ETV Bharat / international

Haiti Earthquake: હૈતીમાં આવેલા ભૂકંપમાં અત્યાર સુધી 1,419 લોકોના મૃત્યુ, 6000 ઇજાગ્રસ્ત

author img

By

Published : Aug 17, 2021, 11:09 AM IST

વડાપ્રધાને દેશભરમાં એક મહિનાની લાંબી કટોકટીની સ્થિતિ જાહેર કરી છે અને કહ્યું છે કે, જ્યાં સુધી નુકસાનનું મૂલ્યાંકન ન થાય ત્યાં સુધી તેઓ આંતરરાષ્ટ્રીય મદદ લેશે નહીં. શનિવારે હૈતીમાં આવેલા 7.2 તીવ્રતાના શક્તિશાળી ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 1,419 થયો છે, જ્યારે ઇજાગ્રસ્તની સંખ્યા વધીને 6,000 થઈ ગઈ છે.

હૈતીમાં આવેલા ભૂકંપમાં અત્યાર સુધી 1,419 લોકોના મૃત્યુ
હૈતીમાં આવેલા ભૂકંપમાં અત્યાર સુધી 1,419 લોકોના મૃત્યુ
  • 7.2 તીવ્રતાના શક્તિશાળી ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 1,419 થયો છે
  • મોટાભાગની જાનહાનિ દેશના દક્ષિણમાં થઈ છે
  • ભૂકંપનું કેન્દ્ર રાજધાની પોર્ટ ઓ પ્રિન્સથી 125 કિલોમીટર દૂર હતું

હૈતી: શનિવારે હૈતીમાં આવેલા 7.2 તીવ્રતાના શક્તિશાળી ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 1,419 થયો છે, જ્યારે ઇજાગ્રસ્તની સંખ્યા વધીને 6,000 થઈ ગઈ છે. હૈતીની સિવિલ પ્રોટેક્શન એજન્સીના ડિરેક્ટર જેરી ચાન્ડલરે જણાવ્યું હતું કે, મોટાભાગની જાનહાનિ દેશના દક્ષિણમાં થઈ છે. જેરી ચાન્ડલરે કહ્યું કે, અમે હવે એ સુનિશ્ચિત કરવા માટે કામ કરી રહ્યા છીએ કે અમારી પાસે જે સંસાધનો છે તે સૌથી વધુ અસરગ્રસ્ત સ્થળોએ પહોંચે.

આ પણ વાંચો- હૈતીમાં ભૂકંપના કારણે મત્યુઆંક 1297 પર પહોંચ્યો, 2800 લોકો ઇજાગ્રસ્ત

ભૂસ્ખલનથી કેટલાક શહેરો સંપૂર્ણપણે તબાહ થઈ ગયા હતા

શનિવારના ભૂકંપ અને ભૂસ્ખલનથી કેટલાક શહેરો સંપૂર્ણપણે નાશ પામ્યા હતા અને બચાવ કામગીરીમાં અવરોધ ઉભો થયો હતો. ભૂકંપના કારણે, કોરોનાવાયરસ મહામારીના કારણે પહેલાથી જ ખરાબ રીતે પ્રભાવિત હૈતીના લોકોની વેદના હજુ પણ વધી છે. વધીને 6,000 થઈ ગઈ છે. હૈતીની સિવિલ પ્રોટેક્શન એજન્સીના ડિરેક્ટર જેરી ચાન્ડલરે જણાવ્યું હતું કે મોટાભાગની જાનહાનિ દેશના દક્ષિણમાં થઈ છે.

બચાવ કામગીરીમાં અવરોધ ઉભો થયો હતો

જેરી ચાન્ડલરે કહ્યું કે અમે હવે એ સુનિશ્ચિત કરવા માટે કામ કરી રહ્યા છીએ કે અમારી પાસે જે સંસાધનો છે તે સૌથી વધુ અસરગ્રસ્ત સ્થળોએ પહોંચે. શનિવારના ભૂકંપ અને ભૂસ્ખલનથી કેટલાક શહેરો સંપૂર્ણપણે નાશ થઈ ગયા હતા અને બચાવ કામગીરીમાં અવરોધ ઉભો થયો હતો. ભૂકંપને કારણે, કોરોનાવાયરસ મહામારી પહેલાથી જ ખરાબ રીતે પ્રભાવિત હૈતીના લોકોની વેદનામાં વધુ વધારો થયો છે.

ભૂકંપ બાદ દિવસ અને રાત સુધી આંચકા અનુભવાયા હતા

અમેરિકી ભૂગર્ભીય સર્વેએ જણાવ્યું કે, ભૂકંપનું કેન્દ્ર રાજધાની પોર્ટ ઓ પ્રિન્સથી 125 કિલોમીટર દૂર હતું. આ સપ્તાહની શરૂઆતમાં કટોકટી વધુ વધી શકે છે, કારણ કે તોફાન ગ્રેસ સોમવાર અથવા મંગળવાર સુધીમાં હૈતી સુધી પહોંચી શકે છે. ભૂકંપ બાદ દિવસ અને રાત સુધી આંચકા અનુભવાયા હતા. બેઘર લોકો અને જેમના મકાનો તૂટી જવાની આરે છે, તેઓએ રાત ખુલ્લામાં શેરીઓમાં પસાર કરી. વડાપ્રધાન એરિયલ હેનરીએ કહ્યું કે તેઓ એવા સ્થળોએ મદદ મોકલી રહ્યા છે જ્યાં શહેરો નાશ થઈ ગયા હતા અને હોસ્પિટલો દર્દીઓથી ભરેલી હતી.

ભૂકંપથી કેટલાક શહેરો સંપૂર્ણપણે નાશ પામ્યા

તે જ સમયે, વડાપ્રધાને દેશભરમાં એક મહિનાની કટોકટીની સ્થિતિ જાહેર કરી છે અને કહ્યું છે કે, જ્યાં સુધી નુકસાનનું મૂલ્યાંકન ન થાય ત્યાં સુધી તેઓ આંતરરાષ્ટ્રીય મદદ લેશે નહીં. તેમણે કહ્યું કે, કેટલાક શહેરો સંપૂર્ણપણે નાશ પામ્યા છે. તેમણે કહ્યું કે આંતરરાષ્ટ્રીય રેડ ક્રોસ અને અસરગ્રસ્ત વિસ્તારોની હોસ્પિટલો ઇજાગ્રસ્તોની સંભાળ લઈ રહી છે. તેમણે હૈતીના લોકોને આ સમયે એક થવાની અપીલ કરતા કહ્યું કે જરૂરિયાતો પુષ્કળ છે. આપણે ઇજાગ્રસ્તની સંભાળ રાખવી, ખોરાક, સહાય, કામચલાઉ આશ્રય અને મનોવૈજ્ઞાનિક સહાય પૂરી પાડવી પડશે.

આ પણ વાંચો- Haiti Earthquake: હૈતીમાં 7.2ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની આવવાની સંભાવના

2,868 મકાન નષ્ટ અને 5,410 થી વધુ ક્ષતિગ્રસ્ત

ચાન્ડલરે અહેવાલ આપ્યો હતો કે, ઓછામાં ઓછા 2,868 મકાનો નાશ પામ્યા હતા અને 5,410થી વધુને નુકસાન થયું હતું. હોસ્પિટલો, શાળાઓ, કચેરીઓ અને ચર્ચ પણ પ્રભાવિત થયા હતા. તે જ સમયે, યુએસ પ્રેસિડેન્ટ જો બિડેને યુએસએઆઈડી એડમિનિસ્ટ્રેટર સામન્થા પાવરને હૈતીને યુએસ સહાય માટે સંકલન અધિકારી તરીકે નિયુક્ત કર્યા છે. યુએસએઆઈડી નુકસાનનું મૂલ્યાંકન કરવામાં અને પુનનિર્માણમાં મદદ કરશે. આર્જેન્ટિના, ચીલી સહિત ઘણા દેશોએ પણ મદદની ઓફર કરી છે.

  • 7.2 તીવ્રતાના શક્તિશાળી ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 1,419 થયો છે
  • મોટાભાગની જાનહાનિ દેશના દક્ષિણમાં થઈ છે
  • ભૂકંપનું કેન્દ્ર રાજધાની પોર્ટ ઓ પ્રિન્સથી 125 કિલોમીટર દૂર હતું

હૈતી: શનિવારે હૈતીમાં આવેલા 7.2 તીવ્રતાના શક્તિશાળી ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 1,419 થયો છે, જ્યારે ઇજાગ્રસ્તની સંખ્યા વધીને 6,000 થઈ ગઈ છે. હૈતીની સિવિલ પ્રોટેક્શન એજન્સીના ડિરેક્ટર જેરી ચાન્ડલરે જણાવ્યું હતું કે, મોટાભાગની જાનહાનિ દેશના દક્ષિણમાં થઈ છે. જેરી ચાન્ડલરે કહ્યું કે, અમે હવે એ સુનિશ્ચિત કરવા માટે કામ કરી રહ્યા છીએ કે અમારી પાસે જે સંસાધનો છે તે સૌથી વધુ અસરગ્રસ્ત સ્થળોએ પહોંચે.

આ પણ વાંચો- હૈતીમાં ભૂકંપના કારણે મત્યુઆંક 1297 પર પહોંચ્યો, 2800 લોકો ઇજાગ્રસ્ત

ભૂસ્ખલનથી કેટલાક શહેરો સંપૂર્ણપણે તબાહ થઈ ગયા હતા

શનિવારના ભૂકંપ અને ભૂસ્ખલનથી કેટલાક શહેરો સંપૂર્ણપણે નાશ પામ્યા હતા અને બચાવ કામગીરીમાં અવરોધ ઉભો થયો હતો. ભૂકંપના કારણે, કોરોનાવાયરસ મહામારીના કારણે પહેલાથી જ ખરાબ રીતે પ્રભાવિત હૈતીના લોકોની વેદના હજુ પણ વધી છે. વધીને 6,000 થઈ ગઈ છે. હૈતીની સિવિલ પ્રોટેક્શન એજન્સીના ડિરેક્ટર જેરી ચાન્ડલરે જણાવ્યું હતું કે મોટાભાગની જાનહાનિ દેશના દક્ષિણમાં થઈ છે.

બચાવ કામગીરીમાં અવરોધ ઉભો થયો હતો

જેરી ચાન્ડલરે કહ્યું કે અમે હવે એ સુનિશ્ચિત કરવા માટે કામ કરી રહ્યા છીએ કે અમારી પાસે જે સંસાધનો છે તે સૌથી વધુ અસરગ્રસ્ત સ્થળોએ પહોંચે. શનિવારના ભૂકંપ અને ભૂસ્ખલનથી કેટલાક શહેરો સંપૂર્ણપણે નાશ થઈ ગયા હતા અને બચાવ કામગીરીમાં અવરોધ ઉભો થયો હતો. ભૂકંપને કારણે, કોરોનાવાયરસ મહામારી પહેલાથી જ ખરાબ રીતે પ્રભાવિત હૈતીના લોકોની વેદનામાં વધુ વધારો થયો છે.

ભૂકંપ બાદ દિવસ અને રાત સુધી આંચકા અનુભવાયા હતા

અમેરિકી ભૂગર્ભીય સર્વેએ જણાવ્યું કે, ભૂકંપનું કેન્દ્ર રાજધાની પોર્ટ ઓ પ્રિન્સથી 125 કિલોમીટર દૂર હતું. આ સપ્તાહની શરૂઆતમાં કટોકટી વધુ વધી શકે છે, કારણ કે તોફાન ગ્રેસ સોમવાર અથવા મંગળવાર સુધીમાં હૈતી સુધી પહોંચી શકે છે. ભૂકંપ બાદ દિવસ અને રાત સુધી આંચકા અનુભવાયા હતા. બેઘર લોકો અને જેમના મકાનો તૂટી જવાની આરે છે, તેઓએ રાત ખુલ્લામાં શેરીઓમાં પસાર કરી. વડાપ્રધાન એરિયલ હેનરીએ કહ્યું કે તેઓ એવા સ્થળોએ મદદ મોકલી રહ્યા છે જ્યાં શહેરો નાશ થઈ ગયા હતા અને હોસ્પિટલો દર્દીઓથી ભરેલી હતી.

ભૂકંપથી કેટલાક શહેરો સંપૂર્ણપણે નાશ પામ્યા

તે જ સમયે, વડાપ્રધાને દેશભરમાં એક મહિનાની કટોકટીની સ્થિતિ જાહેર કરી છે અને કહ્યું છે કે, જ્યાં સુધી નુકસાનનું મૂલ્યાંકન ન થાય ત્યાં સુધી તેઓ આંતરરાષ્ટ્રીય મદદ લેશે નહીં. તેમણે કહ્યું કે, કેટલાક શહેરો સંપૂર્ણપણે નાશ પામ્યા છે. તેમણે કહ્યું કે આંતરરાષ્ટ્રીય રેડ ક્રોસ અને અસરગ્રસ્ત વિસ્તારોની હોસ્પિટલો ઇજાગ્રસ્તોની સંભાળ લઈ રહી છે. તેમણે હૈતીના લોકોને આ સમયે એક થવાની અપીલ કરતા કહ્યું કે જરૂરિયાતો પુષ્કળ છે. આપણે ઇજાગ્રસ્તની સંભાળ રાખવી, ખોરાક, સહાય, કામચલાઉ આશ્રય અને મનોવૈજ્ઞાનિક સહાય પૂરી પાડવી પડશે.

આ પણ વાંચો- Haiti Earthquake: હૈતીમાં 7.2ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની આવવાની સંભાવના

2,868 મકાન નષ્ટ અને 5,410 થી વધુ ક્ષતિગ્રસ્ત

ચાન્ડલરે અહેવાલ આપ્યો હતો કે, ઓછામાં ઓછા 2,868 મકાનો નાશ પામ્યા હતા અને 5,410થી વધુને નુકસાન થયું હતું. હોસ્પિટલો, શાળાઓ, કચેરીઓ અને ચર્ચ પણ પ્રભાવિત થયા હતા. તે જ સમયે, યુએસ પ્રેસિડેન્ટ જો બિડેને યુએસએઆઈડી એડમિનિસ્ટ્રેટર સામન્થા પાવરને હૈતીને યુએસ સહાય માટે સંકલન અધિકારી તરીકે નિયુક્ત કર્યા છે. યુએસએઆઈડી નુકસાનનું મૂલ્યાંકન કરવામાં અને પુનનિર્માણમાં મદદ કરશે. આર્જેન્ટિના, ચીલી સહિત ઘણા દેશોએ પણ મદદની ઓફર કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.