ETV Bharat / international

અમેરિકામાં ટ્રમ્પના લીગલ ઇમિગ્રેશનના પ્રતિબંધને જો બાઈડને હટાવ્યો

author img

By

Published : Feb 25, 2021, 5:19 PM IST

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિએ બેરોજગારી સામે લડવા માટે માર્ચ 2021 સુધી ગ્રીન કાર્ડ આપવા પર પ્રતિબંધ લગાવી દીધો હતો, પરંતુ અમેરિકાના વર્તમાન રાષ્ટ્રપતિ જો બાઈડને ટ્રમ્પના આ નિર્ણયને રદ કરી દીધો છે અને ગ્રીન કાર્ડ પરથી પ્રતિબંધ પણ હટાવી દીધો છે.

અમેરિકામાં ટ્રમ્પે લીગલ ઇમિગ્રેશનના પ્રતિબંધને જો બાઈડને હટાવ્યો
અમેરિકામાં ટ્રમ્પે લીગલ ઇમિગ્રેશનના પ્રતિબંધને જો બાઈડને હટાવ્યો
  • ટ્રમ્પે માર્ચ 2021 સુધી ગ્રીન કાર્ડ પર પ્રતિબંધ લગાવ્યો હતો
  • બાઈડને પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના તમામ નિર્ણયને રદ કર્યા
  • ટ્રમ્પનો નિર્ણય કાયદેસર આવતા લોકોને રોકવા એ અમેરિકાના હિતમાં નહોતો

વોશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા વૈશ્વિક મહામારી દરમિયાન ગ્રીન કાર્ડ પર લગાવાયેલા પ્રતિબંધને હટાવી દીધો છે. આ અંગે વકીલોનું કહેવું છે કે, આ નિર્ણય અમેરિકામાં કાયદેસર આવતા લોકોને રોકી રહ્યો હતો. બાઈડને કહ્યું, કાયદેસર આવતા લોકોને રોકવા એ અમેરિકાના હિતમાં નથી.

ટ્રમ્પનો નિર્ણય અમેરિકાના નુકસાનમાં હતોઃ બાઈડન

આ અંગે બાઈડને કહ્યું કે, આ નિર્ણયથી અમેરિકાને નુકસાન થઈ રહ્યું છે. જેમાં અમેરિકી નાગરિકો અથવા કાયદેસર સ્થાનિક નિવાસીઓના પરિવારના સભ્યોને અહીં તેમના પરિવારથી મળતા રોકવામાં આવી રહ્યું હતું. આ અમેરિકાના ઉદ્યોગોને પણ પ્રભાવિત કરે છે, જે વિશ્વભરના પ્રતિભાશાળી લોકોનો ભાગ છે. અમેરિકાના ઈમિગ્રેશન વકીલ સંઘના જણાવ્યા અનુસાર, આ આદેશથી મોટાભાગના ઈમિગ્રેશન વિઝા પર પ્રતિબંધ લગાવાયો હતો.

  • ટ્રમ્પે માર્ચ 2021 સુધી ગ્રીન કાર્ડ પર પ્રતિબંધ લગાવ્યો હતો
  • બાઈડને પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના તમામ નિર્ણયને રદ કર્યા
  • ટ્રમ્પનો નિર્ણય કાયદેસર આવતા લોકોને રોકવા એ અમેરિકાના હિતમાં નહોતો

વોશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા વૈશ્વિક મહામારી દરમિયાન ગ્રીન કાર્ડ પર લગાવાયેલા પ્રતિબંધને હટાવી દીધો છે. આ અંગે વકીલોનું કહેવું છે કે, આ નિર્ણય અમેરિકામાં કાયદેસર આવતા લોકોને રોકી રહ્યો હતો. બાઈડને કહ્યું, કાયદેસર આવતા લોકોને રોકવા એ અમેરિકાના હિતમાં નથી.

ટ્રમ્પનો નિર્ણય અમેરિકાના નુકસાનમાં હતોઃ બાઈડન

આ અંગે બાઈડને કહ્યું કે, આ નિર્ણયથી અમેરિકાને નુકસાન થઈ રહ્યું છે. જેમાં અમેરિકી નાગરિકો અથવા કાયદેસર સ્થાનિક નિવાસીઓના પરિવારના સભ્યોને અહીં તેમના પરિવારથી મળતા રોકવામાં આવી રહ્યું હતું. આ અમેરિકાના ઉદ્યોગોને પણ પ્રભાવિત કરે છે, જે વિશ્વભરના પ્રતિભાશાળી લોકોનો ભાગ છે. અમેરિકાના ઈમિગ્રેશન વકીલ સંઘના જણાવ્યા અનુસાર, આ આદેશથી મોટાભાગના ઈમિગ્રેશન વિઝા પર પ્રતિબંધ લગાવાયો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.