ETV Bharat / international

અમેરિકાના વિદેશ મંત્રાલયે ઉત્તરાખંડ જળપ્રલયની દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું

અમેરિકી વિદેશ મંત્રાલયના પ્રવક્તા નેડ પ્રાઈસે ઉત્તરાખંડમાં હિમખંડ તૂટવાથી સર્જાયેલી ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું છે. આ સાથે ઘટનામાં જીવ ગુમાવનારા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે અને ઈજાગ્રસ્તો ઝડપથી સ્વસ્થ થઈ જાય તેવી પ્રાર્થના કરી છે.

author img

By

Published : Feb 9, 2021, 11:55 AM IST

ઉત્તરાખંડ દુર્ઘટના અંગે અમેરિકાના વિદેશ મંત્રાલયે દુઃખ વ્યક્ત કર્યું
ઉત્તરાખંડ દુર્ઘટના અંગે અમેરિકાના વિદેશ મંત્રાલયે દુઃખ વ્યક્ત કર્યું
  • અમેરિકી વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ ઉત્તરાખંડ દુર્ઘટનાને દુઃખદ ગણાવી
  • અમેરિકી પ્રવક્તાએ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી
  • પ્રવક્તાએ ઈજાગ્રસ્તો ઝડપથી સ્વસ્થ થાય તેવી પણ પ્રાર્થના કરી

વોશિંગ્ટનઃ અમેરિકાએ ઉત્તરાખંડમાં સર્જાયેલી દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. આ સાથે જ ઈજાગ્રસ્તો ઝડપથી સ્વસ્થ થાય તે માટે પ્રાર્થના પણ કરી છે. અમેરિકી વિદેશી મંત્રાલયને પ્રવક્તા નેડ પ્રાઈસે જણાવ્યું હતું કે, આ કપરી પરિસ્થિતિમાં અમારી સંવેદના ભારતીયો સાથે છે. આ ઘટનામાં જીવ ગુમાવનારા લોકો અને તેમના પરિવારો પ્રત્યે અમેરિકાએ શોક વ્યક્ત કર્યો છે. અમેરિકાએ જણાવ્યું હતું કે, બચાવ કામગીરીમાં ઝડપથી સફળતા મળશે અને ઈજાગ્રસ્તોનું સ્વાસ્થ્ય પણ ઝડપથી સારું થઈ જશે.

ઉત્તરાખંડમાં રવિવારે નંદા દેવી ગ્લેશિયરનો એક હિસ્સો તૂટ્યો હતો, જેના કારણે હોનારત સર્જાઈ હતી

ઉલ્લેખનીય છે કે, ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં રવિવારે નંદા દેવી ગ્લેશિયરનો એક હિસ્સો તૂટી ગયો હતો, જેના કારણે અલકનંદા નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી. આ દુર્ઘટનામાં મૃતકોની સંખ્યા 18 સુધી પહોંચી છે. જ્યારે 202થી વધારે લોકો હજી પણ ગુમ છે.

અમેરિકી સાંસદ ટોની કાર્ડેનાસે ટ્વિટ કરી દુઃખ વ્યક્ત કર્યું

અમેરિકાના સાંસદ ટોની કાર્ડેનાસે આ ઘટના પર ટ્વિટ કરી દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, અમે ભારતના લોકો માટે પ્રાર્થના કરી રહ્યા છીએ. અમે જળવાયુ પરિવર્તનના વિનાશકારી અસરોને પણ જોઈ રહ્યા છીએ.

  • અમેરિકી વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ ઉત્તરાખંડ દુર્ઘટનાને દુઃખદ ગણાવી
  • અમેરિકી પ્રવક્તાએ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી
  • પ્રવક્તાએ ઈજાગ્રસ્તો ઝડપથી સ્વસ્થ થાય તેવી પણ પ્રાર્થના કરી

વોશિંગ્ટનઃ અમેરિકાએ ઉત્તરાખંડમાં સર્જાયેલી દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. આ સાથે જ ઈજાગ્રસ્તો ઝડપથી સ્વસ્થ થાય તે માટે પ્રાર્થના પણ કરી છે. અમેરિકી વિદેશી મંત્રાલયને પ્રવક્તા નેડ પ્રાઈસે જણાવ્યું હતું કે, આ કપરી પરિસ્થિતિમાં અમારી સંવેદના ભારતીયો સાથે છે. આ ઘટનામાં જીવ ગુમાવનારા લોકો અને તેમના પરિવારો પ્રત્યે અમેરિકાએ શોક વ્યક્ત કર્યો છે. અમેરિકાએ જણાવ્યું હતું કે, બચાવ કામગીરીમાં ઝડપથી સફળતા મળશે અને ઈજાગ્રસ્તોનું સ્વાસ્થ્ય પણ ઝડપથી સારું થઈ જશે.

ઉત્તરાખંડમાં રવિવારે નંદા દેવી ગ્લેશિયરનો એક હિસ્સો તૂટ્યો હતો, જેના કારણે હોનારત સર્જાઈ હતી

ઉલ્લેખનીય છે કે, ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં રવિવારે નંદા દેવી ગ્લેશિયરનો એક હિસ્સો તૂટી ગયો હતો, જેના કારણે અલકનંદા નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી. આ દુર્ઘટનામાં મૃતકોની સંખ્યા 18 સુધી પહોંચી છે. જ્યારે 202થી વધારે લોકો હજી પણ ગુમ છે.

અમેરિકી સાંસદ ટોની કાર્ડેનાસે ટ્વિટ કરી દુઃખ વ્યક્ત કર્યું

અમેરિકાના સાંસદ ટોની કાર્ડેનાસે આ ઘટના પર ટ્વિટ કરી દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, અમે ભારતના લોકો માટે પ્રાર્થના કરી રહ્યા છીએ. અમે જળવાયુ પરિવર્તનના વિનાશકારી અસરોને પણ જોઈ રહ્યા છીએ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.