ETV Bharat / crime

મર્ડર મિસ્ટ્રીઃ નાર્કો ટેસ્ટની મંજૂરી મળશે તો હકીકતનો પર્દાફાશ થશે - Shraddha Walker Case updates

શ્રદ્ધા મર્ડર (Shraddha Walker murder case) કેસમાં નવી દિલ્હી પોલીસ આરોપીના ઘર સુધી પહોંચી ગઈ છે. જેમાં પોલીસે એની આસપાસ રહેતા કેટલાક લોકોને શંકાના દાયરામાં લઈને પૂછપરછ શરૂ કરી દીધી છે. જોકે, હકીકત એવી પણ છે કે, આરોપી આફતાબ તપાસમાં કોઈ સહકાર આપતો નથી. વારંવાર અંગ્રેજીમાં બફાટ કરીને તપાસને ડાઈવર્ટ કરી રહ્યો છે. જેને ધ્યાને લઈને નવી દિલ્હી પોલીસે નાર્કો ટેસ્ટ માટેની અરજી દાખલ કરી છે.

મર્ડર મિસ્ટ્રીઃ નાર્કો ટેસ્ટની મંજૂરી મળશે તો હકીકતનો પર્દાફાશ થશે
મર્ડર મિસ્ટ્રીઃ નાર્કો ટેસ્ટની મંજૂરી મળશે તો હકીકતનો પર્દાફાશ થશે
author img

By

Published : Nov 17, 2022, 7:05 AM IST

નવી દિલ્હીઃ નવી દિલ્હીના સૌથી વધુ ચર્ચામાં રહેલા શ્રદ્ધા મર્ડર કેસમાં દિલ્હી પોલીસે (Delhi Police Investigators ) આરોપી આફતાબના નાર્કો ટેસ્ટ માટે સાકેત કોર્ટમાં અરજી કરી છે. કોર્ટના આદેશ બાદ આરોપીનો નાર્કો ટેસ્ટ કરવામાં આવશે. હાલ શ્રદ્ધાના (Shraddha Walker murder case) મૃતદેહના ટુકડાની શોધ ચાલી રહી છે. હાલમાં હજું પણ પોલીસ શ્રદ્ધાનો (Delhi Police ) ચહેરો શોધી રહી છે.

  • Shraddha murder case | Delhi Police had applied for the Narco test of the accused Aftab on Saturday but till now no permission has been granted by the Court: Delhi Police Sources

    — ANI (@ANI) November 16, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

અરજી કરીઃ શ્રદ્ધા મર્ડર કેસમાં સત્ય સુધી પહોંચવા માટે દિલ્હી પોલીસે આરોપી આફતાબના નાર્કો ટેસ્ટ કરવા સુધીના પગલાં સુધી પહોંચી ગઈ છે. બીજી તરફ ગ્રાઉન્ડ તપાસ કરનારી ટીમ એનો ચહેરો શોધી રહી છે. પોલીસે નાર્કો ટેસ્ટ માટે કોર્ટમાં અરજી દાખલ કરી દીધી છે. કોર્ટે હજુ સુધી આ મામલે પોતાનો કોઈ આદેશ આપ્યો નથી. કોર્ટના આદેશ બાદ જ આ કેસમાં નાર્કો ટેસ્ટની મંજૂરી આપવામાં આવશે. આ કેસમાં શ્રદ્ધાના સંબંધીઓએ ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. જેમાં આફતાબ પર તેને ગેરમાર્ગે દોરીને તેનું અપહરણ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.

સર્ચ ઑપરેશન યથાવતઃ નવી દિલ્હીના મહેરૌલીના જંગલોમાં શ્રદ્ધાના મૃતદેહના અવશેષોને લઈને દિલ્હી પોલીસ સતત સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. જોકે શ્રદ્ધાનું માથું હજુ સુધી મળ્યું નથી. જો માથું પુનઃપ્રાપ્ત ન થાય તો, શ્રદ્ધાના અવશેષોને ઓળખવાનો એકમાત્ર રસ્તો ડીએનએ ટેસ્ટ હશે. જોકે, લગભગ 5 મહિના પહેલા ખુલ્લામાં ફેંકી દેવાયેલા મૃતદેહના અવશેષો એકઠા કરવા પણ એક પડકાર છે. આ સાથે આ વિસ્તારમાં આવતા પશુઓ દ્વારા અવશેષો લઈ જવાની પણ આશંકા છે. કાયદાના નિષ્ણાંતોના મતે આ કેસમાં અપહરણ અને ગુમ થવાની કલમોમાં જ કેસ નોંધવામાં આવ્યો છે.

શું છે નાર્કો ટેસ્ટઃ નાર્કો ટેસ્ટ દ્વારા ગુનેગાર અથવા શંકાસ્પદ વ્યક્તિ પાસેથી સત્ય બહાર કાઢવાની દરેક શક્યતા છે. આના દ્વારા વ્યક્તિને ટ્રુથ ડ્રગ નામની સાયકોએક્ટિવ દવા આપવામાં આવે છે. ઘણા કિસ્સાઓમાં સોડિયમ પેન્ટોથોલ ઇન્જેક્ટ કરવામાં આવે છે. આ દવા લોહીમાં પહોંચતાની સાથે જ વ્યક્તિ અર્ધ-ચેતનાની સ્થિતિમાં પહોંચી જાય છે. અર્ધ-સભાન સ્થિતિમાં જાય છે. ટીમ તે વ્યક્તિને તેની પેટર્ન વિશે પ્રશ્નો કરે છે. આ પરીક્ષણ ફોરેન્સિક નિષ્ણાતો, તપાસ અધિકારીઓ, ડૉક્ટરો અને મનોવૈજ્ઞાનિકોની બનેલી ટીમ દ્વારા કરવામાં આવે છે. આ દરમિયાન સુસ્ત સ્થિતિમાં વિચારનાર વ્યક્તિને ઘટનાઓ વગેરે વિશે પ્રશ્નો અને જવાબો પૂછવામાં આવે છે. આ સમય દરમિયાન વ્યક્તિમાં તર્ક કરવાની ક્ષમતા ઘણી ઓછી હોય છે, આવી સ્થિતિમાં તેની પાસેથી સત્ય બહાર આવવાનો અવકાશ વધી જાય છે.

કલમ લાગુ નહીં પડેઃ જ્યાં સુધી મૃતદેહ ન મળે અથવા બધું મળી ગયું હોવાની પુષ્ટિ ન થાય ત્યાં સુધી આ કેસમાં હત્યાની કલમો ઉમેરવામાં આવશે નહીં. આતંકવાદી ઘટનાઓના કિસ્સામાં પણ, જ્યાં સુધી પોલીસ ગુમ થયેલા શરીર પર લગભગ 7 વર્ષ સુધી શોધી ન શકાય તેવો અહેવાલ દાખલ કરતી નથી. ત્યાં સુધી તે વ્યક્તિને ગુમ ગણવામાં આવે છે. મૃત માનવામાં આવતી નથી. વર્ષ 2005માં સરોજિની નગર બોમ્બ બ્લાસ્ટ કેસમાં પણ ઘણા લોકો ગુમ થયા હતા, જેમના પરિવારજનોને 7 વર્ષ સુધી સરકાર દ્વારા આપવામાં આવતું વળતર ન હતું મળ્યું. કારણ કે તેમના પરિવારજનોને પોલીસે મૃત જાહેર કર્યા ન હતા.

ડેટિંગથી ડેથ સુધીઃ શ્રદ્ધા અને આફતાબ ડેટિંગ એપ બમ્બલ દ્વારા એકબીજાના સંપર્કમાં આવ્યા હતા. બાદમાં તેઓ કોલ સેન્ટરમાં સાથે કામ કરવા લાગ્યા. જ્યારે શ્રદ્ધાના પરિવારે આ સંબંધ સામે વાંધો ઉઠાવ્યો તો તેઓ દિલ્હી ચાલ્યા ગયા અને મહેરૌલીમાં રહેવા લાગ્યા. દિલ્હી પોલીસ સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ શ્રદ્ધાનો હત્યારો આફતાબ તપાસમાં સહકાર નથી આપી રહ્યો. તેણે શ્રદ્ધાનો મોબાઈલ ફોન લઈ લીધો હતો. જે હથિયાર વડે શરીરના ટુકડા કર્યા હતા. તેની માહિતી પોલીસને આપી નથી. આ મામલે તપાસને ઝડપી બનાવવા માટે પોલીસ શ્રદ્ધાના પિતાને મુંબઈથી દિલ્હી બોલાવી શકે છે. લોહી ડાઘ ભૂંસવા અને શરીરના કટકા કરેલા ટુકડાને સાચવી રાખવા માટે ગુગલમાં ચોક્કસ પ્રકારની સામગ્રી શોધી હતી.

પૈસા ટ્રાંસફરઃ પોલીસ તપાસમાંથી ખબર પડી કે તારીખ 26 મેના રોજ શ્રદ્ધાની નેટ બેંકિંગ એપ્લિકેશનમાંથી આફતાબના ખાતામાં 54 હજાર રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. જ્યારે આફતાબે પોલીસને જણાવ્યું હતું કે તે તારીખ 22 મેથી શ્રદ્ધાના સંપર્કમાં નથી. પછી શું હતું, આ આફતાબની પહેલી સૌથી મોટી ભૂલ હતી, જેણે તેને પોતાના જ જાળામાં ફસાવી દીધો.

નવી દિલ્હીઃ નવી દિલ્હીના સૌથી વધુ ચર્ચામાં રહેલા શ્રદ્ધા મર્ડર કેસમાં દિલ્હી પોલીસે (Delhi Police Investigators ) આરોપી આફતાબના નાર્કો ટેસ્ટ માટે સાકેત કોર્ટમાં અરજી કરી છે. કોર્ટના આદેશ બાદ આરોપીનો નાર્કો ટેસ્ટ કરવામાં આવશે. હાલ શ્રદ્ધાના (Shraddha Walker murder case) મૃતદેહના ટુકડાની શોધ ચાલી રહી છે. હાલમાં હજું પણ પોલીસ શ્રદ્ધાનો (Delhi Police ) ચહેરો શોધી રહી છે.

  • Shraddha murder case | Delhi Police had applied for the Narco test of the accused Aftab on Saturday but till now no permission has been granted by the Court: Delhi Police Sources

    — ANI (@ANI) November 16, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

અરજી કરીઃ શ્રદ્ધા મર્ડર કેસમાં સત્ય સુધી પહોંચવા માટે દિલ્હી પોલીસે આરોપી આફતાબના નાર્કો ટેસ્ટ કરવા સુધીના પગલાં સુધી પહોંચી ગઈ છે. બીજી તરફ ગ્રાઉન્ડ તપાસ કરનારી ટીમ એનો ચહેરો શોધી રહી છે. પોલીસે નાર્કો ટેસ્ટ માટે કોર્ટમાં અરજી દાખલ કરી દીધી છે. કોર્ટે હજુ સુધી આ મામલે પોતાનો કોઈ આદેશ આપ્યો નથી. કોર્ટના આદેશ બાદ જ આ કેસમાં નાર્કો ટેસ્ટની મંજૂરી આપવામાં આવશે. આ કેસમાં શ્રદ્ધાના સંબંધીઓએ ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. જેમાં આફતાબ પર તેને ગેરમાર્ગે દોરીને તેનું અપહરણ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.

સર્ચ ઑપરેશન યથાવતઃ નવી દિલ્હીના મહેરૌલીના જંગલોમાં શ્રદ્ધાના મૃતદેહના અવશેષોને લઈને દિલ્હી પોલીસ સતત સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. જોકે શ્રદ્ધાનું માથું હજુ સુધી મળ્યું નથી. જો માથું પુનઃપ્રાપ્ત ન થાય તો, શ્રદ્ધાના અવશેષોને ઓળખવાનો એકમાત્ર રસ્તો ડીએનએ ટેસ્ટ હશે. જોકે, લગભગ 5 મહિના પહેલા ખુલ્લામાં ફેંકી દેવાયેલા મૃતદેહના અવશેષો એકઠા કરવા પણ એક પડકાર છે. આ સાથે આ વિસ્તારમાં આવતા પશુઓ દ્વારા અવશેષો લઈ જવાની પણ આશંકા છે. કાયદાના નિષ્ણાંતોના મતે આ કેસમાં અપહરણ અને ગુમ થવાની કલમોમાં જ કેસ નોંધવામાં આવ્યો છે.

શું છે નાર્કો ટેસ્ટઃ નાર્કો ટેસ્ટ દ્વારા ગુનેગાર અથવા શંકાસ્પદ વ્યક્તિ પાસેથી સત્ય બહાર કાઢવાની દરેક શક્યતા છે. આના દ્વારા વ્યક્તિને ટ્રુથ ડ્રગ નામની સાયકોએક્ટિવ દવા આપવામાં આવે છે. ઘણા કિસ્સાઓમાં સોડિયમ પેન્ટોથોલ ઇન્જેક્ટ કરવામાં આવે છે. આ દવા લોહીમાં પહોંચતાની સાથે જ વ્યક્તિ અર્ધ-ચેતનાની સ્થિતિમાં પહોંચી જાય છે. અર્ધ-સભાન સ્થિતિમાં જાય છે. ટીમ તે વ્યક્તિને તેની પેટર્ન વિશે પ્રશ્નો કરે છે. આ પરીક્ષણ ફોરેન્સિક નિષ્ણાતો, તપાસ અધિકારીઓ, ડૉક્ટરો અને મનોવૈજ્ઞાનિકોની બનેલી ટીમ દ્વારા કરવામાં આવે છે. આ દરમિયાન સુસ્ત સ્થિતિમાં વિચારનાર વ્યક્તિને ઘટનાઓ વગેરે વિશે પ્રશ્નો અને જવાબો પૂછવામાં આવે છે. આ સમય દરમિયાન વ્યક્તિમાં તર્ક કરવાની ક્ષમતા ઘણી ઓછી હોય છે, આવી સ્થિતિમાં તેની પાસેથી સત્ય બહાર આવવાનો અવકાશ વધી જાય છે.

કલમ લાગુ નહીં પડેઃ જ્યાં સુધી મૃતદેહ ન મળે અથવા બધું મળી ગયું હોવાની પુષ્ટિ ન થાય ત્યાં સુધી આ કેસમાં હત્યાની કલમો ઉમેરવામાં આવશે નહીં. આતંકવાદી ઘટનાઓના કિસ્સામાં પણ, જ્યાં સુધી પોલીસ ગુમ થયેલા શરીર પર લગભગ 7 વર્ષ સુધી શોધી ન શકાય તેવો અહેવાલ દાખલ કરતી નથી. ત્યાં સુધી તે વ્યક્તિને ગુમ ગણવામાં આવે છે. મૃત માનવામાં આવતી નથી. વર્ષ 2005માં સરોજિની નગર બોમ્બ બ્લાસ્ટ કેસમાં પણ ઘણા લોકો ગુમ થયા હતા, જેમના પરિવારજનોને 7 વર્ષ સુધી સરકાર દ્વારા આપવામાં આવતું વળતર ન હતું મળ્યું. કારણ કે તેમના પરિવારજનોને પોલીસે મૃત જાહેર કર્યા ન હતા.

ડેટિંગથી ડેથ સુધીઃ શ્રદ્ધા અને આફતાબ ડેટિંગ એપ બમ્બલ દ્વારા એકબીજાના સંપર્કમાં આવ્યા હતા. બાદમાં તેઓ કોલ સેન્ટરમાં સાથે કામ કરવા લાગ્યા. જ્યારે શ્રદ્ધાના પરિવારે આ સંબંધ સામે વાંધો ઉઠાવ્યો તો તેઓ દિલ્હી ચાલ્યા ગયા અને મહેરૌલીમાં રહેવા લાગ્યા. દિલ્હી પોલીસ સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ શ્રદ્ધાનો હત્યારો આફતાબ તપાસમાં સહકાર નથી આપી રહ્યો. તેણે શ્રદ્ધાનો મોબાઈલ ફોન લઈ લીધો હતો. જે હથિયાર વડે શરીરના ટુકડા કર્યા હતા. તેની માહિતી પોલીસને આપી નથી. આ મામલે તપાસને ઝડપી બનાવવા માટે પોલીસ શ્રદ્ધાના પિતાને મુંબઈથી દિલ્હી બોલાવી શકે છે. લોહી ડાઘ ભૂંસવા અને શરીરના કટકા કરેલા ટુકડાને સાચવી રાખવા માટે ગુગલમાં ચોક્કસ પ્રકારની સામગ્રી શોધી હતી.

પૈસા ટ્રાંસફરઃ પોલીસ તપાસમાંથી ખબર પડી કે તારીખ 26 મેના રોજ શ્રદ્ધાની નેટ બેંકિંગ એપ્લિકેશનમાંથી આફતાબના ખાતામાં 54 હજાર રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. જ્યારે આફતાબે પોલીસને જણાવ્યું હતું કે તે તારીખ 22 મેથી શ્રદ્ધાના સંપર્કમાં નથી. પછી શું હતું, આ આફતાબની પહેલી સૌથી મોટી ભૂલ હતી, જેણે તેને પોતાના જ જાળામાં ફસાવી દીધો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.