડ-19: પાકિસ્તાન વિવિધ દેશોમાંથી પોતાના 43,000 નાગરિકોને પરત લાવવાની યોજના પર કામ કરી રહ્યું છે

author img

By

Published : Apr 18, 2020, 11:57 AM IST

પાકિસ્તાન વિદેશ મંત્રાલયના પ્રવક્તા આયશા ફારુકીએ શુક્રવારે જણાવ્યું હતું કે, વિભિન્ન દેશમાં ફસાયેલા નાગરિકો માટે બીજા તબક્કાની યોજનામાં 14થી 18 એપ્રિલ દરમિયાન નવ વિશેષ વિમાનોથી લગભગ 2000 પાકિસ્તાનીઓને પરત લાવવામાં આવી રહ્યાં છે.

etv bharat
કોવિડ-19: પાકિસ્તાન વિવિધ દેશોમાંથી પોતાના 43,000 નાગરિકોને પરત લાવવાની યોજના પર કામ કરી રહ્યું છે

ઈસ્લામાબાદઃ કોરોના વાઈરસ મહામારીના કારણે પાકિસ્તાન વિભિન્ન દેશોમાં ફસાયેલા તેના 43000 નાગરિકોને પરત લાવવાની યોજના પર કામ કરી રહયું છે. વિદેશ મંત્રાલયની પ્રવક્તા આયેશા ફારુકીએ શુક્રવારે કહ્યું કે, આ યોજનાના બીજા તબક્કામાં આશરે 2000 પાકિસ્તાનીઓને 14 થી 18 એપ્રિલ દરમિયાન લગભગ નવ વિશેષ વિમાનોથી પરત લાવવામાં આવી રહ્યા છે.

તેમણે કહ્યું કે વિવિધ દેશોમાંથી લગભગ 43,000 પાકિસ્તાનીઓને પરત લાવવા જરૂરી છે. જેની માટે એક તબક્કાવાર યોજના ચાલી રહી છે. ફારુકીએ કહ્યું કે, દોહા, દુબઇ, બેન્ગકોક, ઈસ્તાંબુલ, લંડન, બાકુ, તાશકંદ, ક્વાલાલાંપુર અને સિંગાપુરમાં 2287 ફસાયેલા પાકિસ્તાનીઓને પાકિસ્તાન ઈન્ટરનેશલ એરલાઈન્સના 12 વિશેષ વિમાનો દ્વારા પરત લાવ્યા હતા.

'પ્રવક્તાએ જણાવ્યું હતું કે, કોવિડ -19 રોગચાળાને પગલે વિદેશ મંત્રાલય અને વિદેશમાં તેના મિશન દ્વારા પરદેશીઓને રાહત અને સહાય આપવામાં માટે સંપર્ક કરવાની પહેલ કરવામાં આવી છે.

આંતરરાષ્ટ્રીય પરમાણુ ઊર્જા એજન્સીએ પાકિસ્તાનને કોરોના વાઈરસના સંઘર્ષમાં પહોંચાડવા માટે પોલીરમેરેઝ ચેન રિએક્શન મશીન. બાયોહેજાર્ડ સેફ્ટી કેબિનેટ, પરીક્ષણ કીટ સહિચ સાધનો આપ્યા છે.

શુક્રવારે પાકિસ્તાનમાં કોવિડ-19ના 497 નવા દર્દીયો સામે આવ્યા છે. જેની સાથે કુલ દર્દીઓની સંખ્યા વધીને 7125 થઈ છે. દેશમાં આ બીમારીના કારણે અત્યારસુધી 135 લોકોના મોત થયા છે.

ઈસ્લામાબાદઃ કોરોના વાઈરસ મહામારીના કારણે પાકિસ્તાન વિભિન્ન દેશોમાં ફસાયેલા તેના 43000 નાગરિકોને પરત લાવવાની યોજના પર કામ કરી રહયું છે. વિદેશ મંત્રાલયની પ્રવક્તા આયેશા ફારુકીએ શુક્રવારે કહ્યું કે, આ યોજનાના બીજા તબક્કામાં આશરે 2000 પાકિસ્તાનીઓને 14 થી 18 એપ્રિલ દરમિયાન લગભગ નવ વિશેષ વિમાનોથી પરત લાવવામાં આવી રહ્યા છે.

તેમણે કહ્યું કે વિવિધ દેશોમાંથી લગભગ 43,000 પાકિસ્તાનીઓને પરત લાવવા જરૂરી છે. જેની માટે એક તબક્કાવાર યોજના ચાલી રહી છે. ફારુકીએ કહ્યું કે, દોહા, દુબઇ, બેન્ગકોક, ઈસ્તાંબુલ, લંડન, બાકુ, તાશકંદ, ક્વાલાલાંપુર અને સિંગાપુરમાં 2287 ફસાયેલા પાકિસ્તાનીઓને પાકિસ્તાન ઈન્ટરનેશલ એરલાઈન્સના 12 વિશેષ વિમાનો દ્વારા પરત લાવ્યા હતા.

'પ્રવક્તાએ જણાવ્યું હતું કે, કોવિડ -19 રોગચાળાને પગલે વિદેશ મંત્રાલય અને વિદેશમાં તેના મિશન દ્વારા પરદેશીઓને રાહત અને સહાય આપવામાં માટે સંપર્ક કરવાની પહેલ કરવામાં આવી છે.

આંતરરાષ્ટ્રીય પરમાણુ ઊર્જા એજન્સીએ પાકિસ્તાનને કોરોના વાઈરસના સંઘર્ષમાં પહોંચાડવા માટે પોલીરમેરેઝ ચેન રિએક્શન મશીન. બાયોહેજાર્ડ સેફ્ટી કેબિનેટ, પરીક્ષણ કીટ સહિચ સાધનો આપ્યા છે.

શુક્રવારે પાકિસ્તાનમાં કોવિડ-19ના 497 નવા દર્દીયો સામે આવ્યા છે. જેની સાથે કુલ દર્દીઓની સંખ્યા વધીને 7125 થઈ છે. દેશમાં આ બીમારીના કારણે અત્યારસુધી 135 લોકોના મોત થયા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.