સત્યાર્થીએ ટ્વીટ કરતા કહ્યું કે, ગોડસેએ ગાંધીની શરીરની હત્યા કરી હતી, પરંતુ પ્રજ્ઞા જેવા લોકો તેમની આત્માની હત્યા કરી રહ્યા છે. સાથે જ તેઓ અહિંસા, શાંતિ, સહિષ્ણુતા, અને ભારત દેશની આત્માની હત્યા કરી રહ્યા છે"
![કૈલાશ સત્યાર્થીનું ટ્વીટ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/3316210_eee.jpg)
થોડા દિવસો પહેલા ભોપાલ લોકસભા સીટ પરથી ભાજપની ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞાએ એક સવાલના જવાબમાં કહ્યું હતું કે, મહાત્મા ગાંધીના હત્યા કરનાર ગોડસે સૌથી મોટા દેશભક્ત હતા અને જે લોકો તેમને આતંકવાદી કહે છે તે લોકો પહેલા પોતે શું છે તે જુએ..
સાધ્વીના આ નિવેદન બાદ ભાજના વરિષ્ઠ નેતાઓએ પણ સાધ્વીના નિવેદન પર કોઇ પ્રતિક્રીયા નથી આપી. જોકે આ વિવાદીત નિવેદન બદલ પ્રજ્ઞાએ માફી પણ માંગી હતી.