મુંબઈઃ બોલિવૂડનો ચોકલેટી લૂક અને હેન્ડસમ એક્ટર આયુષ્માન ખુરાના પોતાના લૂક અને ફિલ્મ બંને માટે ચાહકોના દિલમાં વસી ગયા છે. આયુષ્માનની ફેન ફોલોઈંગ ઘણી મોટી છે. આ દિવસોમાં તે પોતાની આગામી ફિલ્મ 'એન એક્શન હીરો' (An action hero movie)ને લઈને ચર્ચામાં છે. હવે તેની કેટલીક તસવીર સામે આવી છે, જેમાં તે બોલિવૂડના 'બાદશાહ' શાહરૂખ ખાનના બંગલા 'મન્નત'ની બહાર (Ayushmaan Khurrana outside mannat) જોવા મળ્યા હતા અને તેને જોવા માટે તેના ચાહકોની ભીડ ઉમટી પડી હતી.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
મન્નતની બહાર આયુષ્માન ખુરાના: આયુષ્માન આ દિવસોમાં તેમની ફિલ્મ 'એન એક્શન હીરો'નું પ્રમોશન કરી રહ્યો છે અને આ દરમિયાન તે શાહરૂખ ખાનના બંગલા 'મન્નત' સામેથી પસાર થઈ રહ્યો હતો કે, તેમણે તેનો કાફલો રોક્યો અને સોશિયલ મીડિયા પર 'મન્નત'ની સામેની તસવીર ક્લિક કરી મીડિયા પર શેર કર્યું. આ તસવીર શેર કરીને આયુષ્માન ખુરાનાએ લખ્યું છે કે, 'જ્યારે હું વ્રતમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે મેં મન્નત માંગી હતી. ફોટોમાં આયુષ્માન મન્નત માંગતો જોવા મળે છે અને તે ચાહકોથી ઘેરાયેલો છે.
આયુષ્માને કોને કહ્યું અસલ હીરો: આ સિવાય આયુષ્માન ખુરાનાએ અમદાવાદમાં ફિલ્મના પ્રમોશન માટે એક ઈવેન્ટમાં હાજરી આપી હતી. આ ઈવેન્ટનું નામ છે 'રન ફોર અવર સોલ્જર્સ', જ્યાં આયુષ્માનના ચાહકોની ભારે ભીડ એકઠી થઈ હતી. આ તસવીર શેર કરતાં આયુષ્માને લખ્યું છે કે, 'હું ફક્ત રીલનો એક્શન હીરો છું, વાસ્તવિક એક્શન હીરો આપણી ભારતીય સેનાના સૈનિકો છે. હંમેશા તેમનો આભારી છું. આ મારા માટે સન્માનની વાત છે કે, મેં રન ફોર અવર સોલ્જર્સ મેરેથોન શરૂ કરી.
એન એક્શન હીરો ફિલ્મ રિલીઝ: આયુષ્માન ખુરાના અને જયદીપ અહલાવત સ્ટારર ફિલ્મ 'એન એક્શન હીરો' 2 ડિસેમ્બરે રિલીઝ થઈ રહી છે. ફિલ્મમાં જયદીપ અહલાવત પણ મહત્વના રોલમાં જોવા મળશે. આયુષ્માન ફિલ્મમાં એક્શન હીરોની ભૂમિકામાં છે, જે એક વાસ્તવિક હત્યાના કેસમાં ફસાઈ જાય છે.