મુસ્લિમ સમુદાયના વોટર્સને લઇને કેજરીવાલના નિવેદન પર દિલ્હી કોંગ્રેસ કમિટીની અધ્યક્ષ શીલા દિક્ષીતે પલટવાર કર્યો છે, તેમણે કહ્યું કે, " ખબર નહી તેઓ શું કહેવા માંગે છે? નાગરિકોને કોઇ પણ પક્ષમાં વોટ આપવાનો હક છે. પૂર્વ CM શીલા દીક્ષિતે કહ્યું કે, દિલ્હીના લોકો અરવિંદ કેજરીવાલના ગવર્નેસ મોડલને સમજી નથી શકતા અને પસંદ પણ નથી કરી રહ્યા"
કેજરીવાલે શું કહ્યું?
કેજરીવાલે કહ્યું, "મતદાનના 48 કલાક પહેલા એવું લાગી રહ્યું હતું કે AAP 7 સીટ પર જીત હાંસલ કરશે, પરંતુ છેલ્લે મુસ્લિમ મતદાતાઓ કોંગ્રેસ તરફ શિફ્ટ થઇ ગયા. વધુમાં તેમણે ઉમેર્યુ કે, અમે જાણવાની કોશિશ કરી રહ્યા છે કે હકીકતમાં શું થયું હતું."