લંડન: વિશ્વમાં કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે. સમગ્ર વિશ્વમાં 1 લાખથી પણ વધુ કેસ નોંધાયા છે. કોરોના વાયરસથી હજી સુધી 5080 લોકોના મોત નિપજ્યા છે અને 70 હજારથી વધુ લોકો રિકવર થયા છે. ચીન બાદ કોરોના વાયરસના સૌથી વધુ કેસ યુરોપમાં નોંધાયા છે. જેના પગલે પ્રમુખે કોન્ફરન્સને સંબોધન કરતા દેશમાં ઇમર્જન્સી જાહેર કરી હતી. જેના પગલે હવે અમેરિકા કોઇ જાહેર સભાઓ કે કાર્યક્રમો મોકુફ રાખી શકે છે.
સમગ્ર દેશમાં 1 લાખ 38 હજાર 153થી પણ વધુ લોકો કોરોના વાયરસથી પીડાીઇ રહ્યા છે.કોરોના વાયરસથી હવે 5080 લોકોના મોત થયા છે.કેરળ સરકારે કોરોના વાયરસને લઈને પ્રદેશમાં રાજકીય કટોકટી જાહેર કરી છે. પ્રદેશના સ્વાસ્થ્ય મંત્રી કેકે શૈલજાએ સોમવારે સાંજે કહ્યું કે મુખ્યપ્રધાન પિનારઈ વિજયનના નિર્દેશ પર તેની જાહેરાત કરવામાં આવી છે. અલપુઝા એનઆઈવીમાં આ બીમારીની તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે.
સ્વાસ્થ્ય પ્રધાનેએ કહ્યું સરકાર એ લોકોની યાદી બનાવી રહી છે જેઓ વુહાનથી પરત ફર્યા છે. તેના માટે ઈમીગ્રેશન ડિપાર્ટમેન્ટનો સંપર્ક કરવાની તૈયારીઓ છે. દરેક શંકાસ્પદ દર્દી પર ખાસ નજર રાખવામાં આવી રહી છે.